March 17th 2020
. .કુદરતની લીલા
તાઃ૧૭/૩/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે અદભુતલીલા અવનીપર,સમયસંગે ચાલતા માનવને દેખાય
મળેલ માનવદેહને સ્પર્શ કરે જીવનમાં,જે અનેક અનુભવને આપી જાય
......એજ અજબલીલા પરમાત્માની કહેવાય,જે માનવતા મહેંકાવી જાય.
કળીયુગની સાંકળ માનવથી પકડાય,જ્યાં સરળ જીવનની રાહે જીવાય
મળે કુદરતનીકેડી દેહને જીવનમાં,જે કોરોના વાયરસથી અનુભવ થાય
માન અને સન્માનને પકડી રાખતા,માનવીને અપેક્ષાનાવાદળ અથડાય
મળેલદેહને સ્પર્શે વાયરસ અવનીએ,જે અનેકદુઃખનો સ્પર્શ આપી જાય
......એજ અજબલીલા પરમાત્માની કહેવાય,જે માનવતા મહેંકાવી જાય.
સતયુગ એ પરમાત્માની કૃપા જીવપર,જે મળેલદેહને પવિત્રરાહે લઈજાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,અનંત શાંંતિની વર્ષા થઈ જાય
કળીયુગ કુદરત સંગે જીવને અપેક્ષા સ્પર્શે,જે માનવદેહને ભટકવી જાય
આફતનો સ્પર્શ થાય દેહને જીવનમાં,જે અનેક રાહે દેહને દુઃખ દઈજાય
......એજ અજબલીલા પરમાત્માની કહેવાય,જે માનવતા મહેંકાવી જાય.
=========================================================
July 7th 2019
. .સમયનો સાથ
તાઃ૭/૭/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પાવનકેડી અવનીપર,જે જીવને સમયથી સમજાય
અજબશક્તિશાળી પરમાત્મા છે,એ સમયનો સાથ આપી જાય
......મળેલ માનવદેહને એ સ્પર્શ કરે,જીવનમાં અનેક અનુભવે દેખાય.
જીવને અવનીપરનો સંબંધ છે,જે ગતજન્મે કરેલ કર્મથી મેળવાય
દેહમળે જીવને ત્યાં ઉંમરમાં,બાળપણ જુવાની ધૈડપણ મળીજાય
સમયને સમજીચાલતા માનવદેહને,અનેક પાવનરાહની પકડ થાય
પરમાત્માની કૃપા મળે દેહને,જે પવિત્રભાવથી પુંજન કરાવી જાય
......મળેલ માનવદેહને એ સ્પર્શ કરે,જીવનમાં અનેક અનુભવે દેખાય.
મળે પ્રેમ સંતાનને માબાપનો,જે મળેલદેહને પાવનરાહે દોરી જાય
ભણતર સંગે ભક્તિનો સંગાથ મળતા,પાવનરાહની સમજણ થાય
જગતપર ના કોઇ જીવની તાકાત છે,કે જે સમયને તરછોડી જાય
સમયનો સાથમળે મળેલ દેહને,જે અનેક પવિત્રકર્મે મુક્તિ દઈજાય
......મળેલ માનવદેહને એ સ્પર્શ કરે,જીવનમાં અનેક અનુભવે દેખાય.
========================================================
June 27th 2019
. .અનુભવની કેડી
તાઃ૨૭/૬/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને અવનીપર,પરમાત્માકૃપાએ અનેક અનુભવ થાય
સમજણનો સંગાથ રાખીને જીવતા,પવિત્રકર્મનો સંગાથ મળી જાય
......જે મળેલદેહના થઈ રહેલ કર્મથી,જીવને અનુભવની કેડીએ સમજાય.
કર્મનોસંબંધ છે દેહને,જે સમયની સાથે મળેલ દેહને એ દોરી જાય
પવિત્રકર્મ થાય માનવજીવનમાં,જ્યાં સંતજલાસાંઇની પાવનકૃપાથાય
નાકોઇ અપેક્ષાની કેડી અડે,કે નાકોઇ મોહમાયા પણ સ્પર્શી જાય
સરળજીવનની રાહ મળે દેહને,જે અંતે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
......જે મળેલદેહના થઈ રહેલ કર્મથી,જીવને અનુભવની કેડીએ સમજાય.
