January 12th 2019
. .માનવદેહને મળે
તાઃ૧૨/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંબંધ મળે જગતપર માનવદેહને,જે થયેલ જીવના કર્મના બંધન કહેવાય
પાવનકૃપા પરમાત્માની જીવપર થાય,જે કરેલ સત્કર્મ જીવને સ્પર્શી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
સત્કર્મની રાહ મળે મળેલ દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
ઉંમરને નાકોઇ રોકી શકે અવનીપર,એજીવને વર્તનકર્મની કેડી આપી જાય
મળેલ માનવદેહ એકૃપા પ્રભુની,જે દેહને સદમાર્ગેલઈ પાવનકર્મ કરાઇ જાય
પાવનરાહને પકડતા જીવનમાં,ના અપેક્ષા કે ના માયામોહ કદી અડી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતાં જીવનમાં,પાવનકર્મની રાહ દેહને મળી જાય
મળેલ માનવદેહને શાંંન્તિમળે,જ્યાં સંતજલાસાંઇની ચીંધેલ આંગળીએ ચલાય
માનવદેહને ભોજન આપતા કૃપા મળે પ્રભુની,એજ જલારામથી પ્રેરણા થઈ
મળેલ માનવદેહએ પરમાત્માની છે કૃપા,જે સાંઇબાબા દેહને મહેંકાવી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
===============================================================
No comments yet.