કઈ જ્યોત
. .કઈ જ્યોત
તાઃ૨૯/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિ છે જ્યોતની અવનીએ,અનુભવથી સમજાય
કઈ જ્યોત ક્યારે મળે જીવને,જે પ્રભુની કૃપાએજ મેળવાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.
મળે જ્યોત માબાપના પ્રેમની,ત્યાં મળેલ દેહ સાર્થક થાય
રાહમળે ભણતરની સંતાનને,જીવને લાયકાતે એદોરી જાય
માતાની ચીંધેલ આંગળીએ,સંતાનને ભક્તિ રાહ મળી જાય
ના અપેક્ષાની કોઇ ભાવના રહે,કે નાકોઇ માગણી અડી જાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.
સંગાથીઓનો જ્યાં સાથ મળે,મા સરસ્વતીની કૃપા થઈજાય
કલમની પકડી કેડીએ ચાલતા,અનેક જીવોને પ્રેમ મળી જાય
માન અભિમાનને નેવે મુકતા,મળેલ જન્મ પાવન થઈ જાય
નિર્મળજીવન જીવે અવનીએ,સૌનો નિખાલસપ્રેમ મળીજાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++