March 25th 2021
####
.. .વિરપુરના વાસી
તાઃ૨૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રજીવે દેહ લીધો વિરપુરમાં,જે પ્રધાન ઠક્કરના સંતાનથી ઓળખાય
માતા રાજબાઈની પાવનકૃપાએ,પવિત્ર ભક્તિશાળી જે જલારામ કહેવાય
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
પરમાત્માની પાવનકૃપા થઈ જીવનમાં,જે મંદીર મસ્જીદથી દુર લઈ જાય
મળેલ માનવદેહને પવિત્ર આંગલી ચીંધી,સંત ભોજલરામની કૃપા કહેવાય
નાકોઇ અપેક્ષા કે મોહમાયા સ્પર્શી,જે ભુખ્યા સંતને ભોજન આપી જાય
પકડેલ પવિત્રરાહ જીવનમાં,સંગે પત્નિ વિરબાઈનો પવિત્ર સાથ મળીજાય
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,માનવદેહને સમયસંગે ચલાય
જીવનમાં કર્મનોસંબંધ દેહને,જે જીવને જન્મમરણના આવનજાવનથી દેખાય
પવિત્રરાહે જીવતા જલારામે આંગળી ચીંધી,કે માનવદેહને પ્રેમે ભોજનદેવાય
જલારામના જીવનની પરીક્ષાકરવા પ્રભુ પ્રધાર્યા,પવિત્રકર્મ વિરબાઈ કરીજાય
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
================================================================
March 25th 2021
######
. વ્હાલા સાંઇબાબા
તાઃ૨૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત ભક્તોના વ્હાલા હતા સાંઈબાબા,જે પ્રેમપારખી શેરડી આવી જાય
દ્વારકામાઈએ સેવાથી મદદ કરી બાબાને,એ મળેલ દેહને પવિત્રરાહે દેખાય
.....પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણા કરી,જે શ્રધ્ધા સબુરીથી મળેલ દેહને સમજાય.
જીવને મળેલ દેહ અવનીપર,ગત જન્મના દેહથી થયેલ કર્મથીજ મળી જાય
અનેક સ્વરૂપથી દેહ મળે જીવને,જે માનવ,પ્રાણી,પશુ,પક્ષીથીજ મેળવાય
મળેલદેહના જીવનમાં કર્મથાય,સંગે ધર્મનીકેડી જે પાવનકૃપાએજ મળી જાય
દેહ મળતા જીવને હિંદુ,મુસ્લીમ,ખ્રીસ્તી ધર્મનોસાથ મળે જે સમયે સમજાય
.....પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણા કરી,જે શ્રધ્ધા સબુરીથી મળેલ દેહને સમજાય.
સાંઇબાબા એ વ્હાલા સંત થયા ભક્તોના,એ પાવનરાહે પ્રેરણા આપી જાય
માનવ દેહને પવિત્રરાહે જીવવા,આંગળી ચીંધી ના કોઈથીય ધર્મથી છટકાય
શ્રધ્ધા અને સબુરીની સમજણ એકજ છે,કેજે હિંદુ અને મુસ્લિમમાં સમજાય
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ ભારતમાં,જે અનેકકૃપાએ હિંદુધર્મકહેવાય
.....પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણા કરી,જે શ્રધ્ધા સબુરીથી મળેલ દેહને સમજાય.
(((((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))))))))))