આગમન અવનીપર જીવનુ થાય,જે ગતજન્મે કરેલ કર્મથી મેળવાય
સદમાર્ગથી થયેલ કર્મ માનવદેહને,સુખશાંંતિનો સંગાથ આપી જાય
અદભુતલીલા અવનીપર અવિનાશીની,જે જીવને સદમાર્ગે લઈ જાય
પ્રભુકૃપાએ મળેલદેહને અંતે મુક્તિમળે,જેથયેલકર્મ પ્રેરણા આપીજાય
......જે મળેલદેહના થઈ રહેલ કર્મથી,જીવને અનુભવની કેડીએ સમજાય.
=======================================================
May 23rd 2019
. .સમયનો સંગ
તાઃ૨૦/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને માનવતાનો સંગાથ મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાએ પુંજન થાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહ પર પરમાત્માની કૃપા થઈ જાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
આજકાલને સમજી ચાલતા જીવનમાં,પવિત્ર સમયનો સંગાથ મળી જાય
કુદરતની પાવનકૃપા મળે દેહને,જે મળેલદેહને થઈ રહેલકર્મથીજ દેખાય
સરળરાહ જીવને મળે જગતમાં,એ સંત જલાસાંઇની પાવનરાહ કહેવાય
આવી આંગણે કૃપા મળે પ્રભુની,જે દરેક કર્મને પાવનરાહ સંગે મેળવાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
જીવને મળેલદેહને ઉંમરનો સંગાથરહે,એ સમજણ સંગે જીવન આપીજાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે સત્કર્મના વર્તનથી દેહને સમજાય
સમયના સંગે પ્રેમ લઈને ચાલતા,અદભુતકર્મ કુદરતની કૃપાએ થઈ જાય
સરળ જીવન સંગે પાવનકર્મનો સંગાથ રહે,જે પાવનકૃપાએ સ્પર્શી જાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 23rd 2019
. .પ્રેમાળ જ્યોત
તાં૩૦/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવનુ,જે મળેલ દેહથી જગતમાં ઓળખાય
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,નિર્મળ જીવનથીજ સમજાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય.
અજબલીલા જગતપર પરમાત્માની છે,જે મળેલદેહને સમયે સમજાય
શાંન્તિનો સંગાથ મળે જીવનમાં,જે થઈ રહેલ કર્મથી જીવને દેખાય
પરમાત્માની પાવનરાહે ભક્તિ કરતા,જીવને જીવનમાં અનુભવ થાય
પાવન પ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળભાવથી પુંજા થાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે અનેકનો પાવનપ્રેમ આપી જાય
સરળજીવનની રાહ મળે દેહને,ના કોઇ આફત કે તકલીફ મળી જાય
કરેલ કર્મ જીવનમાં કર્મનો સંબંધ આપી જાય,જે જન્મમરણથી દેખાય
નિર્મળ જીવનનો સંગાથ રહે દેહને,એ પાવનકર્મ થતા જીવન જીવાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 6th 2019
. .શાંન્તિનો સહવાસ
તાઃ૬/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પાવનકેડી જગતપર,અનેક રાહે જીવોને જીવવાની પ્રેરણા આપી જાય
મળે માનવદેહ જીવને પ્રભુકૃપાએ અવનીપર,જીવને શાંંન્તિનો સહવાસઆપીજાય
......શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહને,પવિત્ર રાહે જીવવાની પ્રેરણા પણ મળી જાય.
