જન્મદીનની શુભેચ્છા
ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી,અમદાવાદ
. .
. જન્મદીનનીશુભેચ્છા
. (૩૧ ઑગસ્ટ ૧૯૩૨)
તાઃ૩૧/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ(હ્યુસ્ટન)
પરમકૃપા પરમાત્માની છે,જ્યાં નિર્મળ જીવન જીવાય
પ્રેમ મળે સગા સંબંધીઓનો,જે જન્મદીવસથી ઉજવાય
………..એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.
મળ્યો પ્રેમ માતા શારદાબાનો,જીવનમાં સુખશાંન્તિ દઈ જાય
રાહ મળી પિતા લક્ષ્મીશંકરથી,એ ભણતરની કેડીએ દેખાય
પાવનરાહે જીવન જીવતા અનેક દેહોને,સુખશાંન્તિ આપી જાય
અદભુતસેવા જીવનમાં કરતા,દેહ પર સન્માનની વર્ષા થાય
………….એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.
વ્હાલા કાર્તિકભાઈને મળે પ્રેમ મોટાભાઈનો અનંતઆનંદ દઈ જાય
સાગર જેટલો પ્રેમ હરગોવિંદભાઈનો,જે લાખો જીવોને મળી જાય
સંત જલાસાંઇને પ્રાર્થના કરે પ્રદીપ,જન્મદીને પરમકૃપા મળી જાય
સુખશાંન્તિની વર્ષા થાય તેમના પર,એજ પ્રાર્થના પરમાત્માને.
…………….એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.
] ********************************************************
પરમ પુજ્ય ડૉકટર હરગોવિંદભાઈનો આજે ૮૪ના જન્મદીનની શુભેચ્છા નીમિત્તે
આ લખાણ તેમને સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને શ્રી કાર્તિકભાઈના જય જલારામ જય સાંઈરામ સહિત
હ્યુસ્ટનથી હેપ્પી બર્થડે.