વક્રતુંડ ગણેશાય
######.
. .વક્રતુંડ ગણેશાય તાઃ૨૩/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ માતા પાર્વતીના લાડલા સંતાન,ગજાનંદ શ્રી ગણપતિથી ઓળખાય પવિત્રદેહથીજ પધાર્યા પરિવારમાં,એ સિધ્ધી વિનાયક પણ કહેવાય ....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય. એવાવ્હાલા ગણપતિના ભાઈ કાર્તિકેય,બહેન અશોકસુંદરી મળી જાય પવિત્રકેડીની રાહ મળી જીવનમાં,જે માબાપની કૃપાએજ મળતી જાય હિંદુ ધર્મમાં એ ગજાનંદ શ્રીગણેશ સંગે,દેહના ભાગ્યવિધાતાય કહેવાય એજ પવિત્રરાહ મળી છે પિતાની,જે લંબોદર સંગે એકદંત ધારી થાય ....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય. અદભુત લીલા અવનીપર થઇ,જે જીવનસંગીની રિધ્ધી સિધ્ધીથી દેખાય પરિવારની પાવનકેડીએ દીકરી સંતોષી,અને પુત્ર શુભ,લાભ જન્મી જાય પાવનરાહે જીવતા જીવનમાં,જીવને મળેલદેહને સત્કર્મની પ્રેરણા કરીજાય પવિત્રકૃપા કરે અવનીપરના દેહપર,જે જીવને જન્મમરણથી બચાવી જાય ....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય. ================================================================