May 10th 2019

જીવને જકડે

.               જીવને જકડે   

તાઃ૧૦/૫/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જીવને મળેલદેહ એ કુદરતની છે કૃપા,જે અવનીઅર સંબંધ આપી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે મળેલદેહને કર્મનાબંધન આપી જાય
......નિર્મળ જીવનનો સાથ મળતા દેહને,પાવનકર્મનો સંગાથ જીવનમાં મળી જાય.
રઘુપતિ રાઘવ રાજારાજ નો મંત્ર જપતા,જીવનમાં ભક્તિરાહ મળી જાય
સુખસંગે શાંંતિમળે જીવનમાં,જ્યાં નિખાલસતાથી જલાસાંઇની પુંજા થાય
મળેલદેહ એ પરમાત્માની કૃપા જીવ પર,જે જીવને દેહ મળતાજ દેખાય
કરેલકર્મ એ પુર્વ જન્મનાબંધન છે જીવના,જે આગમનવિદાયથી સમજાય
......નિર્મળ જીવનનો સાથ મળતા દેહને,પાવનકર્મનો સંગાથ જીવનમાં મળી જાય.
પવિત્ર કર્મનો સાથ મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળભાવથી ભક્તી કરાય
શ્રધ્ધા ભાવથી ભક્તિની પ્રેરણા મળે દેહને,જે પાવન કૃપા પ્રભુની કહેવાય
મળેલ દેહને શાંંતિ મળતા અનંતકૃપાએ,સત્માર્ગ મળેદેહને સુખ આપી જાય
મુક્તિમાર્ગની રાહમળે કૃપાએ જીવને,જે કરેલ ભક્તિથીજ જીઅને મળી જાય
......નિર્મળ જીવનનો સાથ મળતા દેહને,પાવનકર્મનો સંગાથ જીવનમાં મળી જાય.
=================================================================