March 19th 2021

કળીયુગનો સાથ

@@.November .cdr@@

 .          .કળીયુગનો સાથ 

તાઃ૧૯/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
      
અવનીપર સમયના પકડાય કોઇથી,એ કુદરતની લીલાજ કહેવાય
મળેલદેહને માયાનો સંગાથ મળે,જે કળીયુગનો સાથ આપી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
જગતપર ના કોઇનીય તાકાત જીવનમાં,જે સમયને દુર રાખી જાય
ગઈ કાલને ના પકડાય કોઇથી,કે ના આવતી કાલથી દુર રહેવાય
અદભુત લીલા કુદરતની અવનીપર,જે કળીયુગનો સાથ આપી જાય
પાવનકર્મની રાહ મળે દેહને,જે કળીયુગની માયાથી દુર રાખી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
ઉંમરને ના કોઇ રોકી શકે,કે ના કોઇ સમયથી છટકીને ચાલી જાય
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવને,જે પળે પળ સત્કર્મ કરાવી જાય
કળીયુગની અસર મળેલદેહને,સમયથી જકડીને અભિમાન આપી જાય
શ્રધ્ધાભાવથી પરમાત્માને ધુપદીપકરી,વંદન કરતા પ્રભુકૃપા મળી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
#############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment