June 1st 2017
. .મળેલ રાહ
તાઃ૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ જીવને અવનીએ,એજ પરમાત્માની કૃપા કહેવાય
અનંત દેહના સંબંધ છે અવનીએ,જે જીવને જન્મ મળે સમજાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
કુદરતની છે અજબલીલાઅવનીએ,નાકોઇ કલ્પના જીવથી રખાય
માનવજીવનના સંબંધએ કર્મ છે,જીવને આવનજાવન આપી જાય
પાવનરાહ મેળવવા જીવનમાં,શ્રધ્ધાએ પરમાત્માની ભક્તિપ્રેમે થાય
નાઅપેક્ષાના કોઇ વાદળ સ્પર્શેદેહને,જ્યાં જલાસાંઇની રાહે ચલાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
દેહ મળે છે જીવને અવનીએ,જે માબાપનો નિર્મળપ્રેમ જ કહેવાય
શ્રધ્ધા પ્રેમને સાચવીજીવતા,મળેલ દેહ સત્કર્મના માર્ગેજ ચાલી જાય
મળે જ્યાં વડીલના આશિર્વાદ દેહને,જીવને નિર્મળરાહ આપી જાય
એજ લીલા પરમાત્માની જીવ પર,જે ધરતીના બંધનને આંબી જાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
====================================================
No comments yet.