લીલા કુદરતની
. ………………..લીલા કુદરતની
તાઃ૨૪/૧૦/૨૦૧૭ ………. …….. પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબશક્તિ શાળી પરમાત્મા જગતપર,જે અદભુતલીલાથી દેખાય
ક્યારે ક્યાં ને કેવી રીતે આવે અવનીએ,ના કોઇ જીવને સમજાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
પવનદેવની અજબતાકાત છે,જે તેમના આગમનથી સમજાઈ જાય
આવે અચાનક એ અવનીપર,ના કોઇ જીવથી છટકીને દુર જવાય
ઝાડ પાનને તોડી નાખતા,નાકોઇ દેહથી કદીય આઘુપાછુ રહેવાય
અવનીપર તેમની તાકાત છે,જે તેમના પુત્ર હનુમાનજીથીજ દેખાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
કુદરતી તાકાતથી બચવા,શક્તિશાળી મેઘરાજાના આગમને સમજાય
આવે અચાનક ધરતી પર,જે જીવોને પાણીદેતા દરીયાપર લઈ જાય
ના કોઇ દેહથી છટકાય જગતપર,પ્રાણી પશુ કે માનવીનો દેહ હોય
છત્રી પકડી ચાલતો માનવદેહ,ભીની ચાદરથી અવનીપર પલળીજાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
======================================================