June 2nd 2020
. .આવ્યો ફાધર ડે
તાઃ૨/૬/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે માબાપનો જીવનમાં,જે સંતાનને સુખશાંંતિ આપી જાય
પાવનરાહ મળતા દેહ પર,એજ પરમાત્માની પરમકૃપા જ કહેવાય
......એજ દેહને મળેલરાહ અવનીપર,ના અપેક્ષા રહે ના આફત મળી જાય.
પવિત્રભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
ઉજવળજીવન જીવી રહ્યાછે,જે સુખશાંંતિના વાદળ વરસાવી જાય
મળે કુટુંબમાં પ્રેમ સંતજલાસાંઇનો,જે પાવનકર્મથી જીવને સમજાય
સગા સંબંધીઓનો સાથ મળે પ્રસંગપર,એ દરેક પળે મળતો જાય
......એજ દેહને મળેલરાહ અવનીપર,ના અપેક્ષા રહે ના આફત મળી જાય.
કળીયુગની આકેડી અમેરીકામાં,જે નિર્મળપ્રેમની ગાથા દુરકરી જાય
માબાપને દુર રાખવાને જીવનથી,અહીંતો ઘરડાઘરમાંજ મુકી દેવાય
મધરડેની રાહ જુએ મમ્મી જીવનમાં,ને ફાધરડેની રાહ પપ્પા જુએ
આજ દેખાવની દુનીયા જગતપર,અહીં આવી ના કોઇથીય છોડાય
......એજ દેહને મળેલરાહ અવનીપર,ના અપેક્ષા રહે ના આફત મળી જાય.
=============================================================
May 1st 2020
. .શાન દુનીયાની
તાઃ૧/૫/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા પરમાત્માની અવનીપર,જીવને દેહ મળતાજ સમજાય
માનવદેહ એજ કર્મનો પવિત્ર સંબંધ,ભારતમાં દેહ આપી જાય
......પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય.
પવિત્રકર્મની કેડી મળે દેહને,જે અજબશક્તિનીરાહ આપી જાય
ભારતદેશ એ શાન છે ગુજરાતીઓની,એપવિત્ર સત્કર્મથી દેખાય
ગુજરાતના રાજ્યની પહેચાન થઇ,મે માસથી સ્થાપના થઈ જાય
દુનીયામાં પ્રસરેલા ગુજરાતીઓજ,સાચી રાહે આંગળી ચીંધી જાય
......પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય.
ગુજરાતીજ શાનછે અમેરીકાની,જે સુર્યચંદ્રની ઓળખ આપી જાય
પાવનજીવનની રાહ મળે ભક્તિધર્મથી,પ્રેરણાએ મંદીર મળી જાય
કર્મધર્મની પાવનરાહમળે દુનીયામાં,જે ગુજરાતીઓની શાનકહેવાય
દીવસની દુનીયામાં ઓળખાણ,જે ગુજરાતનો સ્થાપનાદીન કહેવાય
......પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય.
======================================================
જગતમાં પવિત્રભુમી ભારત કહેવાય જેની ઓળખાણ દુનીયાને થાય.
જીવને મળેલ દેહને સત્કર્મનીરાહ ગુજરાતીઓજ આપે જે શાન આપી જાય.
પહેલી મે એ ભારતમાં ગુજરાતનો સ્થાપના દીવસ જગતમાંય ઓળખાય.
એ નીમિત્તે આ કાવ્ય જગતના ગુજરાતીઓને શાન સ્વરૂપે વંચાવાય.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય ગુજરાત. તાઃ ૧/૫/૨૦૨૦
=======================================================
January 31st 2020
. .જય અંબે માતા
તાઃ/૧૦/૧/૨૦૨૦ (પોષસુદ પુનમ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ મા અંબાનો જન્મદીવસ,પાવનધરતી પર ભક્તોથી ઊજવાય
આરાસુરમાં જન્મ લઈ માતાજી,ગુજરાતની ધરતીને પાવનએજ કરી જાય
......એજ કૃપા માતાના પ્રેમની,જે પોષસુદ પુનમના દીવસે પ્રેમથી પ્રેરી જાય.
વંદન કરી માતાની અર્ચના કરતા,ભક્તોના પ્રેમને માતા પારખી જાય
આવેલ ભક્તોને સંકેત મળે જીવનમાં,અનંત પ્રેમની વર્ષા મેળવી જાય
સત્કર્મની પાવનરાહ મળે જીવનમાં,એજીવને અંતે મુક્તિમાર્ગ દઈ જાય
આરાસુરથી આણંદ આવીને માતાજી,પ્રદીપના પરિવારપરકૃપા કરીજાય
......એજ કૃપા માતાના પ્રેમની,જે પોષસુદ પુનમના દીવસે પ્રેમથી પ્રેરી જાય.
મળે માતાનોપ્રેમ શ્રધ્ધાભક્તિએ જીવનમાં,જે સદમાર્ગની રાહે લઈ જાય
પાવનકર્મની કેડીમળે જીવનમા,જે અંબામાતાની અસીમકૃપાએ મેળવાય
દેહલઈને માતા આવ્યા અવનીપર,જે ભક્તોપર પાવનકૃપાપણ દઈ જાય
અજબ શક્તિશાળી ધરતી છે ભારત,જ્યાં પવિત્રદેહ લઈ કૃપા કરી જાય
......એજ કૃપા માતાના પ્રેમની,જે પોષસુદ પુનમના દીવસે પ્રેમથી પ્રેરી જાય.
=================================================================
October 7th 2019
. .માતા સિધ્ધીદાત્રી
તાઃ૭/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુર્ગા માતાનો પ્રેમ મળે ભક્તોને,નવરાત્રીના નવ દીવસે મેળવાય
પાવનપ્રેમની રાહમળે જીવનમાં,જ્યાં ગરબારાસથી માતાને પુંજાય
......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમાં દુર્ગામાની કૃપાએ મળી જાય.
ગરબે રમતા ભક્તોની ભાવના પારખી,નવદુર્ગા માતા રાજી થાય
સુખશાંંતિનો સંગાથ મળે જીવનમાં,જે માતાની પરમકૃપા કહેવાય
દાંડીયા રાસનો સંગ રાખીને ગરબે ધુમતા,માતા નવદુર્ગા હરખાય
કૃપામળે માતાની નરનારીને,જે માડીને તાલીપાડી વંદન કરી જાય
......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમા દુર્ગામાની કૃપાએ મળી જાય.
માતા સિધ્ધીદાત્રીને વંદન કરી પાર્થના કરતા,સંસારમાં સુખી થવાય
માબાપને પ્રેમમળે સંતાનનો,જે જગતપર પરિવારને આગળ લઈજાય
પરમકૃપા છે માતાની ભક્તોપર,એ પવિત્રસમયનો સાથ આપી જાય
નવરાત્રીની અદભુતલીલા જગતપર,જે પાવનભક્તિરાહથી મળી જાય
......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમા દુર્ગામાની કૃપાએ મળી જાય.
=========================================================
October 6th 2019
. માતા મહાગૌરી
તાઃ૬/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં માતાને વંદન થાય
પ્રેમ ભાવથી માતાને નવરાત્રીએ,ગરબે ઘુમી રાસદાંડીયા રમાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,અનેક પાવન સમય મળી જાય
કુદરતની આ પાવનલીલા અવનીપર,જે પવિત્રરાહેજીવને દોરી જાય
પ્રેમભાવથી માતાને રાજી કરવા,તાલીઓના તાલે ગરબાઓ ગવાય
નવદીવસની નવરાત્રીમાં મા દુર્ગાના,નવ સ્વરૂપનુ પુંજન થઈ જાય
એજ પવિત્રકૃપા માતાની,જે ભક્તોને ગરબારાસથી રાહ આપીજાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,અનેક પાવન સમય મળી જાય
તાલીપાડી માતાને વંદનકરતા,માતા મહાગૌરીની કૃપા જીવ પર થાય
મળેલદેહને અનંતશાંંતિનો સંગાથ મળે,ના કોઇજ આફત અડી જાય
પરમકૃપાળુ શક્તિશાળી મા દુર્ગાના,નવ સ્વરૂપના દર્શન કરી પુંજાય
ગરબારાસનો સંગ રાખી માભક્તો,જીવનમાં અનંત સુખ મેળવી જાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,અનેક પાવન સમય મળી જાય
=====================================================
October 5th 2019
..
..
. .માતા કાલરાત્રી
તાઃ૫/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના પવિત્ર દીવસોએ,માતાને ગરબે ઘુમી વંદન કરાય
તાલી પાડીને ગરબે ઘુમતા,માતા કાલરાત્રીને રાજી કરી જાય
....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય
દુર્ગા માતાની પાવનકૃપા અવનીપર,નવમાતાના સ્વરૂપે દેખાય
પવિત્ર સમય મળેલ દેહને મળે,એ હિંદુ ધર્મમાં જ પુંજન કરાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા,પરમાત્માનો પ્રેમ પણ મળી જાય
દેહલીધો અવનીપર જીવોએ,જે પવિત્ર દેવદેવીઓથી ઓળખાય
....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય
દાંડીયારાસ સંગે તાલી પાડતા ભક્તો,મળેલ સમયને પકડી જાય
પવિત્ર દેહ લીધા માતા દુર્ગાએ અવનીપર,જે નવ સ્વરૂપે દેખાય
પાવનરાહની કેડી મળે દેહને,જે જીવનમા પવિત્ર કર્મ કરાવી જાય
નિર્મળભાવે વંદન કરવા માતાને,તાલી દાંડીયા રાસથી હરખાવાય
....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય
=====================================================
October 4th 2019
. .માતા કાત્યાયની
તાઃ૪/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દાંડીયારાસ સંગે તાલી પાડીને,ભક્તો માતાને વંદન કરી જાય
મંદીર આંગણેઆવી ગરબેઘુમી,નરનારી જીવનપાવન કરી જાય
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
નવદુર્ગા માની કૃપા ભક્તોપર,એ માતા કાત્યાયની નમન કરાય
અનંત કૃપા માતા અવનીપર,જે નવરાત્રીમાં નવ સ્વરૂપે પુંજાય
તાલીસંગે દાંડીયા રમતા ભક્તોપર,માતાનો પરમપ્રેમ મળી જાય
પાવનકૃપા મળે જીવને,જે દેહને જીવને અનંતશાંંતિ આપી જાય
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય
નિર્મળ ભાવથી ગરબા રમતા,નવરાત્રીમાં દંડીયારાસ પણ રમાય
ગરબે ઘુમતા તાલીપાડતા ભક્તોને,માતાનીકૃપાનો અનુભવ થાય
સરળજીવનની રાહ મળે દેહને,જે જીવને સદમાર્ગે જ દોરી જાય
પ્રદીપના વંદન નવદુર્ગામાતાને,જે શ્રધ્ધાપ્રેમથી નમન કરાવી જાય
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
=======================================================
October 4th 2019
. .સ્કંદ માતા
તાઃ૪/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય માતાજી જય માતાજી ગાતા,ભક્તો દાંડીયા રાસ રમી જાય
પાવનકૃપા મળી માતાની,જીવનમાં સંતાનનુ આગમન થઈ જાય
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
દુર્ગામાતાની પરમકૃપા ભક્તોપર,નવરાત્રીએ નવદુર્ગાનીપુંજા થાય
દાંડીયા રાસનો સંગ મળે નરનારીને,માતાને ગરબારાસથી પુંજાય
રૂમઝુમ તાલી પાડતા જ,પાવનકર્મની રાહ જીવનમાં મળી જાય
નવરાત્રીના પાંચમા નોરતે,સ્કંદમાતાને ગરબે ધુમીને વંદન કરાય
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
તાલીઓના તાલ સંગે વંદનકરી માતાને,શ્રધ્ધાભાવથી પુંજા કરાય
અનંતકૃપાળુ માના દર્શન નવરાત્રીએ કરી,માતાની કૃપા મેળવાય
ભક્તિભાવનો સંગ માતાની ક્રૂપાએમળે,જે પાવનકર્મ આપી જાય
અનંત નિખાલસ પ્રેમ સંગે,તાલીઓના તાલે માતાને વંદન કરાય
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
=====================================================
October 3rd 2019
. મા કુશમંદા
તાઃ૩/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજવળ જીવનની રાહ મળે ભક્તોને,મા નવરાત્રીએ પુંજાય
ગરબે ઘુમી તાલી પાડીને,માતા કુશમંદાને પ્રેમે વંદન થાય
......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.
તાલી પાડતા ભક્તજનો માતાને વંદન કરી,પુંજા કરતા જાય
ગરબે ઘુમવા આવતા નર અને નારી,તાલીસંગે ઘુમતા જાય
દાંડીયા રાસનો સંબંધ રાખીને,માતાનો પ્રેમપણ મેળવી જાય
પવિતદીવસ એજ નવરાત્રીછે,જે દુર્ગામાતાના નવરૂપે દેખાય
......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.
તાલીઓના તાલસંગે સૌ ભક્તો,માતાને વંદનકરી ઘુમતા જાય
પરમકૃપાળુ મા કુશમંદાનો પ્રેમમળે,જ્યાંનિર્મળભાવેગરબાગવાય
ગરબેઘુમતા ભક્તજનો અંતરથી વંદનકરી,માતાને વંદનકરીજાય
દુર્ગામાતાના નવસ્વરૂપને,નવરાત્રીમાં ગરબા રાસે પુંજન કરાય
......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.
====================================================
October 2nd 2019

. .મા ચંદ્ર ઘંટા
તાઃ૧/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારો પ્રેમ મળે ભક્તોને,જે ગરબા રાસ રમાડી જાય
પાવનરાહની કેડી મળતા જીવનમાં,નવરાત્રીએ વંદન થાય
....ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ઘંટાને ગરબે ઘુમીને પુંજાય.
સરળ જીવનનીરાહ પકડે કૃપાએ,જે તાલીઓના તાલે ઘુમાય
માડી તારા દર્શન કરવા,માતા દુર્ગાને શ્રધ્ધાએ અર્ચના કરાય
ગરબે ઘુમવા ઢોલ નગારા વાગતાજ,તાલીસંગે ગરબા ગવાય
અનંત કૃપાળુ સંગે અનંત શક્તિ શાળી,માતાને વંદન કરાય
....ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ધંટાને ગરબે ઘુમીને પુંજાય.
શ્રધ્ધાભક્તિથી વંદન કરતા,માતાને ગરબા સંગે પુંજન કરાય
મોહમાયાને દુર રાખતા,જીવનમાં સતમાર્ગની કેડી મળી જાય
અદભુત શક્તિશાળી માતાના સ્વરૂપથી ભક્તિની પ્રેરણાથાય
મળેલ દેહપર માતાની કૃપા થતા જ,સદમાર્ગે જીવન જીવાય
...ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ઘંટાને ગરબે ઘુમીને પુંજાય.
=================================================