જીવબંધન
. જીવબંધન
તાઃ૪/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જકડે કર્મના બંધન,જગતે જન્મ મરણથી સહેવાય
સમજણ સાચી જીવને મળતાં,જીવ પર પ્રભુકૃપા થઈ જાય
. …………………જીવને જકડે કર્મના બંધન.
અવનીપર ના આગમનને,જીવના કર્મ બંધન છે કહેવાય
શીતળતાનો સંગ રાખતા,જગતના લેણદેણથી છટકાય
જગતની સૃષ્ટિછે કળીયુગી,જલાસાંઇની ભક્તિએ છુટાય
અંતરમાં આનંદ વરસતા,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. …………………..જીવને જકડે કર્મના બંધન.
માતાપિતા એ નિમીત બને છે,જે જીવને દેહ આપી જાય
સમજણ સાચી સંગે રાખતાં,માનવજીવન નિર્મળ થાય
અવનીના બંધન છે જીવના,દેહને અહીં તહી લઈ જાય
આજે અહીં ને કાલે તહીં,એ જ સાચા જીવબંધન કહેવાય
. ……………………જીવને જકડે કર્મના બંધન.
+++++++++++++++++++++++++++++++++++