August 4th 2016

પવિત્ર માસ

Shiv Parvati

 

.                .પવિત્ર માસ

તાઃ૪/૮/૨૦૧૬                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રાવણ માસના પવિત્ર દીવસે,શિંવલીંગની પુંજા થાય
પાવન જીવનની રાહ પામવા,ભોલેનાથને વંદન થાય
………..એ જ કૃપા પરમાત્માની,જે શ્રાવણ માસથી મેળવાય.
ધર્મકર્મને સાચવી જીવતા,શિવજીના પ્રેમની વર્ષા થાય
ગણપતિના વ્હાલાપિતા,ને મા પાર્વતીના પતિ કહેવાય
જીવોને પાવનરાહ આપતા,એજગતપિતાથી ઓળખાય
ભોલેનાથનો પ્રેમ પામવા,શ્રાવણ માસે શ્રધ્ધાએ પુંજાય
…………એ જ કૃપા પરમાત્માની,જે શ્રાવણ માસથી મેળવાય.
હિન્દુધર્મની પવિત્રરાહ,નિર્મળભક્તિથી જીવને મળી જાય
શ્રધ્ધા રાખી પુંજન  અર્ચન કરતા,ઘરમાંજ કૃપા મળી જાય
કળીયુગની કાતરથીબચવા,પ્રભાતે સુર્યદેવના દર્શનથાય
મળે જીવને અનંત પ્રેમ ભોલેનાથનો,શ્રાવણે અર્ચના થાય
………….એ જ કૃપા પરમાત્માની,જે શ્રાવણ માસથી મેળવાય.

====================================