June 20th 2017
....
....
. .ગજાનંદ શ્રી ગણેશ
તાઃ૨૦/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રીધ્ધી સીધ્ધીની અનંત કૃપા મળે,જ્યાં ગણપતિજીનુ પુંજન થાય
શ્રધ્ધારાખી માતાને વંદન કરતા,જીવને પાવનરાહ પણ મળી જાય
....અજબ શક્તિશાળી સંતાન માપાર્વતીના સંગે ભોલેનાથ પણ હરખાય.
પવિત્ર રાહની કેડી મળે જીવનમાં,કરેલ કર્મથી જીવન પાવન થાય
ભક્તિમાર્ગને પકડી ચાલતા,જગતપિતા ભોલેનાથની કૃપા પણ થાય
મળેલ માનવદેહ જીવને કર્મથી જકડે,જગતમાં ના કોઇથી છટકાય
પાવન પ્રેમની વર્ષા થતા,રીધ્ધી સીધ્ધી સંગે શ્રી ગણેશજી હરખાય
....અજબ શક્તિશાળી સંતાન માપાર્વતીના સંગે ભોલેનાથ પણ હરખાય.
નિર્મળ ભાવના સંગે પ્રાર્થના કરતા,ઘરનુ આંગણુય પાવન થઈ જાય
ઉજવળ જીવનની જ્યોત પ્રગટતા,અનેક જીવોનો પવિત્રપ્રેમ મેળવાય
આગમન વિદાયનો સંબંધ છુટતા,જીવને કૃપાએ મુક્તિમાર્ગ મળીજાય
જીવને મળેલ માનવદેહ અવનીએ,અંતે પરમાત્માને શરણે આવીજાય
....અજબ શક્તિશાળી સંતાન માપાર્વતીના સંગે ભોલેનાથ પણ હરખાય.
======================================================
June 19th 2017
...
...
. .શ્રી શંકરનાથ
તાઃ૧૯/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી છે પરમાત્મા,અનેક નામોથી અવનીએ ઓળખાય
અવનીપરના પવિત્ર જીવો પર એકૃપા કરે,અંતે ભોલેનાથ પણ કહેવાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
ૐ નમઃ શિવાયના મંત્ર જાપથી,જીવને અવનીપર પરમકૃપા મળી જાય
પરમ શ્રધ્ધા ભોલેનાથની રાખતા,માતા પાર્વતીના આશિર્વાદને મેળવાય
સોમવારની પવિત્ર સવારે પુંજન કરતા,નાકોઇ આફત જીવને ઘેરી જાય
શ્રી શંકર ભોલેનાથની અજબકૃપા છે,જે અનેક નામથી વંદન થઈ થાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
શિવલીંગને શ્રધ્ધાએ દુધઅર્ચના કરતા,પાવનરાહ પ્રભુ ભોલેનાથથી લેવાય
માતા પાર્વતીને સંગે પુત્ર શ્રીગજાનંદ ગણપતિ,પરમપ્રેમની વર્ષા કરી જાય
અવનીપરનુ આગમન એકર્મબંધન,જે શ્રી ભોલેનાથની કૃપાએ છુટી જાય
જીવનાબંધન અવનીપર આવનજાવનના,જે પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
==============================================================
June 14th 2017
.
.
