November 7th 2014

.
.
.
.
.
. કલમ પ્રેમીને ભેંટ
તાઃ૮/૧૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પાવનકેડી લઈ ચાલતા,જીવન ઉજ્વળ થઈ જાય
શ્રધ્ધા રાખી કલમ ચાલતા,કૃપાએ પવિત્ર રાહ મળી જાય
………..એવા કલમ ચાહક શ્રી કૃષ્ણભાઇ,દવે કુળને ઉજ્વળ કરી જાય.
મા સરસ્વતીની અસીમકૃપાએ,વાંસલડી ડૉટ કૉમ બની જાય
કલમકલમને સમજીચાલતા,વાંચનારને અનંત આનંદ થાય
શબ્દે શબ્દને સમજીને લખતા,ઉજ્વળ રાહ જીવને મળી જાય
અજબ શક્તિ છે કલમની જીવનમાં,જે મા કૃપાએજ મેળવાય
……..પ્રેમ પારખી હ્યુસ્ટન આવતા,ગુજરાતી સાહિત્ય સર્જકો હરખાય.
ગઝલ ગીત ને કવિતાની રચનાએ,પવિત્ર કેડીને પકડી જાય
સાગર જેવડો સ્નેહ મળે જીવનમાં,જે લાયકાતે જ મેળવાય
અનંતકૃપા માતાની થતા,નિર્મળ વાંચકોનો પ્રેમ મળી જાય
આવ્યા હ્યુસ્ટન પ્રેમ લઈને,સાથે અદમભાઈ પણ આવી જાય
……..એવા નિર્મળ સરસ્વતી સંતાનોને મળતા,પ્રદીપને આનંદ થાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++
. .હ્યુસ્ટનના કલમપ્રેમીઓના પ્રેમને પારખી શ્રી કૃષ્ણભાઇ દવે અહીં પધાર્યા
અને સૌ સરસ્વતી સંતાનોને તેમની રચના અને કલમની કેડીનો લાભ કરાવ્યો તે
પ્રસંગની યાદ રૂપે આ લખાણ સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનની સાહિત્યસરીતા અને કલમપ્રેમીઓની યાદ.
October 20th 2014

. .હરહર મહાદેવ
તાઃ૨૦/૧૦/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બોલો હરહર ભોલે મહાદેવ હર,પ્રેમે જગતના છે પરમેશ્વર
ભોલેનાથની સાચી ભક્તિએ,ઉજ્વળ જીવનછે અવનીપર
. ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.
નિર્મળ ભાવે દુધ અર્ચતા,શિવલીંગનુ ભક્તો પુંજન કરતા
પ્રેમ મળે મા પાર્વતીનો સંગે,જ્યાં શ્રધ્ધા પ્રેમે ફુલ અર્પતા
ગજાનંદની કૃપામળે,જ્યાં પિતા ભોલેનાથની આરતીગાજે
નમઃ શિવાયના સ્મરણ માત્રથી,ભક્તિપ્રેમની જ્યોત પ્રગટે
. ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.
સોમવારની શીતળ સવારે,મહાદેવની આરતી મંદીરે ગાજે
આરતી અર્ચના સંગેભક્તો,શિવલીંગે દુધની ગંગા વહેવડાવે
ઢોલ નગારા ગાજતા મંદીરે,ભક્તો પ્રેમે આરતી ગાઈને ગુંજે
પરમાત્માની પરમ કૃપાના સંગે,માનવજીવન ઉજ્વળ દીશે
. ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.
++++ૐ=====ૐ+++++ૐ======ૐ++++++ૐ=====
September 19th 2014
. . પરમ પ્રેમ
તાઃ૯/૯/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમની જ્યોત પ્રગટતા,પાવનકર્મ જીવનમાં થાય
માગણી મોહની ચાદર છુટતાં,આ જન્મ સફળ થઈ જાય
. ………………….. પરમપ્રેમની જ્યોત પ્રગટતા.
સુખ શાંન્તિની પવિત્ર રાહે જ,સત્કર્મોની રાહ મળી જાય
નિર્મળતાનો સંગમળે જીવને,નાકળીયુગ પણ અડી જાય
આવી આંગણે રહે પ્રેમ,જીવના સંબંધને એ સાચવી જાય
અપેક્ષાની નાકેડી,જીવનમાં,સાચીભક્તિએ સમજાઈજાય
. …………………… પરમપ્રેમની જ્યોત પ્રગટતા.
