March 28th 2021

જય મા દુર્ગા

નવરાત્રી/ જગત જનની માં અંબાની આરતી

.           .જય મા દુર્ગા 

તાઃ૨૯/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમની ગંગા વહે દુનીયામાં,શ્રધ્ધાથી માતાને વંદન કરતા મેળવાય
પરમકૃપાળુ માતાદુર્ગાનો મંત્ર,ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાથાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
માતાનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જે સમયે સત્કર્મનો સંગાથ આપી જાય
સમયસંગે ચાલવા કૃપા મળે દેહને,એ શ્રધ્ધાભાવનાથી પુંજન કરાવી જાય
આંગણે આવી કૃપાજ મળે જીવનમાં,જ્યાં પ્રભાતે માતાને ધુપદીપ કરાય
પાવનરાહે જીવનજીવવા કૃપામળે માતાની,જીવનમા સુખશાંંતિ મળી જાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
પરમ શક્તિશાળી માતા હતા ભારતમાં,જે રાજા મહિસાસુરનેય મારી જાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરતા,જીવનમાં નાકોઇજ તકલીફ મળતી જાય
મારા જીવનમાં પવિત્રમાતા દુર્ગાની કૃપા છે,જે જીવનમાં સુખ આપી જાય
માનવજીવનમાં નાકોઇજ અપેક્ષા રહે,કે નાકોઇજ માગણી જીવનમાં રખાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
##############################################################
March 27th 2021

સમયનો સંગાથ

**સંગાથ જીવનને તરતું રાખે છે - Sandesh**

.          .સમયનો સંગાથ

તાઃ૨૭/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને જીવનમાં અનેકકર્મનો,સંગાથછે જેઅવનીપર મેળવાય
આગમનથી જીવને સમયનોસ્પર્શ થાય,જે મળેલદેહની ઉંમરથી સમજાય
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
જીવને મળતા દેહને બાળપણ,જુવાની અને ધડપણ સમયે મળતા જાય
દેહને કર્મનોસંબંધ જીવનમાંમળે,જે સમજીને ચાલતા નાતકલીફ મેળવાય
પવિત્રરાહને પકડી ચાલવા સવારમાં,શ્રધ્ધાથી ભગવાનની પુંજા થઈ જાય
ઉંમરને સમજી ચાલતા માબાપના આશીર્વાદથી,ભણતરની રાહને પકડાય
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
જન્મ મળે જીવને ગતજન્મના કર્મથી,જે અવનીપર જન્મથી સમજાઈ જાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પશુ,પક્ષી,પ્રાણીઅને માનવીથી મળતો જાય
માનવદેહને પરમાત્માની કૃપાથી,શ્રધ્ધારાખતા જીવનમાં પવિત્ર્રરાહ મળીજાય
મારુ તારુની સમજણને છોડીને ચાલતા જીવને,પવિત્રકર્મથી મુક્તિમળી જાય 
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
#################################################################
March 27th 2021

મળેલ પ્રેમ જ્યોત

સવારે અને સાંજે દીવો પ્રગટાવવા થી તમારા બધા દુ: ખ થશે દૂર, જાણો તેના ફાયદા અને ઉપાય

.          .મળેલ પ્રેમ જયોત

તાઃ૨૭/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહ પર પ્રભુનીકૃપા થાય,જે શ્રધ્ધાથી માતાની પુંજાકરતા દર્શન થાય
એ જીવને મળેલ પ્રેમની જ્યોત પ્રગટે,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
જીવને સંબંધ ગતજન્મના થયેલ કર્મથી,જે ધરતીપર આવન જાવન આપી જાય
કુદરતની અજબલીલા અવનીપર,જે અનેકરાહે શ્રધ્ધાથી થયેલ કર્મથી મળીજાય
પવિત્રમાતાના દેહ લીધા ભારતમાં,એ જીવોને પાવનરાહની પ્રેરણા આપી જાય
હિંદુ ધર્મની પવિત્ર જ્યોત અવનીપર પ્રગટી છે,જે પવિત્ર મંદીરથીય મળી જાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાભાવથી પુંજન કરી ના અપેક્ષા રખાય
આંગણે આવી પવિત્રકૃપા મળે પરમાત્માની,જે દેહને સવારસાંજથી મળતી થાય
પવિત્ર સ્વરૂપ હિંદુ માતાના છે,જે જીવનમાં મળૅલ પ્રેમ જ્યોતથી અનુભવ થાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરી વંદન કરતા,જીવનમાં દેહને પાવનરાહ મળીજાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
*******************************************************************
March 26th 2021

