વ્હાલા જમાઈનો જન્મદીવસ
.
. .વ્હાલા જમાઈનો જન્મદીવસ
તાઃ૩૦/૧૦/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની કેડી મળી નિશીતકુમારને,પિતા પંકજભાઈ ને માતા નીલાબેનથી
સંત જલાસાંઇની પરમકૃપાએ મારી દીકરી દીપલના એ જીવનસાથી થઈ જાય
………….એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.
કર્મ ધર્મને સમજી ચાલતા પાવનરાહને પકડી,જીવનમાં નિર્મળરાહે જીવી જાય
દીપલને મળીગયો અનંતપ્રેમ જીવનમાં,જે સુખશાંન્તિના વાદળ વરસાવી જાય
જીવનમાં નાકોઇ અપેક્ષા સ્પર્શે તેમને,કે નાકોઇ મોહ માયા પણ સ્પર્શી જાય
એજ કૃપા માબાપની મળી નીશીતકુમારને,સંગે અમારા આશીર્વાદ મળી જાય
…………એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.
અનંત આનંદ મળે ભાઈ રવિને સંગે ભાભી હિમાને પણ મળે દીપલનો પ્રેમ
પરમાત્માની પરમ કૃપાએ મળે પ્રેમ જમાઈનો,જે પ્રદીપરમાને ખુશ કરી જાય
સંસ્કારને સાચવીને જીવન જીવતા,હ્યુસ્ટનમાં એપાવનરાહને મેળવીને હરખાય
જન્મદીવસની પ્રાર્થના સંત જલાસાંઇને,જે મેળવી ઉજ્વળ જીવન પામી જીવે
………….એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.
======================================================
. .અમારી વ્હાલી દીકરી ચીં.દીપલના જીવનસંગી ચી.શ્રી નિશીતકુમારના જન્મ દીવસની
યાદ રૂપે આ લખાણ તેમને સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ,રમા પરિવારના આશીર્વાદ સહિત જય જલારામ,જય સ્વામીનારાયણ.