. .ગોવિંદ ગોપાલા
તાઃ૧૪/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગોવિંદ ગોપાલા છે દ્વારકા નંદન,જગતમાં શ્રીકૃષ્ણથીય ઓળખાય
ગોપીઓના વ્હાલા જગતગોપાલા,માજશોદાના નંદન પણ કહેવાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
પવિત્ર માર્ગના સંગે અવનીએ,અજબ શક્તિ શાળી કૃપા દઈ જાય
પાવન જીવનનીરાહ બતાવી છે જીવોને,જે મુક્તિ માર્ગ આપી જાય
કૃષ્ણ કનૈયાના નામથી આગમન થતા,ગોપીઓના ગરબા શરૂ થાય
અનેક જીવોને નિર્મળ પ્રેમ બતાવી,અવનીપર પ્રેમની વર્ષા કરી જાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
પ્રેમની પવિત્રકેડી રાધાજીથી મળી ગઈ,જગતમાં પવિત્ર જોડી કહેવાય
નિર્મળ રાહ લઈને જીવન જીવતા,પાવન પ્રેમની ગંગા વહેવડાવી જાય
પરમાત્માનુ આગમન થયુ દ્વારકામાં,જે માનવ જીવન પવિત્ર કરી જાય
જયશ્રીકૃષ્ણ,રાધેકૃષ્ણના સ્મરણથી,જીવ પર પરમાત્માની કૃપા થઇ જાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
==========================================================
June 7th 2017
. .આંગણુ પાવન
તાઃ૭/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવનજાવન એ જીવના બંધન,કરેલ કર્મની કેડીએ મળી જાય
સંબંધ એતો છે સંસારનુ સગપણ,જગતમાં ના કોઇથી છટકાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
સિધ્ધીવિનાયકદેવની ભક્તિએ કૃપામળે,એ પાવનરાહે લઈ જાય
કર્મના બંધનએ કરેલ કર્મની કેડી,જીવને દેહ મળતા અનુભવાય
પાવનરાહે ચાલતા અવનીએ,મળેલ જીવનમાં માનવતાય મહેંકાય
કુદરતની આ અસીમ છે કૃપા,જે ધર આંગણે દર્શન આપી જાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
અપેક્ષાના વાદળતો જીવનેઅડે,નિર્મળ જીવનને એદુર રાખી જાય
માનવજીવન એજ કૃપા જલાસાંઇની,જે પવિત્ર રાહે જીવને દેખાય
અનેક જીવોને અન્નદાન આપતાજ,પરમાત્માને એ રાજી કરી જાય
મળે માનવતાની મહેંક જીવનમાં,જ્યાં માનવ થઈને જીવન જીવાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
=======================================================
June 3rd 2017
. .રામનામની માળા
તાઃ૩/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની માળા જપતા,જીવને પરમાત્માની પરમકૃપા મળી જાય
મોહમાયાની આંગળી છોડતા,મળેલ માનવ દેહ પાવન થઈ જાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
જકડ દેહની જ જીવને અડે,જે આવન જાવનથી જગતમાં સમજાય
નિર્મળભાવનાનો સંગ રાખતા,મળેલ દેહને સદાય શાંંન્તિ મળી જાય
અવનીપરનો એ દેહ છે પરમાત્માનો,જેને રામના નામથી ઓળખાય
મનથી કરેલ જાપ શ્રીરામના,સંગે સીતામાતાનો પ્રેમ પણ મળી જાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
કર્મનીકેડી એ બંધન છે જીવના,એ મળેલદેહના વર્તનને અડી જાય
ભજનભક્તિને શ્રધ્ધાએ કરતા,ના અપેક્ષાના વાદળ જીવને મળીજાય
દેખાવની દુનીયા સ્પર્શે છે કળીયુગમાં,જે નિખાલસતાએજ સમજાય
મળે માનવતાનો સાથ જીવનમાં,જ્યાં શ્રી રામની પ્રેમથી પુંજા થાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
======================================================
May 29th 2017
.
. .જય મેલડી માતા
તાઃ૨૯/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન ભક્તિનો સંગ રાખીને,માતા મેલડીની શ્રધ્ધાએ આરતી થાય
પરમકૃપા માડી તારી મળી પ્રદીપને,જે પવિત્રરાહ મળતાજ સમજાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
ગરબે ધુમતા માડી તારા ભક્તો,પ્રેમ અને શ્રધ્ધાએ પુંજન કરી જાય
તાલીઓના તાલે ધુમતા માડીની,અનંત કૃપાનોઅનુભવથી થઈ જાય
પવિત્ર રાહ મળતા દેહને જીવનમાં,માતા મેલડીના પ્રેમની વર્ષા થાય
અનંત શાંન્તિની પ્રેરણા થતા કૃપાએ,નિર્મળરાહ જીવનેજ મળી જાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
શ્રધ્ધાપ્રેમથી આરતી કરતા માતાની,જીવ પર મા મેલડીની કૃપા થાય
આંગણે આવી મા ભક્તિ સ્વીકારે,એજ સાચી માડીની કૃપા કહેવાય
કરેલ કર્મને પાવનકરે કૃપાએ,જે જીવનમાં સરળરાહ પણ આપી જાય
માડી તારી ભક્તિ નિર્મળતાએ કરતા,ના માગણી કોઇ મને અથડાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
========================================================
May 29th 2017
. .શ્રી ભોલેનાથજી
તાઃ૨૯/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે જ્યાં પિતાનો સંતાનને,પાવનજીવનની રાહ મળી જાય
તન,મન,ધનથી શાંન્તિ મળતા,નાકોઇ અપેક્ષા જીવનમાં રખાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
પિતા ભોલેનાથની ભક્તિ શ્રધ્ધાએ કરતા,કૃપાની વર્ષાય થઈ જાય
માતા પાર્વતીને વંદન કરતા,જીવનો મળેલ જન્મ સફળ પણ થાય
કૃપા મળે જ્યાં ગણપતિની,મળેલ દેહની રાહ પણ ઉજવળ થાય
ૐ નમઃ શિવાયના જાપથી,માનવજન્મને પવિત્ર જીવન મળીજાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
અજબ શક્તિશાળી પિતા છે જગતમાં,સાચી ભક્તિએ અનુભવાય
વંદન કરીને દર્શન કરતા,માતાપિતા સંગે પુત્ર ગણપતિય હરખાય
ઉજવળ જીવનની રાહ મળતા જીવને,મળેલ દેહ પાવન થઈ જાય
કૃપા મળે શ્રીભોલેનાથની,અવનીપર જન્મમરણના બંધન છુટી જાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
=======================================================
May 25th 2017
.
. .જય સાંઇબાબા
તાઃ૨૫/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઈ સાંઈના સતત સ્મરણથી,માનવજીવન ઉજવળ થઈ જાય
પાવનરાહ દેહની મળે જીવને,જે પાવન મનુષ્ય જીવન કહેવાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
શ્રધ્ધારાખીને જીવન જીવતા,જીવનમાં સૌનો સાથપણ મળી જાય
ના અભિમાનની ચાદર અડે કોઇ,જે ધર્મમાં દેખાવ સમાવી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સાંઇબાબાની કૃપા થાય
શ્રધ્ધા સબુરી એજ છે ભક્તિ માર્ગ,જે મળેલ ધર્મનેય સ્પર્શી જાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
શેરડીગામની જ્યોત પ્રગટાવી ધર્મમાં,અનેક જીવો દર્શન કરી જાય
પુંજા પ્રેમથીકરે જ્યાં સાંઇબાબાની,એજ સાચી માનવતા દઈ જાય
મળેલ જીવન સાર્થક કરે એજ ભક્તિ,ના કોઇ આફત સ્પર્શી જાય
જન્મમરણના બંધનછુટે જીવના,જ્યાં સાંઇબાબાને પ્રેમે વંદન થાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
===================================================
May 25th 2017
..
. .જલારામની જય
તાઃ૨૫/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરના વૈરાગી છે ભક્તિના સંગાથી,એવા જલારામની જય
બોલે રામનામનુ નામ સંગે વિરબાઈ,દઇ રહયાતા અન્નનુ દાન
......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય.
ભક્તિનો પવિત્રમાર્ગ વિરપુરમાં લીધો,માતાપિતાને આનંદ થાય
ના અપેક્ષા કોઇ જીવનમાં રાખી,ત્યાં પવિત્રજીવનો સંગ મળ્યો
વિરબાઈમાતા એ નિમીત બન્યા,જેને ઝોળીડંડો પ્રભુથી દેવાય
પવિત્રરાહ જગતમાં દીધી જલારામે,જીવોને ભોજન પ્રેમે અપાય
......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય.
નિર્મળ જીવનની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાથી ઓળખણ થાય
માનવતાની મહેંક પ્રસરે જગતમાં,ના કોઇ અપેક્ષાય સ્પર્શી જાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ જાય
મુક્તિમાર્ગની રાહમળે જીવને,જે મૃત્યુએ ભક્તિજ્યોત પ્રગટી જાય
......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય.
=======================================================
May 24th 2017
. .માડીના આંગણે
તાઃ૨૪/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા આંગણે આવી,પ્રેમથી વંદન કરૂ હુ સવાર સાંજ
કૃપાનોસાગર મળે માતારો,જીવનમાં નાતકલીફ કોઇ મેળવાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
શરણુ લીધુ મા તારૂ જીવનમાં,શ્રધ્ધાએજ પુંજન અર્ચન થાય
સમયને સમજી ચાલતા ભક્તિરાહે,માડી તારો પ્રેમ મળી જાય
અનંત શાંંન્તિ મળતા જીવનમાં,સતયુગને કળીયુગથીય બચાય
સરળ જીવનમાં નાવ્યાધી અડે,માડી તારા દર્શનનીરાહ જોવાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
સંબંધના બંધન એ કેડી કર્મની,ના કોઇથી જગતમાં છટકાય
નિર્મળ ભાવે તારી ભક્તિ કરતા,માડી તારી કૃપાય મળી જાય
પગે લાગીને પ્રાર્થના કરતા જીવને,અવનીથી બંધન છુટી જાય
પવિત્ર પ્રેમની ગંગા વહે જીવનમાં,માનવજીવન પાવન થઈજાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
=====================================================