March 23rd 2017
. .ગરબાનો રણકાર
તાઃ૨૩/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાળી પાડીને ગરબે ઘુમતાં,મા તારા ઝાંઝરીયા સંભળાય
જીવને મળે છે અનંતશાંન્તિ,નવરાત્રીએ તારી પુંજા થાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
માનવજીવનની માયા લાગતા,જીવથી માનવદેહ મેળવાય
અવનીપર આગમને,મા તારા ગરબાનો રણકાર સંભળાય
શ્રધ્ધા સંગે માળા જપતા,જીવને ઉજવળ રાહ મળી જાય
એજકૃપા માડીનીમળતા,દેહના જન્મમરણ પાવનકરી જાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
અનેકરૂપો મળ્યા માડીના,જીવને પવિત્રરાહ આપી જાય
ભક્તિભાવથી અર્ચન કરતાં,મળેલ દેહ પાવન થઈ જાય
મોહમાયાની આશા છુટે જીવની,જ્યાં માતારી કૃપાથાય
પાવનકર્મ ને પવિત્રકેડીએ,ગરબાની રમઝટ મળી જાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
================================================
No comments yet.