October 7th 2019
. .માતા સિધ્ધીદાત્રી
તાઃ૭/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુર્ગા માતાનો પ્રેમ મળે ભક્તોને,નવરાત્રીના નવ દીવસે મેળવાય
પાવનપ્રેમની રાહમળે જીવનમાં,જ્યાં ગરબારાસથી માતાને પુંજાય
......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમાં દુર્ગામાની કૃપાએ મળી જાય.
ગરબે રમતા ભક્તોની ભાવના પારખી,નવદુર્ગા માતા રાજી થાય
સુખશાંંતિનો સંગાથ મળે જીવનમાં,જે માતાની પરમકૃપા કહેવાય
દાંડીયા રાસનો સંગ રાખીને ગરબે ધુમતા,માતા નવદુર્ગા હરખાય
કૃપામળે માતાની નરનારીને,જે માડીને તાલીપાડી વંદન કરી જાય
......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમા દુર્ગામાની કૃપાએ મળી જાય.
માતા સિધ્ધીદાત્રીને વંદન કરી પાર્થના કરતા,સંસારમાં સુખી થવાય
માબાપને પ્રેમમળે સંતાનનો,જે જગતપર પરિવારને આગળ લઈજાય
પરમકૃપા છે માતાની ભક્તોપર,એ પવિત્રસમયનો સાથ આપી જાય
નવરાત્રીની અદભુતલીલા જગતપર,જે પાવનભક્તિરાહથી મળી જાય
......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમા દુર્ગામાની કૃપાએ મળી જાય.
=========================================================
No comments yet.