પ્રેમાળ માતા

###Saraswati Vandana - Ya kundendu Tushar | કાઠિયાવાડી ખમીર###

.           .પ્રેમાળ માતા 

તાઃ૨૬/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

તાલી પાડીને ભજન ગાતાજ,પરમાત્માની પાવન કૃપા પણ થાય
પ્રેમાળ માતા સરસ્વતીનો પ્રેમમળૅ,માતાજી સીતાર વગાડી જાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
મળેલ માનવદેહને ધર્મથી સંગાથમળે,હિંદુ ધર્મમાં અનુભવ થાય
અનેકદેહ લીધા છે પરમાત્માએ,જે ભારતદેશને પાવન કરી જાય
પવિત્ર પરિવારથી જીવતા મળેલદેહને,જીવનમાં પરમઆનંદ થાય
કલમપકડી ચાલતા દેહને પવિત્રકૃપા,માતા સરસ્વતીની મળીજાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
પવિત્ર ધર્મમાં અનેકરાહે કૃપા મળે,જે માનવદેહને કર્મથી દેખાય
નિર્મળભાવથી પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં સુખ મેળવાય
અનેક માતાના દેહ લીધા છે હિંદુ ધર્મમાં,એ માતાની પુંજા કરાય
જીવને મળેલદેહને માતાની કૃપાએ,જીવને અંતે મુક્તિ મળી જાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
ભણતરની રાહ મળે સંતાનને,સમય સંગે સફળતા પણ મળી જાય
અનેકરાહે મળેલદેહ જીવનમાં રાહ મેળવી જાય,એજ કૃપા કહેવાય
મળેલદેહના મગજને માતાના પ્રેમે,માનવદેહથી પવિત્રરાહ મેળવાય
જીવનમાં કલમ,કલા,નૃત્યકેનાટક જોઈને,અનેકને ખુબ આનંદથાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
**************************************************************
 

March 23rd 2021

વક્રતુંડ ગણેશાય

###Shubh Savar Ganesh Images ( શુભ સવાર ગણેશ ઈમેજેસ ) - SmitCreation.com###.

.           .વક્રતુંડ ગણેશાય

તાઃ૨૩/૩/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા પાર્વતીના લાડલા સંતાન,ગજાનંદ શ્રી ગણપતિથી ઓળખાય
પવિત્રદેહથીજ પધાર્યા પરિવારમાં,એ સિધ્ધી વિનાયક પણ કહેવાય
....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય.
એવાવ્હાલા ગણપતિના ભાઈ કાર્તિકેય,બહેન અશોકસુંદરી મળી જાય
પવિત્રકેડીની રાહ મળી જીવનમાં,જે માબાપની કૃપાએજ મળતી જાય
હિંદુ ધર્મમાં એ ગજાનંદ શ્રીગણેશ સંગે,દેહના ભાગ્યવિધાતાય કહેવાય
એજ પવિત્રરાહ મળી છે પિતાની,જે લંબોદર સંગે એકદંત ધારી થાય
....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય.
અદભુત લીલા અવનીપર થઇ,જે જીવનસંગીની રિધ્ધી સિધ્ધીથી દેખાય
પરિવારની પાવનકેડીએ દીકરી સંતોષી,અને પુત્ર શુભ,લાભ જન્મી જાય
પાવનરાહે જીવતા જીવનમાં,જીવને મળેલદેહને સત્કર્મની પ્રેરણા કરીજાય
પવિત્રકૃપા કરે અવનીપરના દેહપર,જે જીવને જન્મમરણથી બચાવી જાય  
....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય.
================================================================
March 22nd 2021

જય જય મહાદેવ

((( હર હર મહાદેવ | Videos, Shayaris, Quotes | Helo)))

