October 4th 2019
. .સ્કંદ માતા
તાઃ૪/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય માતાજી જય માતાજી ગાતા,ભક્તો દાંડીયા રાસ રમી જાય
પાવનકૃપા મળી માતાની,જીવનમાં સંતાનનુ આગમન થઈ જાય
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
દુર્ગામાતાની પરમકૃપા ભક્તોપર,નવરાત્રીએ નવદુર્ગાનીપુંજા થાય
દાંડીયા રાસનો સંગ મળે નરનારીને,માતાને ગરબારાસથી પુંજાય
રૂમઝુમ તાલી પાડતા જ,પાવનકર્મની રાહ જીવનમાં મળી જાય
નવરાત્રીના પાંચમા નોરતે,સ્કંદમાતાને ગરબે ધુમીને વંદન કરાય
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
તાલીઓના તાલ સંગે વંદનકરી માતાને,શ્રધ્ધાભાવથી પુંજા કરાય
અનંતકૃપાળુ માના દર્શન નવરાત્રીએ કરી,માતાની કૃપા મેળવાય
ભક્તિભાવનો સંગ માતાની ક્રૂપાએમળે,જે પાવનકર્મ આપી જાય
અનંત નિખાલસ પ્રેમ સંગે,તાલીઓના તાલે માતાને વંદન કરાય
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
=====================================================
No comments yet.