August 1st 2016

બમ બમ ભોલે

bholenath

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                 બમ બમ ભોલે

તાઃ૧/૮/૨૦૧૬                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવનરાહ મળે જીવને,જ્યાં બમ બમ ભોલે સ્મરાય
ઉજ્વળ રાહ પામીને જીવતા,જીવનો જન્મ સફળ થઈ જાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.
અજબ શક્તિશાળી  જગતમાં,જીવને મુક્તિમાર્ગે દઈ જાય
નિર્મળભાવે ભક્તિ કરતા જીવનમાં,ભોલેનાથની કૃપા થાય
ડમડમ ડમડમ ડમરૂ વાગતા,અવનીપર પ્રભાત વર્ષી જાય
પાવન રાહની કેડી મળે જીવને,જ્યાં ગજાનંદની કૃપા થાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.
ૐ નમઃ શિવાય પ્રેરણા ભક્તિની,જે નિર્મળરાહ આપી જાય
શિવ શંકરની નિર્મળ ભક્તિએ,હ્યુસ્ટનમાં દર્શન આપી જાય
મળે માનવતાનીરાહ જીવનમાં,જ્યાં નિખાલસ ભક્તિ થાય
અનંતપ્રેમની કૃપાય મળે જીવને,જ્યાં બમબમ ભોલે ભજાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.

***************************************************

 

August 1st 2016

જીવનો સ્પર્શ

.                 જીવનો સ્પર્શ

તાઃ૧/૮/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિદાય આગમન સ્પર્શે જીવને,જ્યાં કળીયુગ મળી જાય
આવનજાવન એ કુદરતની લીલા,જે જીવને જકડી જાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.
અનેકદેહ અવનીએ મળે,જે અવનીએ દેહ મળતા દેખાય
કર્મકરેલા જીવને જકડે,જગતમાં નાકોઇ જીવથી  છટકાય
માનવદેહ એ છે કૃપાપ્રભુની,જે દેહને સમજણ આપી જાય
જીવને મુક્તિમાર્ગની રાહ મળે,જ્યાં નિખાલસ ભક્તિ થાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.
પાવનરાહ પામવા જીવનમાં,સંત જલાસાંઇની પુંજા થાય
ભક્તિ રાહની સાચી રાહ જગતમાં,જલાસાંઇથી મળી જાય
અનેકજીવોને ભોજન આપતા,પરમાત્મા પરીક્ષા કરી જાય
માનવજીવનમાં કૃપા સ્પર્શે,જ્યાં સાચી માનવતા સચવાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++