May 8th 2019

સુર્યપુત્ર બુધ

.             .સુર્યપુત્ર બુધ   

તાઃ૮/૫/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમ શક્તિશાળી સુર્યદેવ છે જગતપર,જેમના પાવનપુત્ર બુધ કહેવાય
બુધવારના પાવન દીવસે પુંજન કરવા,ૐ બુમ બુધાય નમઃથી પુંજાય
......એ પ્રાર્થનાથી જીવને મળેલ દેહને,જીવનમાં અનંત શાંંતિ મળી જાય.
કર્મની કેડી એ થયેલ કર્મના સંબંધે,જીવને અવનીપર દેહ આપી જાય
માનવદેહ મળે જીવને જે પરમાત્માની પાવનકૃપા જીવપર થઈ કહેવાય
સુર્યદેવને અર્ચનાકરી પ્રભાતેપુંજા કરી,મળેલદેહને પાવનરાહે લઈ જવાય
ભક્તિપ્રેમથીજ જીવને પાવનરાહ મળતા,બુધદેવની પુંજા પ્રેમથીજ કરાય
......એ પ્રાર્થનાથી જીવને મળેલ દેહને,જીવનમાં અનંત શાંંતિ મળી જાય.
સમયને સમજીને ચાલતા જીવનમાં,કળીયુગ કુદરતની કેડીને ઓળખાય
અનેકરાહે અવનીપર જીવને પ્રેરણા મળીજાય,જે થઈરહેલ કર્મથી દેખાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે અનેક દેહોનેય સ્પર્શ કરતી જાય
સરળ જીવનનો સંગાથ મળે દેહને,એ પરમાત્માની કૃપા મળતા સમજાય
......એ પ્રાર્થનાથી જીવને મળેલ દેહને,જીવનમાં અનંત શાંંતિ મળી જાય.
========================================================