.           .જય જય મહાદેવ 

તાઃ૨૨/૩/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર શ્રધ્ધાળુ ભક્તોપર પાવનકૃપા,ભોલેનાથ મહાદેવની થઈ જાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જે પવિત્રકર્મથી અનુભવ થાય
....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
અજબ શક્તિશાળીએજ દેવ છે,જેમની શંકર ભગવાનથીય પુંજા થાય
શીવલીંગ પર દુધ અર્ચના કરીને,ૐ નમઃશિવાય બોલીને વંદન કરાય
માનવદેહ લીધો પરમાત્માએ,જે જીવના મળેલદેહને ભક્તિ આપી જાય
અનેકપવિત્ર નામથી ઓળખાયછે,જેમની શ્રધ્ધાળુ ભક્તોથી પુંજા કરાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
ભારતની ભુમીપર જન્મ લીધો,સંગે હિમાલયનીજ પુત્રી પાર્વતી પત્ની થઈ
પાવનકૃપા થઈ પ્રભુની,એ ભાગ્યવિધાતા શ્રી ગણૅશ સંતાનથી જન્મી જાય
શ્રી કાર્તિકેય બીજા સંતાન છે,અંતે દીકરી અશોકસુંદરીનો જન્મ થઈ જાય
એવા પિતા થયા,જે શ્રીશિવ,શ્રીશકર,શ્રીમહાદેવ,શ્રીભોલેનાથ પણ કહેવાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
શ્રધ્ધારાખીને હિંદુ ધર્મમાં જન્મ મળે,એજ પરમ કૃપા પરમાત્માનીજ કહેવાય
જગતમાં પવિત્રધર્મ હિંદુછે,ભારતમાં જન્મ લઈ પ્રભુ અનેકદેહથી આવી જાય
જીવને મળેલદેહ ગતજન્મના કર્મનો સંબધ,જે જીવને આવનજાવનથી દેખાય
પવિત્રરાહે કર્મ કરતા સંગે ભક્તિ કરતા,જીવને કર્મ છુટતા મુક્તિ મળી જાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
################################################################

	
March 20th 2021

કલમની પકડ

## મનોજ પર્વ ૦૯ : પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને | ટહુકો.કોમ##

.            .કલમની પકડ

તાઃ૨૦/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા રાખીને કલમ પકડતા,પવિત્રમાતા સરસ્વતીની પાવનકૃપા થાય
કલમ પકડેલ પ્રેમીને સમજણ મળે,જે માતાની પ્રેરણા મળતાજ દેખાય
....મળેલ માતાનો કૃપાએ પકડેલ કલમથી,લખેલ શબ્દને વાંચતા ખુશ કરી જાય.
અદભુત અપાર લીલા છે કલમપ્રેમીઓ પર,જે સમય સંગે ચલાવી જાય
મળેલમાનવદેહને સમયસંગે ચાલતા,પાવનરાહની પ્રેરણા કૃપાઆપી જાય
શ્રધ્ધા રાખીને જીવતા માનવદેહ પર,પરમાત્માની પાવનકૃપાય થઈ જાય 
મળેલદેહનુ ભણતર એ સમયની કેડી,જે ઉંમરથીજ અનુભવ આપી જાય
....મળેલ માતાનો કૃપાએ પકડેલ કલમથી,લખેલ શબ્દને વાંચતા ખુશ કરી જાય.
મોહમાયાકે અભિમાનનો ના કોઇ સંબંધ દેહને,જે માતાની કૃપાજ કહેવાય
સરળ જીવનમાં કલમનો પ્રેમ રાખીને જીવતા,અનેક રચનાઓથી પ્રેરી જાય
અનેકવર્ષોથી લખાયેલ કલમની રચના,વાંચકોને અદભુત આનંદ આપી જાય
જીવને સંબંધ મળેલ દેહથી નાકોઇથી કદી છટકાય,પકડેલ કલમ પ્રેરી જાય 
....મળેલ માતાનો કૃપાએ પકડેલ કલમથી,લખેલ શબ્દને વાંચતા ખુશ કરી જાય.
================================================================
      
March 19th 2021

કળીયુગનો સાથ

@@.November .cdr@@

 .          .કળીયુગનો સાથ 

તાઃ૧૯/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
      
અવનીપર સમયના પકડાય કોઇથી,એ કુદરતની લીલાજ કહેવાય
મળેલદેહને માયાનો સંગાથ મળે,જે કળીયુગનો સાથ આપી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
જગતપર ના કોઇનીય તાકાત જીવનમાં,જે સમયને દુર રાખી જાય
ગઈ કાલને ના પકડાય કોઇથી,કે ના આવતી કાલથી દુર રહેવાય
અદભુત લીલા કુદરતની અવનીપર,જે કળીયુગનો સાથ આપી જાય
પાવનકર્મની રાહ મળે દેહને,જે કળીયુગની માયાથી દુર રાખી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
ઉંમરને ના કોઇ રોકી શકે,કે ના કોઇ સમયથી છટકીને ચાલી જાય
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવને,જે પળે પળ સત્કર્મ કરાવી જાય
કળીયુગની અસર મળેલદેહને,સમયથી જકડીને અભિમાન આપી જાય
શ્રધ્ધાભાવથી પરમાત્માને ધુપદીપકરી,વંદન કરતા પ્રભુકૃપા મળી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
#############################################################
March 18th 2021

