June 21st 2017
...
...
. .મળેલ કેડી
તાઃ૨૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ દેહ અવનીએ જીવને,એ કરેલ કર્મના સંબંધથી મેળવાય
કર્મબંધન એ જ જકડે છે જીવને,જે આવનજાવન આપી જાય.
.....કુદરતની છે આ અજબલીલા,પરમકૃપાએ જીવને સમજાઈ જાય.
અનેકદેહના બંધન છે જીવને,જે સમયની સાંકળથી સ્પર્શી જાય
માનવદેહ એકૃપા પ્રભુની,જીવને મળેલ કેડીએ રાહ આપી જાય
પાવનરાહે ઉજવળ જીવન થાય,જ્યાં સંતજલાસાંઈની કૃપા થાય
એજ કૃપા પરમાત્માની થઈ,જેજીવને અંતે મુક્તિમાર્ગે દોરી જાય
.....કુદરતની છે આ અજબલીલા,પરમકૃપાએ જીવને સમજાઈ જાય.
લાગણી મોહ સ્પર્શે છે જીવને,એ કળીયુગની કેડીથી અડી જાય
સરળ જીવનની રાહ જ મળે દેહને,જ્યાં સમજીને જીવન જીવાય
ના આશા અપેક્ષા કે માગણી રહે જીવને,જ્યાં પ્રભુનીકૃપા થાય
મળેલ જન્મને સાર્થક કરવા જીવથી,શ્રધ્ધાવિશ્વાસથી ભક્તિ થાય
.....કુદરતની છે આ અજબલીલા,પરમકૃપાએ જીવને સમજાઈ જાય.
====================================================