May 2nd 2012

જીવનની દોરી

.                        જીવનની દોરી

તાઃ૨/૫/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ જીવને માનવ જીવન,તક સાર્થક જીવનની મળી જાય
નિર્મળ ભાવના રાખી જીવતાં,સૌ આધીવ્યાધીઓ ભાગી જાય
.                           …………………મળેલ જીવને માનવ જીવન.
લાગણી રાખી જીવન જીવતાં,કળીયુગી અસર આવી જ જાય
મોહમાયાની ચાદરને ઓઢતાં,સરળ જીવનની દોરી છુટીજાય
સાથ મળે જ્યાં સાચા સંતનો,માનવ જીવન ઉજ્વળ થઈ જાય
રાજારામની કૃપા નિરાળીપડતાં,રાજારાવણને મોક્ષ મળીજાય
.                          ………………….મળેલ જીવને માનવ જીવન.
અવની પર આવતાં જીવને,પશુપક્ષી પ્રાણીનો દેહ મળી જાય
જીવનનોઆધાર પારકા પર,જે આંટીઘાટીને વ્યાધી દઈ જાય
માનવદેહની કૃપા નિરાળી,જે સાર્થક જીવનનીદોર આપીજાય
ભક્તિ ભાવની રીત છે ન્યારી,આવેલ જીવને મોક્ષ મળી જાય
.                         …………………..મળેલ જીવને માનવ જીવન.

)))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))

April 29th 2012

સંકેત

.                         .સંકેત

તાઃ૨૯/૪/૨૦૧૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ માત્રની પરખ અનોખી,એ ઝટપટ ના પરખાય
વાણી વર્તન સમજી લેતાં,સંકેત વર્તનનો મળી જાય
.                         ………………..જીવ માત્રની પરખ અનોખી.
મળેલપ્રેમ માબાપનો,બાળકને સ્પર્શતા સમજાઇ જાય
પારકા દેહનો સ્પર્શ થતાં,હ્રદયથી ઉંઆ ઉંઆ થઇજાય
દેહથી થતાં વર્તનનેસમજી,મળેલ જીવની પરખ થાય
વાણી સાંભળી જીવનેઓળખે,એ સંકેત પ્રભુનો કહેવાય
.                        ………………..જીવ માત્રની પરખ અનોખી.
આવી બારણે ઉભો રહે,ને ઉમળકો ખોબે ભરી દઈ જાય
લઈલે જીવનનીસરળતાં કાલે,જીવ ભવસાગરેભટકાય
સંકેત દીધો આંગણે આવી,જે કળીયુગમાં ના સમજાય
આનંદને ઉલેચી લેતાં,જીવનમાં દુઃખ સાગર છલકાય
.                       …………………જીવ માત્રની પરખ અનોખી.

***********************************************

April 18th 2012

જીવનમંગળ

.                      જીવનમંગળ

તાઃ૧૮/૪/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રીતની રીત અનોખી જીવનમાં,અનેક રીતે એ દેખાય
મનથી મળતી પ્રીત સાચી,જે જીવન મંગળ કરી જાય
.                      ………………..પ્રીતની રીત અનોખી જીવનમાં.
સુખ સાગર વહે જગતમાં,નિર્મળ ભાવનાએ મેળવાય
માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,ને કૃપાપ્રભુની થાય
સાચી રાહ મળે દેહને કળીયુગે,જે સુખશાંન્તિ દઇ જાય
મોહમાયા પર કાતર ફરતાં,મળેલ જીવન મંગળથાય
.                      ………………..પ્રીતની રીત અનોખી જીવનમાં.
પર દુઃખમાં જ્યાં સાથ મળે,ત્યાં માનવતા મહેંકી જાય
આશિર્વાદની ઉત્તમલીલા,જે સૌ સંગાથીઓઆપીજાય
પરમાત્માથીપ્રેમ કરતાં જીવને,આજન્મ સફળ દેખાય
નામાગળી નાઅપેક્ષા રહે,દેહથીમંગળ કાર્યો થઈજાય
.                      ………………..પ્રીતની રીત અનોખી જીવનમાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

April 17th 2012

અંતરયામી

.                       .અંતરયામી

તાઃ૧૭/૪/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ ચાલવા અણસાર મળે,ને મનમાંય મંથન થાય
સમજણ સાચી કૃપાએમળતાં,અંતરયામી ને ઓળખાય
.                      …………………આગળ ચાલવા અણસાર મળે.
જીવને ઝંઝટ કર્મથી મળે છે,જે વાણી વર્તનથી સમજાય
શ્રધ્ધારાખી જલાસાંઇને ભજતા,અનંત શાંન્તિ મળીજાય
મોહમાયાની ચાદર મોટી,જો કદીક ભુલથી ઓઢાઇ જાય
જન્મોજન્મની સાંકળજ્યાં વળગે,નાકોઇ જીવથી છટકાય
.                      ………………….આગળ ચાલવા અણસાર મળે.
જીવ દેહને સંબંધ છે સીધા,જે કર્મના બંધનથી મેળવાય
મનનેમળેશાંન્તિ અનોખી,જે કૃપાઅંતરયામીની કહેવાય
ભુલી ભુતકાળને જીવનમાં,ત્યાં આવતીકાલ ઉજ્વળથાય
સમજણનો સહવાસ મળતાં,જીવને મોક્ષ માર્ગ મળી જાય
.                         ………………..આગળ ચાલવા અણસાર મળે.

++++++++++++++++++++++++++++++++++++

 

 

April 9th 2012

આવતી વ્યાધી

.                   .આવતી વ્યાધી

તાઃ૯/૪/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં તો ઝંઝટ આવે,ના કોઇથીય એ રોકાય
સમયને સમજી ચાલી લેતાં,ના કોઇથીય ટોકાય
.                             ……………….જીવનમાં તો ઝંઝટ આવે.
માનવ જીવન એ સુખની સાંકળ,દુઃખથી બચાય
ભક્તિ કેરી કેડી પકડતાં,સ્વર્ગીય સુખ મળી જાય
મનને મળતાં અનંત શાંન્તિ,નિર્મળ જીવન થાય
જલાસાંઇની કૃપાએ,આવતી વ્યાધી અટકી જાય
.                            ………………..જીવનમાં તો ઝંઝટ આવે.
અનંત રાહો જીવની સામે.ના કોઇથીય છટકાય
સમજણ મનને સાચી મળતાં,ના માયા અથડાય
આજકાલને પકડી ચાલતાં,સમય સમજાઇ જાય
દેહ છુટતાં અવનીએથી,સ્વર્ગના દ્વાર ખુલી જાય
.                                ……………….જીવનમાં તો ઝંઝટ આવે.

++++++++++++++++++++++++++++++++++++

April 4th 2012

અંતરનો આદેશ

.                   અંતરનો આદેશ

તાઃ૪/૪/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ મનને મળે શાંન્તિ,જ્યાં જીવે જ્યોત પ્રગટાય
અંતરનો આદેશ મળે દેહને,ત્યાં જન્મસફળ થઈ જાય
.                         …………………માનવ મનને મળે શાંન્તિ.
નિર્મળ ભાવના સંગે રહેતાં,જીવને શાંન્તિ મળી જાય
સાર્થક જીવનની કેડી મળતાં,સુખ સાગર મળી જાય
ના માગણીઅપેશા રહેતાં,મળેલ જન્મ સફળ દેખાય
મારા તારાની અગણીત લીલા,દેહથી દુરભાગીજાય
.                        ………………….માનવ મનને મળે શાંન્તિ.
વાણી વર્તન દેહના જીવનમાં,કર્મનાબંધનથી વરતાય
કૃપાની કેડી મળે જીવને,જીવનમાં સદમાર્ગને સચવાય
સાચી શ્રધ્ધા મનથી રાખતાં,જીવથીમુક્તિમાર્ગમેળવાય
પ્રેરણા એતો સંકેત પ્રભુનો,જે અંતરની ઉર્મીથી સમજાય
.                          …………………માનવ મનને મળે શાંન્તિ.

+++++++++++++++++++++++++++++++++++++++

March 22nd 2012

આગળ કે પાછળ

.                         આગળ કે પાછળ

તાઃ૨૨/૩/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ આવતી કાલ છે,અને પાછળ ગઈ ગઈકાલ
સમજી વિચારી ચાલતાં આજે,ભુતકાળ ભુલાઇ જાય
.                                 ………………..આગળ આવતી કાલ છે.
ઉંમરના પકડાય કોઇથી, કે ના કદી કોઇથીય છટકાય
કુદરતની આ સરળ છે લીલા,ના કોઇનાથીય પકડાય
માનવ મનને મહેંક મળે,જ્યાં વાણી વર્તનને સચવાય
ઉજ્વળ આવતી કાલ મળે,ને ના અપેક્ષા ક્યાંય રખાય
.                                 ………………..આગળ આવતી કાલ છે.
ભુતકાળના બ્રહ્મમાં રહેતાં,સુખ સાગર છટકી જ જાય
દુઃખના વાદળ વરસતા દેહે,જીવનમાં ત્રાસ મળી જાય
પ્રભાત પારખી પુંજન કરતાં,જેમ દીવસ ઉજ્વળ થાય
આવતીકાલનો વિચાર લેતાં,દેહે ભુતકાળ ભુલાઇ જાય
.                              ……………………આગળ આવતી કાલ છે.

======================================

March 17th 2012

આગમનના એંધાણ

.                  આગમનના એંધાણ

તાઃ૧૭/૩/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણીવર્તનને વહેવારથી જીવને,એંધાણ આગમનના મળી જાય
કર્મનીકેડી બને સરળનેનિર્મળ,એ પરખ સાચીભક્તિએ થઈજાય
.                                 ………….વાણીવર્તનને વહેવારથી જીવને.
નિત્ય સવારે પુંજનકરતાં,કૃપા સુર્યદેવની જીવપર પ્રેમથી થાય
મનને શાંન્તિ અને તનને રાહત,જીવની શ્રધ્ધા એ જ મળી જાય
સાચીભક્તિ કેડી મળે જીવને,ને જીવનો ઉધ્ધાર અવનીથી થાય
અડગ શ્રધ્ધા મનથી રાખતાં,જીવને મુક્તિના એંધાણ મળી જાય
.                       ……………….. વાણીવર્તનને વહેવારથી જીવને.
સમય સમજીને ચાલતાં જીવનમાં,આધી વ્યાધી અટકી જ જાય
તકલીફનાએંધાણ મળતાં જીવને,ના આફત કોઇ આવીભટકાય
સંસારની સાંકળ પણ બને નિર્મળ,જ્યાં વડીલનો પ્રેમમળી જાય
આગમનના એંધાણ મળતાં જીવનમાં,પગલે પગલું છે પકડાય
.                          ………………વાણીવર્તનને વહેવારથી જીવને.

===========================================

March 12th 2012

કેવી ભક્તિ

.

.

.

.

.

.

.

.

.

.

 

                           કેવી ભક્તિ

તાઃ૧૨/૩/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનું ના ગામ કોઇ અવનીએ,કે નાક્યાંય છે તેનું ધામ
અંતરથી જ્યાં સ્મરણ કરો,ત્યાં મળી જાય જીવને સુખધામ
.                           ……………….ભક્તિનું ના ગામ કોઇ અવનીએ.
નાતજાતના આવે કોઇ દોડી,કે ના કળીયુગના કોઇ જ કામ
પ્રેમભાવથી ભક્તિ કરતાંજ,મળી જાય ઘરમાં સ્વર્ગીય સાંજ
તનમનથી કરતાં જલાસાંઇની પુંજા,કૃપાની કેડી મળી જાય
પાવન કર્મ કરવા જીવનમાં,આ જીવ સાચી કેડીથી સંધાય
.                        ………………….ભક્તિનું ના ગામ કોઇ અવનીએ.
જીવન ઉજ્વળ જીવવા કાજે,જગતમાં ભક્તિ માર્ગ મેળવાય
શ્રધ્ધા શાંન્તિને વિશ્વાસ મળે,ને જીવને રાહ સાચી મળી જાય
બારણે આવે શ્રધ્ધાળુ આજે,જ્યાંનિર્મળભક્તિ  જીવને દેખાય
રામકૃષ્ણનું રટણ કરતાં મનથી,જીવને મુક્તિ માર્ગ મળીજાય
.                        ………………….ભક્તિનું ના ગામ કોઇ અવનીએ.

**********************************************************

 

March 8th 2012

મળે માનવતાનીકેડી

.                   . મળે માનવતાની કેડી

તાઃ૮/૩/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન રાહ મળે,ને  કળીયુગ પણ ભાગે દુર
શ્રધ્ધા રાખીને કર્મ કરતાં,માનવતા મળી જાય જરૂર
.                            ……………….ઉજ્વળ જીવન રાહ મળે.
રિધ્ધિ સિધ્ધિની કૃપા મળે, જ્યાં શ્રી ગણેશજીને પુંજાય
નિર્મળ રાહ મળે જીવનમાં,જીવને ના આફત અથડાય
મળે માર્ગ જીવનમાં સ્નેહના,ને જગે પ્રેમની વર્ષા થાય
માગણીનો નામોહ રહે દેહે,કેડી માનવતાની મળી જાય
.                               ………………ઉજ્વળ જીવન રાહ મળે.
સંગ સાચો મળે દેહને,જે જીવને પાવનકર્મ કરાવી જાય
આશીર્વાદની એક  લહેર મળતાં,સુખ શાન્તિ મળી જાય
મારૂતારૂની માયા મુકતાં,જીવનમાં નિર્મળરાહ મેળવાય
માનવી થઈને જીવન જીવતાં,પાવન કર્મ થતાં જ જાય
.                             …………………ઉજ્વળ જીવન રાહ મળે.

======================================

« Previous PageNext Page »