July 7th 2017
. .અંતરમાં અજવાળુ
તાઃ૭/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવ જીવનની જ્યોત પ્રગટે,જ્યાં નિર્મળ ભક્તિ શ્રધ્ધાએ થાય
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીએ,એજ દેહને પરમશાંન્તિ આપી જાય
.....ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
મળેલ દેહ એ કરેલ કર્મના બંધન છે,ના કોઇ જીવથી કદીય છટકાય
યુગનો સમય એ દેહનેજ સ્પર્શે,જે જીવનમાં થતા કર્મથીજ અનુભવાય
માનવજીવન એજ કૃપા પ્રભુની,શ્રધ્ધા ભક્તિએ જ અંતરને સ્પર્શી જાય
જીવનેસ્પર્શે કર્મદેહના અવનીએ,સત્કર્મથી અંતરમાં અજવાળુ થઈ જાય
.....ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
પવિત્રકર્મનો સ્પર્શ રહે દેહને,જ્યાં પાવનકૃપા પવિત્ર જીવથી મળી જાય
દેખાવની દુનીયાજ દુર રહે,જ્યાં સંત જલાસાંઇથીજ પવિત્રરાહ મેળવાય
ના અભિમાનની દોર મળે જીવને,કે ના દેખાવની ભક્તિ માળા પકડાય
એજ કૃપાપ્રભુની જીવપર,નિર્મળ ભક્તિએ પરમાત્મા આંગણે આવી જાય
.....ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
========================================================
July 4th 2017
....
....
. કુદરતની સાંકળ
તાઃ૪/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરનુ અજવાળુ જીવન ઉજવળ કરી જાય,જે અનુભવથી સમજાઇ જાય
મળેલ પ્રેમનીસાંકળે આ જીવનમાં,પાવનકર્મે જીવને સંબંધ નાવળગી જાય
......એ જ કૃપા અવિનાશીની જગતમાં,મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
અનેક સાંકળ છે ધરતી પર,જે સમય સમયે મળેલ દેહને અડતા સમજાય
ભક્તિમાર્ગની પવિત્ર સાંકળ જગત પર,પરમાત્માની એ કૃપા અપાવી જાય
પવિત્ર રાહે સમય સંગે જીવન જીવતા,દેહને ના કોઇ આફત મળતી જાય
નાઅપેક્ષાએ સાથ મળે સંબંધીઓનો,એજ મળેલ દેહને ઉજવળ કરી જાય
......એ જ કૃપા અવિનાશીની જગતમાં,મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
સમયની સાંકળ નાકોઇથી છટકાય,જે જીવનમાં અનુભવથીજ સમજાઇ જાય
મોહમાયાને વિચારીને અડતા જીવનમાં,જલાસાંઇ કૃપાએ પાવનજીવન જીવાય
સમજણની સાંકળ તોછે નિરાળી,જે અનુભવતા જીવ પાવનરાહે દોરાઈ જાય
કળીયુગ સતયુગ એ કુદરતની લીલા,અવનીપર નિખાલસ જીવનથીજ બચાય
......એ જ કૃપા અવિનાશીની જગતમાં,મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
============================================================
June 26th 2017
...
...
. .શરળતાનો સહવાસ
તાઃ૨૬/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવને,કરેલ કર્મના બંધનથી મળી જાય
પાવનકર્મથી મળે પવિત્રકેડી જીવને,મળેલદેહથી સમજાઈ જાય
.....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય.
અનેક રાહ જીવને મળે અવનીએ,જે પરમાત્માની કૃપા કહેવાય
ભક્તિમાર્ગની સરળરાહે જીવતા,જીવને ના આફત કોઇ અથડાય
નિર્મળ જીવન ને નિખાલસ રાહે,પવિત્ર કર્મ જીવનમાં થઈ જાય
ઉજવળતાની પવિત્ર કેડી,દેહને સરળતાનો સહવાસ આપી જાય
.....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય.
માનવદેહ એ કર્મના સંબંધને સ્પર્શે,જે મળેલ જીવનથી સમજાય
શ્રધ્ધાપ્રેમથી કરેલ પુંજા જલાસાંઇની,દેહને પાવનકર્મ કરાવી જાય
આંગણે આવી કૃપા મળે પરમાત્માની,જે જીવન સરળ કરી જાય
ના માગણીની કોઇ કેડી સ્પર્શે,કે નાકોઇ મોહ પણ સ્પર્શી જાય
.....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય.
======================================================
June 21st 2017
...
...
. .મળેલ કેડી
તાઃ૨૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ દેહ અવનીએ જીવને,એ કરેલ કર્મના સંબંધથી મેળવાય
કર્મબંધન એ જ જકડે છે જીવને,જે આવનજાવન આપી જાય.
.....કુદરતની છે આ અજબલીલા,પરમકૃપાએ જીવને સમજાઈ જાય.
અનેકદેહના બંધન છે જીવને,જે સમયની સાંકળથી સ્પર્શી જાય
માનવદેહ એકૃપા પ્રભુની,જીવને મળેલ કેડીએ રાહ આપી જાય
પાવનરાહે ઉજવળ જીવન થાય,જ્યાં સંતજલાસાંઈની કૃપા થાય
એજ કૃપા પરમાત્માની થઈ,જેજીવને અંતે મુક્તિમાર્ગે દોરી જાય
.....કુદરતની છે આ અજબલીલા,પરમકૃપાએ જીવને સમજાઈ જાય.
લાગણી મોહ સ્પર્શે છે જીવને,એ કળીયુગની કેડીથી અડી જાય
સરળ જીવનની રાહ જ મળે દેહને,જ્યાં સમજીને જીવન જીવાય
ના આશા અપેક્ષા કે માગણી રહે જીવને,જ્યાં પ્રભુનીકૃપા થાય
મળેલ જન્મને સાર્થક કરવા જીવથી,શ્રધ્ધાવિશ્વાસથી ભક્તિ થાય
.....કુદરતની છે આ અજબલીલા,પરમકૃપાએ જીવને સમજાઈ જાય.
====================================================
June 18th 2017
.બંધન જીવના
તાઃ૧૮/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પાવન રાહ મળે જીવને,જે મળેલ દેહને શાન્તિ આપી જાય
સરળ જીવનની જ્યોત પ્રગટતા,જીવને મળેલજન્મ પાવન થઈ જાય
.....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય.
પવિત્રકર્મથી જીવનમાં પ્રભુની ભક્તિએ,અજબકૃપાની વર્ષા થઈ જાય
મળેલદેહને છે કર્મના બંધન,જે અવનીપર આવન જાવનથી સમજાય
કુદરતની આજછે લીલા જગતમાં,જે જીવને જન્મમરણથી સ્પર્શી જાય
ના મોહ કે કોઇ માયા સ્પર્શે દેહને,જે જલાસાંઈની કૃપા એજ દેખાય
.....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય.
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,પળે પળ પરમાત્માની દ્ર્ષ્ટિ થઈ જાય
વિચારના વાદળ દુર રહેતા જીવનમાં,ના આફત કોઇ જીવને અડી જાય
પરમ શાંંતિ મળે જીવને કૃપાએ,જ્યાં સરળપ્રેમ સંબંધીઓનો મળી જાય
રામનામની માળા જપતા જીવનમાં,અનંતકૃપાએ જીવને પાવન કરી જાય
.....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય.
========================================================
June 13th 2017
...
...
. .કૃપાની કેડી
તાઃ૧૩/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે જીવને મળેલ કર્મથી સમજાય
પાવનરાહથી જ્યોતપ્રગટે જીવની,જે પવિત્ર કૃપાની કેડી આપી જાય
......એ જ લીલા છે અવિનાશીની,જગતમાં પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
માનવદેહને સ્પર્શે છે કરેલ કર્મ,એ જીવને મળતી સરળ રાહે દેખાય
કુદરતની આ પવિત્રકેડી જીવપર,માનવદેહને વર્તનથી સમજાઇ જાય
આજકાલ એ સ્પર્શે દેહને જીવનમાં,જે કર્મના બંધનથીજ અનુભવાય
કરેલ કર્મના સંબંધ સ્પર્શેછે જીવને,જે જીવને આવનજાવનથી દેખાય
......એ જ લીલા છે અવિનાશીની,જગતમાં પ્રેમની જ્યોત પ્રગટાવી જાય
સરળજીવનની રાહે ચાલતા જીવનમાં,મળેલદેહને પવિત્રકર્મ મળી જાય
સંત જલાસાંઇની ચીંધેલ આંગળીએ,કરેક કર્મ જીવન પવિત્ર કરી જાય
મહેંક પ્રસરે માનવતાની જીવનમાં,ત્યાં પરમાત્માય પરીક્ષા કરવા પ્રેરાય
આવી આંગણે કૃપા કરે આંગણુ પાવન થાય એજ કૃપાની કેડીકહેવાય
......એ જ લીલા છે અવિનાશીની,જગતમાં પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
=========================================================
June 11th 2017
..
..
