March 17th 2012

આગમનના એંધાણ

.                  આગમનના એંધાણ

તાઃ૧૭/૩/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણીવર્તનને વહેવારથી જીવને,એંધાણ આગમનના મળી જાય
કર્મનીકેડી બને સરળનેનિર્મળ,એ પરખ સાચીભક્તિએ થઈજાય
.                                 ………….વાણીવર્તનને વહેવારથી જીવને.
નિત્ય સવારે પુંજનકરતાં,કૃપા સુર્યદેવની જીવપર પ્રેમથી થાય
મનને શાંન્તિ અને તનને રાહત,જીવની શ્રધ્ધા એ જ મળી જાય
સાચીભક્તિ કેડી મળે જીવને,ને જીવનો ઉધ્ધાર અવનીથી થાય
અડગ શ્રધ્ધા મનથી રાખતાં,જીવને મુક્તિના એંધાણ મળી જાય
.                       ……………….. વાણીવર્તનને વહેવારથી જીવને.
સમય સમજીને ચાલતાં જીવનમાં,આધી વ્યાધી અટકી જ જાય
તકલીફનાએંધાણ મળતાં જીવને,ના આફત કોઇ આવીભટકાય
સંસારની સાંકળ પણ બને નિર્મળ,જ્યાં વડીલનો પ્રેમમળી જાય
આગમનના એંધાણ મળતાં જીવનમાં,પગલે પગલું છે પકડાય
.                          ………………વાણીવર્તનને વહેવારથી જીવને.

===========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment