October 20th 2019

આઝાદ ભારત

.               . આઝાદ ભારત    

તાઃ૨૦/૧૦/૨૦૧૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શુરવીરોનો જ્યાં સાથ મળે,ત્યાં અજબશક્તિ મળી જાય
ભારતદેશને આઝાદી,શુરવીરોના સંગાથથીજ મળી જાય
.....એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય
અંગ્રેજોની તાકાત હતી,જે જગતમાં સત્તાએ દખાઈ જાય
ના કોઇની લાયકાત હતી જગતમાં,કે તેમને આંબી જાય
શુરવીરોનો સંગાથ મળતા,ભારતને આઝાદીએ લઈ જાય
મહાન આત્મા ગાંધીજીનો,જે દેશમાં મહાત્માએ ઓળખાય
......એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય
સરદાર હતા વલ્લભભાઈ,જેને ગુજરાતની શાન કહેવાય
આંબી લીધા અંગ્રેજોને દેશમાં,ભારત છોડીને ભાગીજાય
મળીગઈ આઝાદીદેશને,જે દેશવાસીઓને ખુશકરી જાય
માનઅને સન્માન ગુજરાતીઓનુ,ના કોઇથી તેને અંબાય
......એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
================================================