May 19th 2019

રામશ્યામ

.                  .રામશ્યામ           

તાઃ૧૯/૫/૨૦૧૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામ કહો કે શ્યામ કહો જીવનમાં,ભારતમાં એ પવિત્રદેહ કહેવાય
શ્રધ્ધા ભાવનાથી સ્મરણ કરતા,જીવપર પરમાત્માની કૃપા થઈજાય
......એજ પવિત્રદેહ ભારતદેશે મેળવાય,જે ભગવાનની કૃપા જ કહેવાય.
પાવનરાહ પકડીને જીવન જીવવા,ભક્તિરાહની દોરને આપી જાય
પરમાત્માએ દેહ લીધો અયોધ્યામાં,જે રાજાદશરથના સંતાન થાય 
સંસારના જીવનમાં પવિત્રકર્મ પકડતા,ધેરથી જંગલમાં ચાલી જાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરી,જ્યાં રાજા રાવનનુ દહનથાય
......એજ પવિત્રદેહ ભારતદેશે કહેવાય,જે ભગવાનની કૃપા જ કહેવાય.
નિર્મળપ્રેમ પકડીનેદેહ લીધો મથુરામાં,જે વ્હાલા કૃષ્ણથી ઓળખાય
સંગાથ મળ્યો પત્ની રૂક્ષમણીજીનો,સંગે રાધીકાનો પ્રેમ મળી જાય
પ્રેમની પરખ આપી ભારતમાં,જે નિખાલસ જીવનસંગે ચાલી જાય
કુદરતે આપાવનરાહ દીધીભક્તોને,જે મળેલ જન્મપાવન કરી જાય
......એજ પવિત્રદેહ ભારતદેશે કહેવાય,જે ભગવાનની કૃપા જ કહેવાય.
========================================================