સ્નેહાળ પ્રેમ
. .સ્નેહાળ પ્રેમ
તાઃ૭/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ચાંદની રાહની સ્નેહાળ કીરણે,અજબ શાંન્તિ મળી જાય
મનથી મળેલ નિર્મળ પ્રેમ,માનવ જીવનને સ્પર્શી જાય
………પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
કર્મની કેડી એસમયને સ્પર્શે,જે વર્તનથીજ દેખાઈ જાય
નિર્મળ સ્નેહની રાહે જીવતા,સુખશાંન્તિની રાહ મળીજાય
મળેલ માનવદેહને બંધનસ્પર્શે,જે આવનજાવને સમજાય
આવી આંગણે પ્રેમ રહેતા,સગાસંબંધીઓય હરખાઈ જાય
……….પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
જ્યોતપ્રેમની સ્પર્શે દેહને,જે નિર્મળ ભક્તિએ મળી જાય
સમયનીકેડી બંધન જીવના,જે માનવીના વર્તને દેખાય
પામતા પ્રેમ જલાસાંઇનો,જીવ મુક્તિ માર્ગ તરફ દોરાય
નાસ્પર્શે કળીયુગનો પ્રેમ,કે નાકોઇ વર્તન પણ અથડાય
……….પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
———————————————————-