પરમપ્રેમની જ્યોતમળે જીવને,સાચી માનવતાએ જીવાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,કૃપા સંત જલાસાંઇની થઈ જાય
આવી શાંન્તિ બારણું ખખડાવે,પરમ પ્રેમ સૌનો મળી જાય
ના અપેક્ષા રહે જીવનમાં,જ્યાં જીવ મુક્તિ માર્ગે દોરાઇ જાય
. ……………………પરમપ્રેમની જ્યોત પ્રગટતા.
અપેક્ષાઓ જીવનને જકડે,ત્યાં કળીયુગની હવા મળી જાય
પળે પળે મોહ મળતા જીવને,આધીવ્યાધી પણ આવીજાય
મળેજીવને રાહ સાચી,ત્યાં નિર્મળતાએ પરમાત્માને પુંજાય
અખંડ આનંદ વરસે જીવનમાં,જ્યાં પરમ પ્રેમ મળી જાય
. …………………….પરમપ્રેમની જ્યોત પ્રગટતા.
+++++++++++++++++++++++++++++++++
September 19th 2014
. .પ્રેમાળ સ્નેહ
તાઃ૬/૯/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પ્રેમની સાચી કેડીએ,પવિત્રકર્મ જીવનમાં થઇજાય
નિર્મળતાના પ્રેમાળ સ્નેહે,અનંત શાંન્તિ જીવને મળી જાય
. ……………………પવિત્ર પ્રેમની સાચી કેડીએ.
ઉજ્વળતાનીરાહ મળે જીવનમાં,પાવનકર્મ જીવનમાં થાય
સુખ શાંન્તિના વાદળ મળતા,સંત જલાસાંઇને વંદન થાય
કર્મનીકેડી એ બંધન છે જીવના,સાચી ભક્તિએ જ સચવાય
આવન જાવન જીવને જકડે,અવનીપર આગમને સમજાય
. ……………………પવિત્ર પ્રેમની સાચી કેડીએ.
મળેલ કાયાને પારખી લેતાજ,સાચી રાહ જીવને મળી જાય
કર્મબંધનની કેડી છુટે,જીવનમાં પ્રેમની જ્યોત પ્રગટી જાય
અંતરમાંઆનંદ અનેરો મળતા,લાગણીમોહને એતોડી જાય
મુક્તિ માર્ગના દ્વાર ખુલતા કૃપાએ, જીવને મુક્તિ મળી જાય
. …………………….પવિત્ર પ્રેમની સાચી કેડીએ.
======================================
August 23rd 2014
. .પ્રેમ દે સફળતા
તાઃ૨૩/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની કેડી લેવા,મનથી મહેનત થતી જાય
પાવનકર્મની કેડી મળે,જ્યાં જગે સાચો પ્રેમ મળી જાય.
. …………………ઉજ્વળ જીવનની કેડી લેવા.
અવનીપર આગમનથી,જીવને મળેલ દેહથી સમજાય
માનવદેહ એ રાહ આપે,જ્યાં ભક્તિ શ્રધ્ધા પ્રેમથી થાય
મળે પ્રેમ સાચો જીવને,એજ જીવનમાં સફળતા દઈ જાય
મુક્તિમાર્ગની રાહ મળતા,જન્મમરણના બંધન છુટીજાય
. …………………ઉજ્વળ જીવનની કેડી લેવા.
શીતળતાનો સંગ રહેતા જીવનમાં,આધીવ્યાધી દુર જાય
મોહમાયાની ચાદર છુટતા,જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,સઘળા પાપો ધોવાઇ જાય
અવનીપરનુ આગમન જીવને, સ્વર્ગીય સુખ આપી જાય
. …………………..ઉજ્વળ જીવનની કેડી લેવા.
====================================
August 20th 2014
. પ્રેમાળ કેડી
તાઃ૨૦/૭/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મેંહક પ્રસરે,જ્યાં માનવતાને સમજાય
મળે દેહ અવનીએ જીવને,એજ માબાપનો પ્રેમ કહેવાય
. ………………….માનવજીવનની મેંહક પ્રસરે.
મળે આશીર્વાદ જીવનમાં.જીવને પ્રેમાળ કેડી મળી જાય
શ્રધ્ધા રાખી શરણુ લેતા,સંતજલાસાંઇની કૃપા મળીજાય
ઉજ્વળ જીવનમાં આંગળી ચીંધે,એજ માનવતા કહેવાય
મળે જીવને શાંન્તિ અનેક,જ્યાં નિખાલસતાને મેળવાય
. ……………………માનવજીવનની મેંહક પ્રસરે.
