March 27th 2017

જીંદગીની જકડ

.        .જીંદગીની જકડ  

તાઃ૨૭/૩/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન મળે જીવને અવનીએ,એ જીંદગીની જકડ કહેવાય
ક્યા દેહના બંધન છે જીવને,એઅવનીપર આગમને દેખાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
માનવજીવનએ કૃપા પરમાત્માની,પળેપળને સમજાઈ જાય
મળેલદેહ એ કર્મની કેડી,પાવનજીવન જીવતા અનુભવાય
કળીયુગ સતયુગ સ્પર્શેકર્મને,જીવના બંધનને આંકડી જાય
પાવનકર્મ ને પાવનવર્તન મળે,નિખાલસતાએ જીવનજીવાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
સાંઈબાબાની સરળરાહ જીવવાની,જગે માનવતામહેંકીજાય
માનવજીવનને પવિત્રરાહે લેતા,ના કર્મધર્મ જીવને અડીજાય
મહેંક માનવજીવનની પ્રસરતા,સંતજલારામની રાહ મેળવાય
પવિત્ર જીવન જીવવા કાજે,જીવઓનેઅન્નદાન આપી દેવાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
=================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment