March 26th 2017

શ્રધ્ધાની સાંકળ

Image result for માડી તારા ગરબા
.            શ્રધ્ધાની સાંકળ    

તાઃ૨૬/૩/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે આરાધના,જે શ્રધ્ધાની સાંકળ કહેવાય
પ્રગટે જ્યોત મળેલજીવનની,જ્યાં માતાની પવિત્રકૃપા થઈજાય
.......આગમન અવનીપર છે જીવનું,જે જીવનમાં દેહને સ્પર્શી જાય.
ભજન ભક્તિનોમાર્ગ અનેરો,જ્યાંજીવનમાં અંતરથી પુંજા થાય
ના અપેક્ષાની કોઇ કેડી જીવનમાં,ત્યાં પરમાત્માની કૃપા થાય
માડી તારા ગરબાએ ઘુમતા,સમયે તાલીઓના તાલને પકડાય
પાવનકૃપા મા તારી સ્પર્શે,જે કળીયુગના બંધનને તોડી જાય
.......આગમન અવનીપર છે જીવનું,જે જીવનમાં દેહને સ્પર્શી જાય.
મા માવડીના ઘુંઘટ ગાજે,જ્યાં મંજીરાનાતાલ પણ મળી જાય
આંગણે આવી માદર્શન આપે,એ જ શ્રધ્ધાની સાંકળ થઈજાય
મળે પ્રદીપને પ્રેમ માડીનો,એજ પાવન કર્મનીકેડી આપી જાય
શ્રધ્ધારાખી સ્મરણ કરતા,રમા,રવિ,દીપલ પણ સુખી થઈ જાય
.......આગમન અવનીપર છે જીવનું,જે જીવનમાં દેહને સ્પર્શી જાય.
====================================================
March 23rd 2017

ગરબાનો રણકાર

Image result for ગરબે ઘુમતાં
.          .ગરબાનો રણકાર  

તાઃ૨૩/૩/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

તાળી પાડીને ગરબે ઘુમતાં,મા તારા ઝાંઝરીયા સંભળાય
જીવને મળે છે અનંતશાંન્તિ,નવરાત્રીએ તારી પુંજા થાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
માનવજીવનની માયા લાગતા,જીવથી માનવદેહ મેળવાય
અવનીપર આગમને,મા તારા ગરબાનો રણકાર સંભળાય
શ્રધ્ધા સંગે માળા જપતા,જીવને ઉજવળ રાહ મળી જાય
એજકૃપા માડીનીમળતા,દેહના જન્મમરણ પાવનકરી જાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
અનેકરૂપો મળ્યા માડીના,જીવને પવિત્રરાહ આપી જાય
ભક્તિભાવથી અર્ચન કરતાં,મળેલ દેહ પાવન થઈ જાય
મોહમાયાની આશા છુટે જીવની,જ્યાં માતારી કૃપાથાય
પાવનકર્મ ને પવિત્રકેડીએ,ગરબાની રમઝટ મળી જાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
================================================

	
March 23rd 2017

માડી આવે (નવરાત્રી)

Image result for નવરાત્રી ના ગરબા
.          .માડી આવે  
            (નવરાત્રી)
તાઃ૨૩/૩/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર તહેવાર હીંન્દુ ધર્મનોછે,જે નવરાત્રીથી ઉજવાય
માતાના અનેક સ્વરૂપનુ આગમન,ગરબે ઘુમાવી જાય
.......તાલીઓના તાલે રહીને,માને રાજી કરવા ભક્તો સૌ હરખાય.
પાવાગઢથી ઉતરે માકાળકા,ને આરાશુરથી મા અંબા
ખોડીયારમાના પાવનપગલે,અવનીપર પવિત્રકર્મ થાય
અનેક સ્વરૂપ માતાના દેખાય,જે નામથી પુંજા થાય
આવી નવરાત્રીએકૃપા માતારી,આજીવન પવિત્ર થાય
.......તાલીઓના તાલે રહીને,માને રાજી કરવા ભક્તો સૌ હરખાય.
મંજીરાની મહેંકપ્રસરે,ભક્તો તાલીઓનાતાલે ઘુમી જાય
શ્રધ્ધા રાખી માતાને સ્મરણતા,સમય ગરબાથી પકડાય
રીધ્ધી સિધ્ધીના બંધન સ્પર્શે,માનવજીવન મહેંકી જાય
અજબ દયાળુ માતાનીકૃપાએ,આજન્મસફળ થઈ જાય
.......તાલીઓના તાલે રહીને,માને રાજી કરવા ભક્તો સૌ હરખાય.
==================================================
March 19th 2017

ઉગમણી પ્રભાત

Image result for સુર્યદેવ

.           .ઉગમણી પ્રભાત       

તાઃ૧૯/૩/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યદેવનુ આગમન અવનીએ,ઉજવળ પ્રભાત આપી જાય
જગતપર જીવતા જીવોને,મળેલ દેહથી સંધ્યાપ્રભાત દેખાય
......અજબ શક્તિશાળી સુરજદાદા,જીવોને પવિત્રરાહ આપી જાય.
મમતા છે માયાના બંધન,જે જીવને કરેલ કર્મથી સમજાય
પ્રેમપરમાત્માનો મળે દેહને,જ્યાં શ્રધ્ધાએ પુંજનઅર્ચન થાય
પાવનકર્મનીકેડી સ્પર્શેદેહને,જે નિર્મળભક્તિએ જ મેળવાય
અસીમકૃપા અવિનાશીની જગતમાં,સવારસાંજ આપી જાય
......અજબ શક્તિશાળી સુરજદાદા,જીવોને પવિત્રરાહ આપી જાય.
મળેલ માનવદેહ અવનીએ,પ્રભુકૃપાએ પાવનકર્મ કરી જાય
અંતરમાં નાકોઇ અભિલાષા સ્પર્શે,કેનાકોઇ મોહ મેળવાય
પ્રભાતે ૐ હ્રી સુર્યાય નમઃ બોલીને સુર્યદેવને અર્ચના થાય
મળેકૃપા અવિનાશીની જીવનમાં,જીવને મુક્તિરાહે દોરીજાય
......અજબ શક્તિશાળી સુરજદાદા,જીવોને પવિત્રરાહ આપી જાય.
==================================================

 

 

March 10th 2017

હોળી

........
.              હોળી     

તાઃ૧૦/૩/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર તહેવાર હિંદુ ધર્મનો,આવી ગયો અમેરીકા
મનથી શ્રધ્ધા રાખીને ઉજવતા,પ્રસંગ મળી જાય
........એજ શ્રધ્ધા છે ધર્મની,જે જગતમાં પ્રેમથી ઉજવાય.
માનવતાની મહેંકપ્રસરે જગતમાં,શ્રધ્ધાએ દેખાય
પ્રેમ ભાવે અર્ચના કરતા,હોળીનુ દહન પુંજન થાય
સુખદુખના ના વાદળ સ્પર્શે,પરમાત્માની કૃપા થાય
ધર્મપ્રેમની શ્રધ્ધાએજીવને,પવિત્ર તહેવાર મળીજાય
.........એજ શ્રધ્ધા છે ધર્મની,જે જગતમાં પ્રેમથી ઉજવાય.
પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પરમાત્મા આવી જાય
રામ કૃષ્ણનાદેહ થકી,દ્વારકા અયોધ્યામાં જન્મી જાય
કર્મની પવિત્રકેડી મળે જીવને,જે મુક્તિમાર્ગ દઈ જાય
પવિત્રહોળી ઉજવતાઅહીં,પરમાત્માની કૃપા થઈજાય
.........એજ શ્રધ્ધા છે ધર્મની જે જગતમાં પ્રેમથી ઉજવાય.

==============================================

 

February 24th 2017

હર હર મહાદેવ

                        હર હર મહાદેવ   

તાઃ૨૩/૨/૨૦૧૭                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

બમ બમ ભોલે મહાદેવ સંગ,હર હર મહાદેવનુ સ્મરણ થાય
પાર્વતી પતિ ભોલેનાથનુ,ઑંમ નમઃ શિવાયથી પુંજન થાય
……..શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
પવિત્ર કેડી જીવને મળે જગતે,જ્યાં  ભોલેનાથની પુંજા થાય
નિર્મળભાવના સંગે રાખતા,માતાપાર્વતીનીય કૃપા મળી જાય
અજબશક્તિશાળી અવિનાશી,પવિત્ર ગંગા અવનીને દઇ જાય
એજ પિતા શ્રીગણેશજીના,જે જગતમાં શંકર ભગવાન કહેવાય
………શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
અનેકસ્વરૂપ ભોલેનાથના અવનીએ,જેનુ શ્રધ્ધાએ પુંજન થાય
ભક્તિભાવની નિર્મળરાહે વંદન કરતા,પરમાત્માની કૃપા થાય
ગૌરીનંદન ગજાનંદનીકૃપાએ,માનવજીવનની મહેંક પ્રસરીજાય
એજ અજબ પિતા ભોલેનાથ છે,મહા શીવરાત્રીએ વંદન થાય
…………શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
===========================================

November 7th 2016

જલારામ જ્યોત

……..Copy of Jalaram………

.               . જલારામની જ્યોત

તાઃ૭/૧૧/૨૦૧૬    (કારતક સુદ ૭)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની પામતા,એ જન્મ સફળ કરી  જાય
કારતકસુદ સાતમને દીવસે,દેહધરી અવનીએ આવી જાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય. ભક્તિની ઉજ્વળ કેડીને દીધી,જ્યાંઅન્ન જીવોને દેવાઈ જાય માનવતાની મહેંક પ્રસરીજીવનમાં,જ્યાં વિરબાઈ મળીજાય
રામનામની માળા  જપતા,જીવનમાં કર્મની રાહ પકડી જાય
અનેક જીવોને ભોજન દેતા,પવિત્રકર્મનો સંગાથ મળી જાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય.
કર્મનીકેડી પકડી પ્રેમથી,જ્યાં  પરમાત્મા પણ રાજી થઈ જાય આંગણે આવી સંતોષ મેળવતા જીવોથી,પાવનરાહ મળી જાય અવનીપરના આગમનને સમજવા,સાચીભક્તિરાહ મળી જાય વિરબાઈમાતાના સંસ્કાર સાચા,પતિને પરમાત્મા બતાઈજાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય. =================================================

સંત પુજ્ય જલારામબાપાનો આજે કારતક સુદ સાતમ એ જન્મદીવસ છે
તે પવિત્ર દીવસની યાદ રૂપે આ પ્રાસંગીક કાવ્ય તેમની સેવામાં અર્પણ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ પરીવાર સહિત વંદન સહિત પ્રણામ.

September 9th 2016

નિર્મળરાહ નવીનભાઈની

navin

 

.

.

.

.

.

.

.

.            . નિર્મળરાહ નવીનભાઈની

તાઃ૧૦/૯/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ઉજ્વળ જીવનની રાહ પકડી,હ્યુસ્ટન  આવ્યા વ્હાલા નવીનભાઈ
પ્રેમનિખાલસ લઈ જીવનસંગીની,બકુલાબેનને સંગે લાવ્યા અહીં
……….. એવી પવિત્રરાહે જીવતા નવીનભાઈ,૭૫ વર્ષના થઈ ગયા અહીં.
મોહમાયાને દુર રાખતા જીવનમાં,સંબંધીઓનો પ્રેમ મળી જાય
નામાગણી કે કોઇ અપેક્ષારાખતા,અનેકનો પ્રેમ નિખાલસ થાય
ઉંમરને નાઆંબી શકે કોઇ,કે ના કોઇથી જીવનમાં કદી છટકાય
પ્રાર્થના જલાસાંઇને પ્રદીપની,નવીનભાઈ હજારોવર્ષ જીવી જાય
…..…… એજ સંબંધીઓની અર્ચના પરમાત્માને,સુખસંપત્તિની વર્ષા થાય.
નિર્મળ પ્રેમ મળે દેવીકાબેનનો,સંગે કોકીલાબેનનો મળી જાય
અનંતપ્રેમની વર્ષાએજ, નવીનભાઈની જગતમાં નામના થાય
બકુલાબેનનો સાથ જીવનમાં,પત્નીનો પવિત્રસંગ આપી જાય
જય શ્રી કૃષ્ણના સ્મરણથી જીવનમાં,પરમાત્માની કૃપા થાય
………..એજ નિખાલસ ઉજ્વળ જીવનથી,તેમની હ્યુસ્ટનમાં નામના થાય.

