March 19th 2019

શીતળ સ્નેહ

.            .શીતળ સ્નેહ 
તાઃ૧૯/૩/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો સંબંધ એ સમય સંગે ચાલે,જે થયેલ કર્મની કેડીએ મેળવાય
કુદરતની આ પાવનલીલા જગતપર,મળેલદેહને સુખદુઃખ આપી જાય
.....માનવતાની મહેંક પ્રસરે મળેલ દેહની,જે જીવનમાં વાણી વર્તનથી દેખાય.
મળેલ માનવદેહ જીવને અવનીપર,જે દેહથી થયેલ કર્મથી અનુભવાય
જીવને સંબંધછે કરેલકર્મથી,જે દેહપર શીતળ સ્નેહની વર્ષા કરી જાય
પવિત્રરાહ મળે અવનીપર જીવને,જ્યાં શ્રધ્ધાભાવના સંગે ભક્તિ કરાય
સમયની સંગે ચાલતા માનવદેહે,અવનીપર મોહમાયાને દુર રાખીજીવાય
.....માનવતાની મહેંક પ્રસરે મળેલ દેહની,જે જીવનમાં વાણી વર્તનથી દેખાય.
નિર્મળ જીવનની રાહ મળે જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં દેહને,જ્યાં પવિત્રસંતની કૃપા દ્રષ્ટી થાય
કરેલ કર્મનો સંબંધ સ્પર્શે દેહને,જે જીવને સમય સમયે દેહ આપી જાય 
અદભુતલીલા છે કુદરતની જગતપર,જે જીવનમાં શીતળ સ્નેહ દઈ જાય
.....માનવતાની મહેંક પ્રસરે મળેલ દેહની,જે જીવનમાં વાણી વર્તનથી દેખાય.
==========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment