January 14th 2018
. .સંતાનનો સહવાસ
તાઃ૧૪/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં જીવનમાં નિર્મળપ્રેમ મેળવાય
મળે પાવનકેડી માબાપને,જ્યાં સંતાનનો સહવાસ મળી જાય
.......એજ કુદરતની પરમકૄપા છે જીવ પર,જે સમયે સમજાઇ જાય.
થયેલ કર્મ જીવના અવનીપર,જે મળેલ દેહથી આગમને દેખાય
અનેકદેહનો સંબંધછે જીવને,ક્યારે કયો દેહ મળશે ના પકડાય
માનવદેહને કર્મનીકેડી મળે,જે મળેલદેહે પરમાત્માની પુંજા થાય
મળેલકૃપા પ્રભુની સંતાન મળતા,માબાપને લાયકાત મળી જાય
.......એજ કુદરતની પરમકૄપા છે જીવ પર,જે સમયે સમજાઇ જાય.
જ્યોતપ્રેમની પ્રગટે જીવનમાં,જ્યાં નિખાલસ માનવજીવન જીવાય
અપેક્ષાની ના કોઇ કેડી અડે,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
નિર્મળ ભાવનાનો સંગ રાખતા જીવનમાં,સંસ્કારની પ્રેરણા થાય
પાવન ચિંધેલ આંગળી સંતાનને,માબાપને એ વંદન કરતા જાય
.......એજ કુદરતની પરમકૄપા છે જીવ પર,જે સમયે સમજાઇ જાય.
=====================================================
December 23rd 2017

. . કલમપ્રેમી દેવિકાબેન
તાઃ૧૬/૧૨/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા મળી ગઈ માતાની,જે દેવિકાબેનને હ્યુસ્ટનમાં લાવી જાય
પવિત્રપ્રેમથી કલમ પકડતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને પ્રેરણા આપીજાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
માન અને સન્માન મળે બેનને,જે કલમપ્રેમીઓને આનંદ આપી જાય
કલમની ઉજવળરાહને પ્રેરતા,અનેકની કલમને એ સદમાર્ગે લઈ જાય
શબ્દની પવિત્ર સમઝણ પડતા,માનવીના મનનેએ શાંંન્તિ આપીજાય
પાવનકર્મ ને પાવનજીવન એજ કૃપા માતાની,જ્યાં પ્રેમની વર્ષા થાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
અપેક્ષાના વાદળ ના સ્પર્શે,કે ના કદીય મોહમાયા બેનને અડી જાય
નિર્મળ ભાવનાએ કલમને પકડતા,કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
સફળતાના વાદળનો સંબંધ રહેતા,જીવનમાં ઉજવળતા મળતી જાય
એજ પાવનરાહ કલમની મળી,જ્યાં માતા સરસ્વતીની કૃપા થઇજાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
=================================================================
હ્યુસ્ટનના કલમપ્રેમીઓને માતા સરસ્વતીની કૃપાથી પ્રેરણા આપતા અમારા માનનીય
બેન શ્રીમતી દેવિકાબેન ધ્રુવને ઉત્તમ લેખક તરીકે સન્માનીત કરવામાં આવી રહ્યા છે જે
હ્યુસ્ટન અને દુનીયામાં રહેતા ગુજરાતી કલમપ્રેમીઓ માટે ગૌરવ છે એ યાદરૂપે આકાવ્ય
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી સપ્રેમ ભેંટ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
November 5th 2017
+++++
+++++
. .ચી.દીપલનો જન્મદીવસ
તાઃ૪/૧૧/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહને પકડી ચાલતી દીકરી,દીપલનો જન્મદીવસ ઉજવાય
પાવનપ્રેમની જ્યોત પ્રગટતા,ચીંં.નિશીતકુમારનોસાથ મળી જાય
.......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય.
આજકાલને સમજી ચાલતા જીવનમાં,વડીલોનો પ્રેમ મળી જાય
સંત જલાસાંઇને શ્રધ્ધાએ વંદન કરતા,પવિત્રકર્મ જીવનમાં થાય
પપ્પા મમ્મીએ આપેલ આશીર્વાદે,જીવનમાં પાવનરાહ મેળવાય
ઉજ્વળ જીવનનીરાહ જોતા,નિશીતકુમારના માતાપિતા હરખાય
.......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય.
વાણીવર્તન સાચવીજીવતા,જીવનમાં સંબંધીઓનોસાથ મળી જાય
નિર્મળ ભાવનાએ કરેલ કર્મથી,મળેલ જન્મનેએ સાર્થક કરી જાય
મળેલ પવિત્રપ્રેમની ગંગાએ દીપલ,સુખસાગરનો લાભ મેળવીજાય
જન્મ દીવસની જ્યોત પ્રગટે જીવનમાં,અનેક વર્ષોએ જીવી જાય
.......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય.
==========================================================
. .અમારી લાડલી દીકરી ચી.દીપલનો આજે જન્મદીવસ છે તે નીમિત્તે આ કાવ્ય
સંત જલાસાંઈની કૃપા સહિત અંતરથી આશિર્વાદ સહિત સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ,રમાના આશિર્વાદ સહિત સપ્રેમ ભેંટ.
October 29th 2017
.
. .વ્હાલા જમાઈનો જન્મદીવસ
તાઃ૩૦/૧૦/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની કેડી મળી નિશીતકુમારને,પિતા પંકજભાઈ ને માતા નીલાબેનથી
સંત જલાસાંઇની પરમકૃપાએ મારી દીકરી દીપલના એ જીવનસાથી થઈ જાય
………….એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.
કર્મ ધર્મને સમજી ચાલતા પાવનરાહને પકડી,જીવનમાં નિર્મળરાહે જીવી જાય
દીપલને મળીગયો અનંતપ્રેમ જીવનમાં,જે સુખશાંન્તિના વાદળ વરસાવી જાય
જીવનમાં નાકોઇ અપેક્ષા સ્પર્શે તેમને,કે નાકોઇ મોહ માયા પણ સ્પર્શી જાય
એજ કૃપા માબાપની મળી નીશીતકુમારને,સંગે અમારા આશીર્વાદ મળી જાય
…………એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.
અનંત આનંદ મળે ભાઈ રવિને સંગે ભાભી હિમાને પણ મળે દીપલનો પ્રેમ
પરમાત્માની પરમ કૃપાએ મળે પ્રેમ જમાઈનો,જે પ્રદીપરમાને ખુશ કરી જાય
સંસ્કારને સાચવીને જીવન જીવતા,હ્યુસ્ટનમાં એપાવનરાહને મેળવીને હરખાય
જન્મદીવસની પ્રાર્થના સંત જલાસાંઇને,જે મેળવી ઉજ્વળ જીવન પામી જીવે
………….એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.
======================================================
. .અમારી વ્હાલી દીકરી ચીં.દીપલના જીવનસંગી ચી.શ્રી નિશીતકુમારના જન્મ દીવસની
યાદ રૂપે આ લખાણ તેમને સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ,રમા પરિવારના આશીર્વાદ સહિત જય જલારામ,જય સ્વામીનારાયણ.
October 24th 2017
. …………….ભાઈબીજ
તાઃ૨૪/૧૦/૨૦૧૭ …………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુંટુંબની કેડી એ સંબંધ દેહનો,જે માબાપની કૃપા એ મેળવાય
મળે દેહ સંતાનનો જીવને,જે જગતપરના આગમનથી સમજાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુબનીકેડી ચાલતી થાય.
મળેલ દેહ સંતાનનો અવનીએ,જેને પુત્ર પુત્રીનો સંબંધ કહેવાય
પવિત્રરાહનો સંગમળે માબાપનીકૃપાએ,નિર્મળભાવનાઆપી જાય
પ્રેમથી વંદન કરતા સંતાનને,આશીર્વાદની વર્ષાએ રાહ મળીજાય
મનથી કરેલ સત્કર્મ જીવનમાં,ઉજ્વળ રાહની કેડીએ લઈ જાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુંબનીકેડી ચાલતી થાય.
પુત્રીનો દેહ મળે જીવને કૃપાએ,જે કુટુંબને સત્માર્ગ આપી જાય
ભક્તિરાહને પવિત્રરાખીને જીવતા,મળેલદેહને સુખશાંન્તિદઈજાય
મળેલદેહને સત્માર્ગે રાખતા,ઉજ્વળ કુળનીરાહ કૃપાએ મળીજાય
મળેલમાબાપના આશિર્વાદેદીકરી,પાવનરાહે કુટુંબઆગળ લઈજાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુબનીકેડી ચાલતી થાય.
=======================================================
August 17th 2017
…
…
. .માબાપની સેવા
તાઃ૧૭/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની અજબલીલા અવનીપર,અનેક અનુભવથી સમજાઇ જાય
પાવનકેડી એ આપે શાંન્તિ જીવનમાં,ના અપેક્ષા કોઇ અડી જાય
.....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય.
કર્મનીકેડી એ તો સંબંધ છે દેહના અવનીએ,જે દેહ મળતા દેખાય
કરેલ કર્મનો સંબંધ એસ્પર્શે જીવને,જે જીવને મળેલ દેહથી સમજાય
અવનીપરનુ આગમન એ કૃપા માબાપની,અવનીપર દેહ આપી જાય
ઉંમરને ના આંબે કોઇ જગતપર,મળેલ દેહના વર્તનથી સમજાઈ જાય
.....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય.
જીવને જકડે છે કર્મના સંબંધ,એજ મળેલ દેહના વર્તનને અડી જાય
પ્રેમ જગતમાં મળે છે દેહને જીવનમાં,જે નિર્મળ જીવનને સ્પર્શી જાય
પ્રેમની નિર્મળરાહે જીવતા પતિપત્નીને,સમયની કેડીએ પ્રેમ મળી જાય
માબાપની લાયકાત મળે જીવનમાં,જે સંતાનના આગમનથી જ દેખાય
.....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય.
======================================================
July 19th 2017
. .વ્હાલા ભઈ
તાઃ૧૯/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપા લઈ આવ્યા છે વ્હાલા અહીં
બમબમભોલે મહાદેવને હિમાલયથી એ હ્યુસ્ટન લઈને આવ્યા ભઈ
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
નિર્મળ ભાવનાથી એ ભક્તિ કરે છે,ને વિશ્વપિતાનો રાખે છે સંગ
અપેક્ષા મોહને દુર રાખીને જીવનમાં,કલાની પણ કદર કરેછે અહીં
અનેક જીવોનો નિખાલસ પ્રેમ લે,નેસંગે વડીલોના મળે આશિર્વાદ
એવી પાવનરાહના અધિકારી દેહને,પ્રદીપ પણ વંદન કરે છે અહીં
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
કલાની પવિત્ર કેડી પકડીને,અનેક દેહોને કલા આપી રહ્યા છે અહીં
એજ માતા સરસ્વતીની અસીમ પવિત્રકૃપા,જે કરેલ કર્મથી સહેવાય
લાગણી મોહ કદી ના સ્પર્શે તેમને,એજ પવિત્ર જીવનની રાહ કહેવાય
ભક્તિની પવિત્રકેડી લઈને કલાનીકેડીએ નાટકપણ કરી જાય છે અહીં
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
===========================================================
હ્યુસ્ટનમાં પરમકૃપાળુ ભોલેનાથની ચીંધેલી રાહે ચાલી પવિત્ર ભક્તિનો માર્ગ
બતાવીને માતા સરસ્વતીની કૃપાએ કલાનીકેડી પકડી અનેક જીવોને પવિત્રમાર્ગ
બતાવી રહેલા શ્રી ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીને પ્રણામ સહિત આ કાવ્ય પવિત્રનાટક
"ગણેશલીલા" નિમીત્તે હ્યુસ્ટનના કલાપ્રેમી તરીકે સપ્રેમ ભેંટ
લી પ્રદીપ બ્રહ્મભટ્ટ
June 19th 2017
...
...
. .સગપણ
તાઃ૧૯/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહ અવનીપર,એ જીવના કર્મના બંધન જ કહેવાય
આગમન ને વિદાયએ જીવના સંબંધ,પરમાત્માની કૃપાએ સચવાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
માનવદેહ મળે જીવને માબાપની કૃપાએ,જે કુટુંબના સંબંધ દઈ જાય
બાળપણ જુવાનીને ઘૈડપણએ સ્પર્શે દેહને,એ સમયથી પરખાઈ જાય
જીવને મળેલ દેહને સગપણ અવનીપર,જે આગમન થતા મળતો જાય
નિર્મળજીવન જીવતા સંગે કૌટુંબીક સંબંધ,એ માનવતાને સ્પર્શી જાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
અનેકદેહ અવનીપર આવે જાય,એ જીવને કર્મના બંધનથી મળી જાય
સગપણ દેહના મળે આગમને,ને પરમાત્માનીકૃપાએ સત્કર્મ દેહથી થાય
પવિત્રકર્મ એ મળેલ દેહને શાંંન્તિ આપે,જે જલાસાંઇની રાહે લઈ જાય
અવનીપર આગમનવિદાયના બંધન છુટે,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
=========================================================
June 5th 2017
. .કુટુંબની કેડી
તાઃ૫/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ અજબકેડી છે,જે જીવનની જ્યોત પ્રગટાવી જાય
કર્મના સંબંધ એ દેહને સ્પર્શે,મળેલ દેહને અનુભવ આપી જાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
મળેલ દેહ જીવને અવનીએ,માબાપ થકી અવનીએ આવી જાય
કુટુંબછે શરીરના સંબંધ અવનીએ,જે પ્રેમની પાવનકેડી દઈ જાય
ભાઈબહેનના પ્રેમની જ્યોત પ્રગટે,જે માબાપની જ કૃપા કહેવાય
પતિપત્નીના સંબંધનીકેડી,એ કર્મનાબંધન પ્રેમાળ જીવનથી દેખાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
શ્રધ્ધા ભક્તિને સમજીને પારખી ભજતા,ભગવાનની કૃપા મળી જાય
અનંતપ્રેમથી જીવને પાવન રાહ મળે,જે દેહના વર્તનથી જ સમજાય
પાવનકર્મની કેડી મળે જીવને,જે કુટુંબમાં દેહનાબંધનથી અડી જાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા,અંતે જન્મમરણને પ્રભુકૃપા મળી જાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
======================================================
May 10th 2017
..
..
. .ચી.દીપલનો લગ્નદીવસ
તાઃ૧૦/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માએ પકડી કેડી દીપલની,ત્યાં પાવનકર્મ જીવનમાં થાય
સાથ મળ્યો ચીંં નિશીતકુમારનો,ત્યાં કુટુંબનીકેડી પકડાઇ જાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
સરળ જીવનની રાહે ચાલતા,જીવનમાં ના કોઇ અપેક્ષા રખાય
પરમાત્માના પ્રેમની રાહે જીવતા,સુખશાંંન્તિની કૃપા મળી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરે છે,માતાને અમારા પ્રેમથી વંદન થાય
માડી તારી કૃપાની કેડીની જ્યોત પ્રગટે,તો જીવને શાંંન્તિ થાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
સંત જલાસાંઇને વંદન કરે પ્રેમથી,જીવનુ કળીયુગથી રક્ષણ થાય
કુળદેવી મા કાળકાની પુંજા કરતા,જીવને ઉજ્વળરાહ મળી જાય
અંતરથી આશિર્વાદ પ્રદીપરમાના,દીકરીદીપલનુ કુળ ઉજ્વળ થાય
મળેકૃપા પરમાત્માની જીવનમાં,જે સંતાનનુ સુખ પણ આપી જાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
=========================================================
વ્હાલી દીકરી ચીં દીપલનો આજે લગ્નદીવસ છે.તે નિમિત્તે જમાઈ
શ્રી નિશીતકુમારને દીપલ સહિત લગ્નદીવસની શુભેચ્છા સહિત મમ્મી,પપ્પા,
ભાઈ રવિના જય જલાસાંઇરામ.