************************************************************
.          પુજ્ય શ્રી નવીનભાઈને આજે ૭૫ વર્ષની ઉંમરને નમસ્કાર કરતા હ્યુસ્ટનના પ્રેમીઓ
તેમને અમૃત મહોત્સવનો ઉજવણીનો કાર્યક્રમ ગોઠવી તેમનુ સન્માન કરે છે તે નિમિત્તે
આ કાવ્ય જયજલારામ જય સાંઇરામ જય શ્રીકૃષ્ણ સહિત સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ,રમા બ્રહ્મભટ્ટ,રવિ બ્રહ્મભટ્ટ.

August 30th 2016

જન્મદીનની શુભેચ્છા

    ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી,અમદાવાદ

.                       .  H.L.Trivedi

.                     જન્મદીનનીશુભેચ્છા

 .                      (૩૧ ઑગસ્ટ ૧૯૩૨)

તાઃ૩૧/૮/૨૦૧૬                         પ્રદીપ બ્રહ્મભટ્ટ(હ્યુસ્ટન)

પરમકૃપા પરમાત્માની છે,જ્યાં નિર્મળ જીવન જીવાય
પ્રેમ મળે સગા સંબંધીઓનો,જે જન્મદીવસથી ઉજવાય
………..એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.
મળ્યો પ્રેમ માતા શારદાબાનો,જીવનમાં સુખશાંન્તિ દઈ જાય
રાહ મળી પિતા લક્ષ્મીશંકરથી,એ ભણતરની કેડીએ દેખાય
પાવનરાહે જીવન જીવતા અનેક દેહોને,સુખશાંન્તિ આપી જાય
અદભુતસેવા જીવનમાં કરતા,દેહ પર સન્માનની વર્ષા  થાય
………….એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.
વ્હાલા કાર્તિકભાઈને મળે પ્રેમ મોટાભાઈનો અનંતઆનંદ દઈ જાય
સાગર જેટલો પ્રેમ હરગોવિંદભાઈનો,જે લાખો જીવોને મળી જાય
સંત જલાસાંઇને પ્રાર્થના કરે પ્રદીપ,જન્મદીને પરમકૃપા મળી જાય
સુખશાંન્તિની વર્ષા થાય તેમના પર,એજ પ્રાર્થના પરમાત્માને.
…………….એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.

]       ********************************************************
પરમ પુજ્ય ડૉકટર હરગોવિંદભાઈનો આજે ૮૪ના જન્મદીનની શુભેચ્છા નીમિત્તે
આ  લખાણ તેમને સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને શ્રી કાર્તિકભાઈના જય જલારામ જય સાંઈરામ સહિત
હ્યુસ્ટનથી  હેપ્પી બર્થડે.

August 25th 2016

જન્માષ્ટમી પર્વ

Image result for શ્રી કૃષ્ણ

.                  જન્માષ્ટમી પર્વ

તાઃ૨૫/૮/૨૦૧૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણના સતત સ્મરણથી જીવને શાંન્તિ થઈ
પવિત્રદેહ અવનીએ આવતા,જન્માષ્ટમી ઉજવાઈ અહીં
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
બાળપણનેએ પકડીચાલતા,બાળગોપાળ કહેવાતા અહીં
અસીમકૃપા માતાની મળતા,જગતમાં ઓળખાણ થઈ
રાધામાતાનોપ્રેમ પારખતા,શ્રીરાધેકૃષ્ણથી ભક્તિ થઈ
અજબ શક્તિ ભક્તિની,જે અનેક જીવોને મળતી થઈ
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
દેવકીનંદનની પહેચાન દ્વારકામાં,જગતમાં પ્રસરી ગઈ
પરમાત્માની એજ લીલા,જે દેહના વર્તનથી મળીગઈ
સુખસાગરની વર્ષા જીવે થતાં,જન્મ સફળ થયો ભઈ
પવિત્રદીવસને પ્રેમેભજતાં,જીવનમાં શાંન્તિમળી ગઈ
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
=============================================
જન્માષ્ટમીના પવિત્ર દીવસે ભગવાન શ્રી કૃષ્ણને અમેરીકન ભાષામાં
હેપ્પી બર્થડે.
લી.  પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર ના વંદન સહિત જય શ્રીકૃષ્ણ.

« Previous PageNext Page »