. .ભજન કરૂ
તાઃ૧૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને ભજન કરતા,જીવનમાં મનને અનંત શાંંતિ મળી જાય
મળેલદેહને પાવન કરવા અવનીએ,પરમાત્માની ઓળખાણ થઈ જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
પત્થરને પારખી લેતા કળીયુગમાં,દેખાવની દુનીયાથી દુર રહેવાય જાય
મનથી કરેલ ભક્તિ જીવનમાં,પરમાત્માનો અનંતપ્રેમ પણ આપી જાય
શુ કરવુ અને શુ કર્યુ જગતમાં,જે જીવનમાં કર્મના બંધનથી સમજાય
મળે જીવને અનંતપ્રેમ અવનીએ,ના અપેક્ષા કે નામાગણી અડી જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
સફળતાનો સહવાસ મળે જીવનમાં,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
જલાસાંઇની જ્યોત પ્રગટી અવનીએ,જે કરેલકર્મથી જીવોને દોરી જાય
પવિત્રભાવનાથી કરેલ ભક્તિ અને ભજન,જીવને પવિત્રમાર્ગે લઈ જાય
જન્મમરણના બંધન જીવથી છુટતા,પરમકૃપાએ જન્મ મરણ છુટી જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
======================================================
June 2nd 2017
. .કર્મસંબંધ
તાઃ૨/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમકૃપા અવનીપર,કરેલ કર્મના સંબંધ જીવને સ્પર્શી જાય
અનેકદેહ અવનીપર મળે જીવને,જે આગમન વિદાયની કેડીએ સમજાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
માનવ દેહને મળે સમજણ વર્તનની,જે થકી જીવનમાં સમજીને જીવાય
લાગણી મોહ ને વર્તન વાણી સ્પર્શે જીવને,માનવદેહમાં એ અનુભવાય
કુદરતની પાવન કૃપા મળે જીવને,જ્યાં નિખાલસતાએજ જીવન જીવાય
નિર્મળ ભક્તિની રાહ પકડતા જીવનમાં,પુંજન અર્ચન શ્રધ્ધાએ થઈ જાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
સમય પકડવાની તાકાત નાકોઇની જગતમાં,કળીયુગ સતયુગથી દેખાય
કર્મ એ દેહને સ્પર્શે વર્તનથી,જીવનમાં કુદરતની અજબકૃપાએ સમજાય
પ્રેમભાવથી પરમાત્માની પુંજા કરતા,તેમની કૃપાએ જીવતર પાવન થાય
આંગણે આવી ઉજ્વળ સવાર મળતા,દેહને પ્રભાતપણ પાવન મળીજાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
===========================================================
June 1st 2017
. .મળેલ રાહ
તાઃ૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ જીવને અવનીએ,એજ પરમાત્માની કૃપા કહેવાય
અનંત દેહના સંબંધ છે અવનીએ,જે જીવને જન્મ મળે સમજાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
કુદરતની છે અજબલીલાઅવનીએ,નાકોઇ કલ્પના જીવથી રખાય
માનવજીવનના સંબંધએ કર્મ છે,જીવને આવનજાવન આપી જાય
પાવનરાહ મેળવવા જીવનમાં,શ્રધ્ધાએ પરમાત્માની ભક્તિપ્રેમે થાય
નાઅપેક્ષાના કોઇ વાદળ સ્પર્શેદેહને,જ્યાં જલાસાંઇની રાહે ચલાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
દેહ મળે છે જીવને અવનીએ,જે માબાપનો નિર્મળપ્રેમ જ કહેવાય
શ્રધ્ધા પ્રેમને સાચવીજીવતા,મળેલ દેહ સત્કર્મના માર્ગેજ ચાલી જાય
મળે જ્યાં વડીલના આશિર્વાદ દેહને,જીવને નિર્મળરાહ આપી જાય
એજ લીલા પરમાત્માની જીવ પર,જે ધરતીના બંધનને આંબી જાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
====================================================
May 30th 2017
. .સમજણની સાંકળ
તાઃ૩૦/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને અવનીએ,સ્પર્શે કર્મનીકેડી જીવને અનુભવ થાય
સરળ જીવનની રાહ મળે દેહને,જ્યાં પરમાત્માની પાવન કૃપા થાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
કર્મબંધન જગતપર જીવને સ્પર્શી જાય,ના કોઇથી બંધનથી છુટાય
અનેકદેહ મળે અવનીએ જેદેહથી દેખાય,ને સમજણથી અનુભવાય
વાણી વર્તન અને કર્મ એજ માનવીના,જીવનની રાહને આપી જાય
કુદરતની આલીલા અવનીએ સ્પર્શે,જે ઉંમરના બારણા ખોલી જાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
બાળકને સ્પર્શે માબાપનીકૃપા,જે જીવનના પાયા મજબુત કરી જાય
જુવાનીના માર્ગને પકડવા સંતાને,ભણતરની રાહને સમજીનેજ ચલાય
આજકાલને સમજી ચાલતા,મળેલ દેહની આજકાલને પવિત્ર કરી જાય
પવિત્રરાહને પકડીને જીવવા,નિર્મળ ભક્તિનો સંગ રાખતા કૃપા થાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
=======================================================