જીવને મળેલદેહ એ થયેલ કર્મના સંબંધે,અવનીપર આગમન વિદાયથી અનુભવાય
માનવ જીવન એ સરળ જીવનની રાહ આપે,જ્યાં નિર્મળ ભાવનાએ ભક્તિ કરાય
કુદરતની કેડી નિર્મળબને જીવનમાં,જે પાવનરાહે જીવન જીવવાની રાહ દઈ જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,એ નિર્મળ ભાવનાથી જીવતા મળેલ દેહને સમજાય
......શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહને,પવિત્ર રાહે જીવવાની પ્રેરણા પણ મળી જાય.
પવિત્રમાસ અનેક ધર્મમાં મળે જીવોને,જે સમયની સંગે ધર્મ પકડીને જીવન જીવાય
નાકોઇ ચિંતા મળેદેહને કે નાકોઇ જરાહ,જીવને મળેલદેહને મેળવવાની ઇચ્છા થાય
અદભુત પાવનરાહ મળેલ દેહને મળી જાય,જે નિર્મળ શાંંન્તિનો સહવાસ આપીજાય
આગમનવિદાયનો સંબંધનારહે દેહને,એ જીવના પાવનકર્મથી જન્મમરણને છોડી જાય
......શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહને,પવિત્ર રાહે જીવવાની પ્રેરણા પણ મળી જાય.
=================================================================
May 5th 2019
. .ચાવી મળી
તાઃ૫/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની ચાવી મળતા જીવનમાં,અનેક પ્રેમાળ સંબંધીઓનો પાવનપ્રેમ મળી જાય
મળેલદેહને આનંદ મળે અવનીએ,જ્યાં નિર્મળપ્રેમી જીવનમાં આનંદ આપી જાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય.
અવનીપરનુ આગમન એ જીવનો કર્મનો સંબંધ,જે ગત જન્મે કરેલકર્મથી મેળવાય
આગમનવિદાય એ કુદરતનીલીલા અવનીપર,એ જીવને દેહ મળતા સમજાઈ જાય
પવિત્રકૃપા પરમાત્માની જીવપર,એજ જીવને માનવદેહ અવનીપર મળતા સમજાય
જન્મમરણ એ સંબંધ જીવનો અવનીપર,જે કુદરતની અદભુતલીલા પ્રભુની કહેવાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય.
માનવદેહને મળે પ્રેમ પવિત્ર કલમપ્રેમીઓનો,જ્યાં હ્યુસ્ટનમાં પ્રેમીરાહે જીવન જીવાય
આનંદનો સંગાથ મળતા મળેલદેહને,પરમાત્મા કૃપાએ પવિત્ર જીવનનીરાહ મળીજાય
ના મોહ કે માગણીની અપેક્ષા રહે જીવનમાં,એજ સંતજલાસાંઈની પરમકૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની પુંજા કરતા,દેહને અનંતશાંંતિનો સહવાસ પણ મળીજાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય.
=================================================================
May 3rd 2019
. .કળીયુગની કાતર
તાઃ૩/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા છે પરમાત્માની અવનીપર,જે સમયની સાથે સમજણ આપી જાય
ના કોઇ જીવથી છેટકાય જગતપર,એ મળેલદેહને સ્પર્શ આપતા સમજાઈ જાય
......પાવન પ્રેમ ભાવનાથી ભક્તિ કરતા,મળેલ દેહથી કળીયુગની કાતરથી બચાય.
આગમન જીવનુ કર્મના સંબંધે જન્મ મળતા દેખાય,એ માનવ દેહથી સમજાય
કરેલકર્મ એજ જગતપર આગમનજાવન આપીજાય,જે દેહનુ જન્મમરણ કહેવાય
મળેલ માનવ દેહને જ કર્મ મળી જાય,જ્યાં નિખાલસ ભાવનાથી ભક્તિ કરાય
જીવનમાં અનેક કર્મ કરવાના દેહને,પણ શ્રધ્ધાભાવનાથી પરમાત્માની પુંજાથાય
......પાવન પ્રેમ ભાવનાથી ભક્તિ કરતા,મળેલ દેહથી કળીયુગની કાતરથી બચાય.
