પ્રેમાળ માતા
######
. .પ્રેમાળ માતા તાઃ૨૬/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ તાલી પાડીને ભજન ગાતાજ,પરમાત્માની પાવન કૃપા પણ થાય પ્રેમાળ માતા સરસ્વતીનો પ્રેમમળૅ,માતાજી સીતાર વગાડી જાય ....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય. મળેલ માનવદેહને ધર્મથી સંગાથમળે,હિંદુ ધર્મમાં અનુભવ થાય અનેકદેહ લીધા છે પરમાત્માએ,જે ભારતદેશને પાવન કરી જાય પવિત્ર પરિવારથી જીવતા મળેલદેહને,જીવનમાં પરમઆનંદ થાય કલમપકડી ચાલતા દેહને પવિત્રકૃપા,માતા સરસ્વતીની મળીજાય ....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય. પવિત્ર ધર્મમાં અનેકરાહે કૃપા મળે,જે માનવદેહને કર્મથી દેખાય નિર્મળભાવથી પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં સુખ મેળવાય અનેક માતાના દેહ લીધા છે હિંદુ ધર્મમાં,એ માતાની પુંજા કરાય જીવને મળેલદેહને માતાની કૃપાએ,જીવને અંતે મુક્તિ મળી જાય ....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય. ભણતરની રાહ મળે સંતાનને,સમય સંગે સફળતા પણ મળી જાય અનેકરાહે મળેલદેહ જીવનમાં રાહ મેળવી જાય,એજ કૃપા કહેવાય મળેલદેહના મગજને માતાના પ્રેમે,માનવદેહથી પવિત્રરાહ મેળવાય જીવનમાં કલમ,કલા,નૃત્યકેનાટક જોઈને,અનેકને ખુબ આનંદથાય ....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય. **************************************************************