March 27th 2017
. .આગમન ચૈત્રી નવરાત્રી
તાઃ૨૭/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર તહેવારનુ આગમન હિંદુ ધર્મમાં,જીવને સ્પર્શી જાય
શ્રધ્ધા રાખી ભક્તિરાહ પકડતા,પાવન કર્મ જીવનમાં થાય
.......આવી આજે પવિત્ર ચૈત્રી નવરાત્રી,માતાની અનંતકૃપા થાય.
આરતી અર્ચના ઘરમાંકરી,મંદીરે માતાજીના ગરબા ગવાય
ધુપદીપની અર્ચના કરતા શ્રધ્ધાએ,માડીતારૂ આગમનથાય
ગરબા સંગે તાલી પાડતા ભક્તોને,અનંતઆનંદ થઈ જાય
સાંભળી તારા ઝાંઝર માડી,ભજન ભક્તિમાં જીવ હરખાય
.......આવી આજે પવિત્ર ચૈત્રી નવરાત્રી,માતાની અનંતકૃપા થાય.
નવરાત્રીના નવદીવસે માડી, તારા ભજન ભક્તિએ ગવાય
સુખશાંંતિના વાદળ વરસે માતારા,અનુભવથીસમજાઈ જાય
પરમકૃપા મા તારી સ્પર્શે જીવને,જે કર્મબંધનને તોડી જાય
પ્રદીપ,રમા પર માકૃપા છે તારી,નિર્મળ જીવનથી સમજાય
.......આવી આજે પવિત્ર ચૈત્રી નવરાત્રી,માતાની અનંતકૃપા થાય.
====================================================
No comments yet.