શેરડીથી આવ્યા

જાણો શિરડીના સાંઈબાબાનો ઇતિહાસ અને તેમના અનેક પરચાઓ.. | Apnu Bhavnagar

.            .શેરડીથી આવ્યા

તાઃ૧૮/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રવ્હાલા સંત અમારા સાંઇબાબા,શ્રધ્ધાપારખી શેરડીથી પધાર્યા અહીં 
પવિત્રકૃપા મળી બાબાની ભક્તોને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃ બોલાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
મળેલદેહથી પધાર્યા પાર્થીવ ગામમાં,જે શેરડીમાં પધારી પ્રેરણા આપી જાય
માનવજીવનને પ્રેમથી પ્રેરણા આપવા,દ્વારકામાઈનો પવિત્ર સંગાથ મેળવાય
અવનીપરના આગમનનો સંબંધ જીવને,જે ગતજન્મના થયેલકર્મથીમળી જાય
શ્રધ્ધારાખીને વંદન કરતા પરમાત્માને,પાવનકૃપા જીવને મળેલ દેહ પર થાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
માનવદેહને સંબંધ ગતજન્મના કર્મનો,જે અવનીપર આવનજાવન આપીજાય
પવિત્ર સંત સાંઇબાબાએ આંગળી ચીંધી,કે શ્રધ્ધાસબુરીને સમજીને જીવાય
ધર્મનો સંબંધ નાકોઇ મળેલદેહને,અવનીપર એ માનવીથી જીવવા પ્રેરીજાય 
અલ્લાહ ઇશ્વર એ શ્રધ્ધા માનવીની,ના કોઇ ધર્મકર્મને દુર રાખીને જીવાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

March 16th 2021

ગજાનંદ સંગે મહાવીર

***હનુમાન ચાલીસાના પાઠ કરવા બેસો ત્યારે ના કરો આવી ભૂલ, નહીતર કરવો પડશે ગંભીર મુશ્કેલીનો સામનો અને નહી મળે લાભ..!!!***

.         .ગજાનંદ સંગે મહાવીર

તાઃ૧૬/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
મળેલ માનવદેહને સમય સંગે ચાલવા,પરમાત્મા પરમકૃપા કરી જાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે અનેકસમયે જીવને સમજાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
હિંદુધર્મમાં સિધ્ધીવિનાયક શ્રી ગણેશના,માતા પાર્વતી પિતા ભોલેનાથ
જગતમાં એ ભાગ્યવિધાતાય કહેવાય,જે મળેલદેહને ભક્તિ આપી જાય
પાવનરાહ પકડતા માતાપિતાના પ્રેમથી,રિધ્ધીસિધ્ધી પત્ની મળી જાય
જીવનમાં ભાઈ કાર્તિકેય થયા,બહેન અશોકસુંદરી કુટુંબમાં આવી જાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
પવિત્રદેહ મળ્યો માતા અંજનીથી,નેસંગે પિતા પવનદેવની કૃપા કહેવાય
નામ મળ્યુ બજરંગબલી હનુમાનનુ,જે અજબશક્તિથી રામને મળી જાય
શ્રીરામના પત્નિને શોધી લાવ્યા,અંતે રાજા રાવણની લંકાને બાળી જાય
પરમકૃપા મળી સીતામાતાની,રામનાભાઈ લક્ષ્મણને સંજીવની આપી જાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
રિધ્ધીસિધ્ધીનાએ જીવનસાથી,જે પુત્રી સંતોષી ને પુત્ર શુભલાભ દઈ જાય
પાવનકૃપા માતાપિતાની કુળને આગળ લેવા,પુત્રવધુ તુષ્ટિ પુષ્ટિ મળી જાય
અંતે પૌત્ર પણ થયા જીવનમાં,જે આમોદ પ્રમોદથી કુળમાં જન્મ લઈ જાય
જગતમાં રામના ભક્ત હનુમાન,જે સુર્યપુત્રી સિવર્ચલાના પતિથી ઓળખાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
  
« Previous PageNext Page »