નિર્મળતાનો સંગ જીવનમાં,જીવને સુખ શાંન્તિ દઈ જાય
મોહમાયાને દુર રાખીને જીવતા,કળીયુગ પણ ભાગી જાય
અવનીપરનીવિદાય વેળાયે જીવ સ્વર્ગનીસીડી ચઢીજાય
પ્રેમાળ કેડી પામી લેતા,અંતે જીવને મુક્તિમાર્ગ મળી જાય
. ……………………માનવજીવનની મેંહક પ્રસરે.
==================================
December 13th 2013
. प्रेमीज्योत
ताः१३/१२/२०१३ प्रदीप ब्रह्मभट्ट
जीवनकी अनेक राहोंमे,सुख दुःख रहेते है साथ
प्रेम भावसे चलते रहेनेसे,हो जाये उज्वल आज
. ………………जीवनकी अनेक राहोंमे.
अपनोसे ना आशा रखना,ना कोइ अपेक्षा आज
उज्वल जीवन मील जानेसे,प्रभुक्रुपाभी हो साथ
लेकर ज्योतप्रेमकी जीवनमें,मीलजाये सुखधाम
प्यारकी एकमीठी लहेरसे,मील जायेगा सन्मान
. ……………..जीवनकी अनेक राहोंमे.
मानव देह एक देन है,जो जन्म सफल कर जाय
श्रध्धा और सबुरी समझनेसे,हो जायेंगे भव पार
अपनोसे जब मीलजायेंगे,खुल जाये भक्तिद्वार
ज्योतप्रेमकी एकही जलनेसे,होजाये निर्मलकाम
. ………………जीवनकी अनेक राहोंमे.
============================
December 9th 2013
. ભાગ્યવિધાતા
તાઃ૯/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ ભક્તિની કેડી પકડતા,જીવનમાં નિર્મળતા આવી જાય
મોહમાયાને કળીયુગમાંમુકતા,સાચીરાહ જીવનમાં મળી જાય
. …………………..સરળ ભક્તિની કેડી પકડતા.
કર્મનાબંધન એ જીવની છે કેડી,ના જગતમાં કોઇથીએ તોડાય
લેખ લખનાર જીવના અવનીએ,એને ભાગ્ય વિધાતા કહેવાય
મળેલ જન્મને સાર્થક કરવો,એ સાચી ભક્તિરાહથી જ સહેવાય
અવનીપરની આંટી ઘુંટીને તોડી,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
. ……………………સરળ ભક્તિની કેડી પકડતા.
સુખસાગર છલકાઇજતા જીવનમાં,દુઃખનાડુંગર દુર ફેંકાઇજાય
ભક્તિ સાચી જ્યાં મનથી કરીએ,લખેલ ભાગ્ય જીવનુ બદલાય
કૃપામળે જ્યાં સંતજલાસાંઇની,ત્યાં નાભુતપલીત કોઇ ભટકાય
અંત આવે જ્યાં દેહનો અવનીએ,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. ……………………સરળ ભક્તિની કેડી પકડતા.
####################################
November 5th 2013

. .ઉમાસુત
તાઃ૫/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉમાસુત ભોળા ગણનાયક છે,જે જીવને કર્મકેડી દઈ જાય
શુધ્ધ ભાવનાએ પુંજન કરતાં,જીવપર કૃપા તેમની થાય
. ……………………ઉમાસુત ભોળા ગણનાયક છે.
ૐ ગં ગણપતયે નમઃ ના સ્મરણ માત્રથી,શાંન્તિ મળી જાય
કૃપાનીકેડી જીવને મળતા,આ મળેલ જન્મ સફળ થઈ જાય
માતાઉમા ને પિતા શીવજીના,લાકડવાયા ગણેશજી કહેવાય
સુખશાંન્તિને સાચીરાહ,જીવને ગજાનંદની કૃપાએ મળી જાય
. …………………..ઉમાસુત ભોળા ગણનાયક છે.
અવનીપરનાઆગમનને સ્પર્શે,જેકલમ ગણપતિની કહેવાય
દેહ મળતા અવનીએ જીવને,ભાગ્ય રેખા ગણેશજીથી સંધાય
કર્મની સાચીકેડી ભક્તિએ મળતા,આધીવ્યાધીઓ ભાગી જાય
અંતે દેહછોડતા જીવનેમળે કેડીસ્વર્ગની,જે મુક્તિમાર્ગ કહેવાય
. ……………………ઉમાસુત ભોળા ગણનાયક છે.
====================================