કર્મને સંબંધ છે કુદરતની લીલાનો,જે જન્મ મળતા સમયની સાથે જીવને મળે
જગતપર અનેક સમયથી પાવનરાહ ચીધે છે,જે સુર્યદેવના પ્રત્યક્ષ દર્શને મેળવાય
પાવન જીવનની રાહ મળે,જ્યાં સવારે પ્રત્યક્ષ સુર્યદેવને અર્ચના કરી વંદન કરાય
અજબશક્તિશાળી છે અવનીપર,જે દેહને સવારસાંજ આપી જીવન જીવાડી જાય
......પાવન પ્રેમ ભાવનાથી ભક્તિ કરતા,મળેલ દેહથી કળીયુગની કાતરથી બચાય.
===============================================================
February 14th 2019
. .લીલા સર્જનહારની
તાઃ૧૪/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સંકેત મળે જીવનમાં,જે સર્જનહારની ક્ર્પાએ સમજાય
અવનીપરના આગમનને પારખતા,જીવના થયેલકર્મના સંબંધથી મેળવાય
......આ સર્જનહારની અજબલીલા જગતપર,જે જીવને જન્મ મરણ આપી જાય.
નિર્મળ ભાવનાનો સંગાથ મળે જીવનમાં,જે સત્કર્મની કેડી પકડાઈ જાય
જીવનુ આગમન વિદાય ધરતી પર,મળેલ દેહથી અવનીપર દેખાઈ જાય
સરળજીવનનો સહવાસમળે દેહને,જે જીવપર સર્જનહારર્ની કૃપા કહેવાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,એ શ્રધ્ધાભાવનાથી ભક્તિએ મેળવાય
......આ સર્જનહારની અજબલીલા જગતપર,જે જીવને જન્મ મરણ આપી જાય.
સમયના પકડાય જગતપર કોઈ દેહથી,એ પરમાત્માની કૃપાથી સમજાય
માનવદેહને સંબંધ છે કર્મનો જીવનમાં,જે માનવદેહના વર્તનથી દેખાય
મળેલદેહની પાવનરાહ સ્પર્શે જીવોને,જે દેહોને પાવનરાહ આપી જાય
ઉજવળ જીવનની પવિત્રકેડી મળે જીવને,એ જલાસાંઈની ક્રુપા કહેવાય
......આ સર્જનહારની અજબલીલા જગતપર,જે જીવને જન્મ મરણ આપી જાય.
============================================================
February 13th 2019
. અનંત વર્ષા
તાઃ૧૩/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સંબંધનો સ્પર્શ થતા,જીવનમાં અનેકકર્મ કરાવી જાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે થયેલ કર્મના સંબંધે અનુભવાય
.....જીવનમા પાવનરાહ મળે દેહને અવનીપર,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષા થાય.
સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે શ્રધ્ધાભાવનાથી ભક્તિ આપી જાય
કર્મનોસ્પર્શ દેહને વાણીવર્તન આપી,અવનીએ આગમન વિદાય દઈ જાય
સમયનો સ્પર્શ દેહને થાય છે જીવનમાં,જે થઈરહેલ કર્મથી સમજાઈ જાય
વડીલના આશીર્વાદનીવર્ષા થાય દેહપર,જે પવિત્રરાહની સેવાએ મેળવાય
.....જીવનમા પાવનરાહ મળે દેહને અવનીપર,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષા થાય.
શુ મળ્યુ ને શુ મળવાનુ ના જન્મમળે સમજાય,એ કુદરતનીલીલા કહેવાય
પરમકૃપાના સંગનો અનુભવથાય,જ્યાં નિર્મળભાવથી જલાસાંઇનીપુંજા થાય
પવિત્રકર્મનો સંગાથમળે દેહને,જે પવિત્ર સંતોએ બતાવેલ ભક્તિએ જીવાય
નાઅપેક્ષા માગણીની કોઇ રાહમળે,જ્યાં પરમાત્માનો અનંતપ્રેમ મળી જાય
.....જીવનમા પાવનરાહ મળે દેહને અવનીપર,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષા થાય.
===============================================================