June 7th 2017

આંગણુ પાવન

.          .આંગણુ પાવન

તાઃ૭/૬/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આવનજાવન એ જીવના બંધન,કરેલ કર્મની કેડીએ મળી જાય
સંબંધ એતો છે સંસારનુ સગપણ,જગતમાં ના કોઇથી છટકાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
સિધ્ધીવિનાયકદેવની ભક્તિએ કૃપામળે,એ પાવનરાહે લઈ જાય
કર્મના બંધનએ કરેલ કર્મની કેડી,જીવને દેહ મળતા અનુભવાય
પાવનરાહે ચાલતા અવનીએ,મળેલ જીવનમાં માનવતાય મહેંકાય
કુદરતની આ અસીમ છે કૃપા,જે ધર આંગણે દર્શન આપી જાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
અપેક્ષાના વાદળતો જીવનેઅડે,નિર્મળ જીવનને એદુર રાખી જાય
માનવજીવન એજ કૃપા જલાસાંઇની,જે પવિત્ર રાહે જીવને દેખાય
અનેક જીવોને અન્નદાન આપતાજ,પરમાત્માને એ રાજી કરી જાય
મળે માનવતાની મહેંક જીવનમાં,જ્યાં માનવ થઈને જીવન જીવાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
=======================================================