March 27th 2017

આગમન ચૈત્રી નવરાત્રી

    Image result for માતાજી ના ફોટા
.       .આગમન ચૈત્રી નવરાત્રી
તાઃ૨૭/૩/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર તહેવારનુ આગમન હિંદુ ધર્મમાં,જીવને સ્પર્શી જાય
શ્રધ્ધા રાખી ભક્તિરાહ પકડતા,પાવન કર્મ જીવનમાં થાય
.......આવી આજે પવિત્ર ચૈત્રી નવરાત્રી,માતાની અનંતકૃપા થાય.
આરતી અર્ચના ઘરમાંકરી,મંદીરે માતાજીના ગરબા ગવાય
ધુપદીપની અર્ચના કરતા શ્રધ્ધાએ,માડીતારૂ આગમનથાય
ગરબા સંગે તાલી પાડતા ભક્તોને,અનંતઆનંદ થઈ જાય
સાંભળી તારા ઝાંઝર માડી,ભજન ભક્તિમાં જીવ હરખાય
.......આવી આજે પવિત્ર ચૈત્રી નવરાત્રી,માતાની અનંતકૃપા થાય.
નવરાત્રીના નવદીવસે માડી, તારા ભજન ભક્તિએ ગવાય
સુખશાંંતિના વાદળ વરસે માતારા,અનુભવથીસમજાઈ જાય
પરમકૃપા મા તારી સ્પર્શે જીવને,જે કર્મબંધનને તોડી જાય
પ્રદીપ,રમા પર માકૃપા છે તારી,નિર્મળ જીવનથી સમજાય
.......આવી આજે પવિત્ર ચૈત્રી નવરાત્રી,માતાની અનંતકૃપા થાય.
====================================================

	
March 27th 2017

જીંદગીની જકડ

.        .જીંદગીની જકડ  

તાઃ૨૭/૩/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન મળે જીવને અવનીએ,એ જીંદગીની જકડ કહેવાય
ક્યા દેહના બંધન છે જીવને,એઅવનીપર આગમને દેખાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
માનવજીવનએ કૃપા પરમાત્માની,પળેપળને સમજાઈ જાય
મળેલદેહ એ કર્મની કેડી,પાવનજીવન જીવતા અનુભવાય
કળીયુગ સતયુગ સ્પર્શેકર્મને,જીવના બંધનને આંકડી જાય
પાવનકર્મ ને પાવનવર્તન મળે,નિખાલસતાએ જીવનજીવાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
સાંઈબાબાની સરળરાહ જીવવાની,જગે માનવતામહેંકીજાય
માનવજીવનને પવિત્રરાહે લેતા,ના કર્મધર્મ જીવને અડીજાય
મહેંક માનવજીવનની પ્રસરતા,સંતજલારામની રાહ મેળવાય
પવિત્ર જીવન જીવવા કાજે,જીવઓનેઅન્નદાન આપી દેવાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
=================================================