March 26th 2017
. . લઈ લો પ્રેમ
તાઃ૨૬/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લઈ લો પ્રેમ જગતમાં માવલડીનો,જીવનમાં શાંન્તિએ મેળવાય
માતારી કૃપા પામવા અવનીએ,પાવનરાહથી જ જીવન જીવાય
.....સરળતાના સાગરમાં રહેતા,નાકોઇ અશાંંતિ જીવનમાં આપી જાય.
માગણીરાખી પ્રેમ લઈલીધો,તો કળીયુગની આફત સ્પર્શી જાય
મોહમાયાની ચાદરમળી જતાં,દેખાવની દુનીયા જીવનેમળીજાય
કઈ રાહની દ્રષ્ટિ પડી દેહ પર,જે નિર્મળશ્રધ્ધા ભક્તિએ દેખાય
મળે અનંતકૃપા અવિનાશીની,જે જન્મ મરણના બંધને સમજાય
.....સરળતાના સાગરમાં રહેતા,નાકોઇ અશાંંતિ જીવનમાં આપી જાય.
સમય સમયની સમજપડે જીવને,જે યુગના સ્પર્શથી અનુભવાય
લાગણી માગણીએ સ્પર્શે જગતમાં,જે કર્મના બંધને જ સમજાય
દુઃખ દરિદ્ર એ કસોટી જીવની.જેમાંથી પવિત્રભક્તિએ છટકાય
મળે માનવતાની મહેંક જગતમાં,જેને પરમાત્માની કૃપા કહેવાય
.....સરળતાના સાગરમાં રહેતા,નાકોઇ અશાંંતિ જીવનમાં આપી જાય.
======================================================
March 26th 2017
. શ્રધ્ધાની સાંકળ
તાઃ૨૬/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી છે આરાધના,જે શ્રધ્ધાની સાંકળ કહેવાય
પ્રગટે જ્યોત મળેલજીવનની,જ્યાં માતાની પવિત્રકૃપા થઈજાય
.......આગમન અવનીપર છે જીવનું,જે જીવનમાં દેહને સ્પર્શી જાય.
ભજન ભક્તિનોમાર્ગ અનેરો,જ્યાંજીવનમાં અંતરથી પુંજા થાય
ના અપેક્ષાની કોઇ કેડી જીવનમાં,ત્યાં પરમાત્માની કૃપા થાય
માડી તારા ગરબાએ ઘુમતા,સમયે તાલીઓના તાલને પકડાય
પાવનકૃપા મા તારી સ્પર્શે,જે કળીયુગના બંધનને તોડી જાય
.......આગમન અવનીપર છે જીવનું,જે જીવનમાં દેહને સ્પર્શી જાય.
મા માવડીના ઘુંઘટ ગાજે,જ્યાં મંજીરાનાતાલ પણ મળી જાય
આંગણે આવી માદર્શન આપે,એ જ શ્રધ્ધાની સાંકળ થઈજાય
મળે પ્રદીપને પ્રેમ માડીનો,એજ પાવન કર્મનીકેડી આપી જાય
શ્રધ્ધારાખી સ્મરણ કરતા,રમા,રવિ,દીપલ પણ સુખી થઈ જાય
.......આગમન અવનીપર છે જીવનું,જે જીવનમાં દેહને સ્પર્શી જાય.
====================================================