May 5th 2019

ચાવી મળી

.              .ચાવી મળી                 

તાઃ૫/૫/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમની ચાવી મળતા જીવનમાં,અનેક પ્રેમાળ સંબંધીઓનો પાવનપ્રેમ મળી જાય
મળેલદેહને આનંદ મળે અવનીએ,જ્યાં નિર્મળપ્રેમી જીવનમાં આનંદ આપી જાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય.
અવનીપરનુ આગમન એ જીવનો કર્મનો સંબંધ,જે ગત જન્મે કરેલકર્મથી મેળવાય
આગમનવિદાય એ કુદરતનીલીલા અવનીપર,એ જીવને દેહ મળતા સમજાઈ જાય
પવિત્રકૃપા પરમાત્માની જીવપર,એજ જીવને માનવદેહ અવનીપર મળતા સમજાય
જન્મમરણ એ સંબંધ જીવનો અવનીપર,જે કુદરતની અદભુતલીલા પ્રભુની કહેવાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય.
માનવદેહને મળે પ્રેમ પવિત્ર કલમપ્રેમીઓનો,જ્યાં હ્યુસ્ટનમાં પ્રેમીરાહે જીવન જીવાય 
આનંદનો સંગાથ મળતા મળેલદેહને,પરમાત્મા કૃપાએ પવિત્ર જીવનનીરાહ મળીજાય
ના મોહ કે માગણીની અપેક્ષા રહે જીવનમાં,એજ સંતજલાસાંઈની પરમકૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની પુંજા કરતા,દેહને અનંતશાંંતિનો સહવાસ પણ મળીજાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય.
=================================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment