February 4th 2013

વિશ્વાસનો સાથ

.                    .વિશ્વાસનો સાથ

તાઃ૪/૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજીલે મનથી તુ શ્રીરામ,તારા સરળ થશે સૌ કામ
મળશે જીવનમાં તને સાથ,તારી પુરણ કરશે આશ
.                   …………………ભજીલે મનથી તુ શ્રી રામ.
મીરાંબાઇની માયા ભક્તિની,ઉજ્વળ બની પ્રભાત
શ્રધ્ધારાખી પ્રભુ સ્મરણતાં,મળ્યો જીવે મુક્તિ સાથ
પાંડવોના સાર્થી બનતાં,તીરે કર્યા કૌરવોને મહાત
મહાભારતનીગાથા ઉજ્વળ,કૃષ્ણેકરી દીધી અપાર
.                    …………………ભજીલે મનથી તુ શ્રી રામ.
સુખ દુઃખની સાંકળને તોડે,જ્યાં મળે છે ભક્તિની ઢાલ
વિશ્વાસરાખી એક જ ટેકે જીવતાં,શ્રીરામસીતા હરખાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જ્યાં નિર્મળ શ્રધ્ધા હોય
મુક્તિમાર્ગની કેડી મળતાં,જીવનાજન્મમરણ છુટી જાય
.                   ………………….ભજીલે મનથી તુ શ્રી રામ.

**************************************

February 3rd 2013

 

.

 

 

 

 

 

.

 

.

.

.

.

.                        .ૐ

તાઃ૩/૨/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ૐ શબ્દના સ્મરણ માત્રથી,જીવને અનંત શાંન્તિ થાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
.                …………………ૐ શબ્દના સ્મરણ માત્રથી.
ગૌરીનંદનના છે એ પિતા,ને માતા પાર્વતીના ભરથાર
ત્રિશુલધારી જગમાં પ્રસરતાં,ભક્તોનોએ કરેછે ઉધ્ધાર
ભુતપલીત ભડકીનેભાગે,નાકોઇ મેલીશક્તિની તાકાત
શરણુલીધુ જ્યાં ભોલેનાથનું,ત્યાંમુક્તિમાર્ગ મળી જાય
.               ………………….ૐ શબ્દના સ્મરણ માત્રથી.
એક જ શ્વાસે ૐ સ્મરતાં,શરીરમાં ઉજ્વળ સ્પંદન થાય
મનને મળતી શાંન્તિના સંગે,મળેલ જન્મ સાર્થક થાય
તારણહારી છેઅવિનાશી,અવનીએ અનેકરૂપે એ દેખાય
શ્રધ્ધાનુ છે શરણુસાચું,ત્યાં જીવનેપાવનરાહ મળી જાય
.                …………………ૐ શબ્દના સ્મરણ માત્રથી.

===============================

February 1st 2013

આવ્યા આંગણે

 

 .

.                    .આવ્યા આંગણે

તાઃ૧/૨/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ લેવા,લીધો પ્રેમે ભક્તિનો સાથ
આવ્યા માડી આંગણે આજે,દેવા જીવને મુક્તિનો હાથ
.                  …………………ઉજ્વળ જીવનની રાહ લેવા.
અનેકરૂપે મા અવનીએ આવી,કૃપા પામ્યા જીવ અનેક
સફળ જન્મની સરળ કેડીએ,જીવને  શાંન્તિ દઈને હેત
નિર્મળતાનો સંગ રાખતાં,ના આધી વ્યાધીય અથડાય
ભક્તિપ્રેમની સરળકેડીએ,મા તારી કૃપા જીવપર થાય
.                  ………………….ઉજ્વળ જીવનની રાહ લેવા.
ધુપદીપની અર્ચન સંગે, માડી આંગણે કંકુ ચોખા મુકાય
આવજે વ્હેલી ભક્તિ સ્વીકારી,જીવે સુખ શાંન્તિ સહેવાય
માડી તારા ચરણસ્પર્શથી,મારું આ ઘર પવિત્ર થઈ જાય
મુક્તિમાર્ગના દ્વાર ખુલતાં,જીવથી જન્મ મરણ છુટી જાય
.                    …………………ઉજ્વળ જીવનની રાહ લેવા.

=====================================

January 29th 2013

કરુણાનો સાગર

.                  કરુણાનો સાગર

તાઃ૨૯/૧/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ અવિનાશી અવની આધારી,જગતપિતા કહેવાય
સુખ શાંન્તિની શીતળવર્ષા,સાચી ભક્તિભાવે મળી જાય
.              ………………..અજબ અવિનાશી અવની આધારી.
જન્મની કેડી જીવને મળે,જ્યાં કર્મના બંધન છે બંધાય
આવી અવની પર દેહ મેળવી,જ્યાં ત્યાં એ ફરતો જાય
અસીમ કૃપા છે અવિનાશીની,સાચી ભક્તિએ મેળવાય
કરુણાનોસાગર છેનિર્મળ,એ જલાસાંઇનીકૃપાએદેખાય
.             …………………અજબ અવિનાશી અવની આધારી.
મારૂ એતો મમતા છે,ના કોઇ જીવથી જગે એને છોડાય
તારૂની જ્યાં સમજ પડે જીવને,ત્યાં પાવનકર્મોજ થાય
પવિત્ર રાહ મળે જીવને જગે,ત્યાં જીવ મુક્તિએ દોરાય
દેહનાબંધન જ્યાં છુટે જીવથી,આવનજાવન છુટી જાય
.               ……………….અજબ અવિનાશી અવની આધારી.

##############################

January 28th 2013

માડી તારા ચરણે

.                  .માડી તારા ચરણે

તાઃ૨૮/૧/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ચરણ સ્પર્શતા,પ્રદીપને આનંદ થાય
નિર્મળતાનો સંગ રાખતાં,માનવતા મહેંકી  જાય
.                 ………………..માડી તારા ચરણ સ્પર્શતા.
ઉગમણી પ્રભાતે માડી,તારું પ્રેમથી પુંજન કરાય
ધુપદીપથી અર્ચન કરતાં,મન મારુ ખુબ હરખાય
વંદન કરી શીશ ઝુકતાં,મા આશીર્વાદ મળી જાય
સરળ જીવનની મહેંક લેતાં,કૃપા તારી  થઈ જાય
.                …………………માડી તારા ચરણ સ્પર્શતા.
અનેકરૂપની ઉજ્વળ ગાથા,સાચી ભક્તિએ સમજાય
મનથી કરેલ ભક્તિપ્રેમને,મા તારી કૃપાએ મેળવાય
આવી આંગણે સ્મૃતિદેતાં,મા મને જીવનમાં સમજાય
સદાતારો પ્રેમમળતાં,જીવે આધી વ્યાધી નાઅથડાય
.               ………………….માડી તારા ચરણ સ્પર્શતા.

**********************************

December 25th 2012

ભોલે શંકર

.                      .ભોલેશંકર

તા:૨૫/૧૨/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળાનાથની ભક્તિ કરતાંજ,મન મારું ખુબ હરખાય
ઉજ્વળ કેડી મળતા જીવને,પાવન કર્મ જીવથી થાય
.                   ……………………ભોળાનાથની ભક્તિ કરતાં.
સોમવારની શીતળ સવારે,શિવલીંગે દુધ અર્ચન થાય
ૐ નમઃશિવાયના સ્મરણથી,જીવન ઉજ્વળ થઈ જાય
મળે કૃપા માતા પાર્વતીની,સંગે ગજાનંદ પણ હરખાય
કર્મની સાચી કેડી મળતાં,સદકર્મ જીવનમાં થઈ જાય
.                  …………………….ભોળાનાથની ભક્તિ કરતાં.
સાચી શ્રધ્ધા રાખતાં જીવનમાં,પ્રભુની કૃપા મળી જાય
ગૌરીનંદન રાજીરહેતાં,જીવની આકેડી પવિત્ર થઇ જાય
મોહમાયા કાયાથી છુટતાં,પિતા ભોલેનાથની કૃપા થાય
જન્મમૃત્યુના બંધનતુટતાં,જીવનોજન્મ સફળ થઈ જાય
.                   ……………………ભોળાનાથની ભક્તિ કરતાં.
ભોલેશંકરના સ્મરણ માત્રથી,જીવે પાવનકર્મ થતાથાય
માતા પાર્વતીની દ્રષ્ટિ પડતાં,આ દેહ પવિત્ર થઈ જાય
નંદેશ્વરની એકજ ટપલીએ,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
જન્મ મરણના બંધન છુટતાંજ,સ્વર્ગની સીડી મળી જાય
.                    …………………..ભોળાનાથની ભક્તિ કરતાં.

*******************************************

December 22nd 2012

ભક્તિમાર્ગ

.                     ભક્તિમાર્ગ

તાઃ૨૨/૧૨/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી ભક્તિ પ્રેમથી કરતાં,જીવનમાં શાંન્તિ થાય
મોહમાયાનો ત્યાગ કરતાં,ભક્તિ માર્ગ મળી જાય
.               …………………સાચી ભક્તિ પ્રેમથી કરતાં.
મંત્ર તંત્રનો ભેદ સમજી,સાચી ભક્તિ મનથી થાય
મનથી કરેલ માળા જીવે,સ્વર્ગીય શાંન્તિ સહેવાય
પ્રેમની સાચી રાહ મળતાં,સંત જલાસાંઇ હરખાય
મનને મળે શાંન્તિસાચી,એજ ભક્તિપ્રીત કહેવાય
.              ………………….સાચી ભક્તિ પ્રેમથી કરતાં.
પ્રભાત સંધ્યાને પારખી લેતાં,સમય સમજાઇ જાય
કરતાંપ્રેમે સ્મરણ જલાસાંઇનું,મન પાવનથઈ જાય
કળીયુગની કેડી છુટતાં,મળેલ જન્મ સફળ થઇ જાય
મુક્તિમાર્ગ મળતાં જીવને,જગે કર્મ બંધન છુટી જાય
.                …………………..સાચી ભક્તિ પ્રેમથી કરતાં.

*******************************************

December 9th 2012

રામનામ

.                  .રામનામ

તાઃ૯/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રામનામની માળા જપતાં,આ જીવન ઉજ્વળ થાય
શ્રધ્ધા ને વિશ્વાસના સંગે,પાવનકર્મ જીવનમાં થાય
.                    ………………..રામનામની માળા જપતાં.
નિર્મળ ભાવના સંગે રહેતાં,ના અભિમાન અથડાય
સ્નેહ મળે જ્યાં સંગીનો,ત્યાં સરળ જીવનથઈ જાય
જલાસાંઇની એક જ દ્રષ્ટિએ,ભક્તિ પ્રેમ મળી જાય
મળેલ જીવન સાર્થક થતાં,આ જન્મસફળ પણ થાય
.                       ………………..રામનામની માળા જપતાં

પ્રભુ રામની જ્યોત પ્રગટતા,પાવન રાહ મળી જાય
કર્મની કેડી દેહની સંગે,જીવને જન્મમરણ દઈ જાય
સંસ્કાર સાચવી જીવન જીવતાં,ભક્તિ ભાવ મેળવાય
મનથી કરેલ માળા રામની,સાચી શીતળતા દઈજાય
.                   ………………..રામનામની માળા જપતાં.

======================================

December 3rd 2012

શીતળ કેડી

.                        શીતળ કેડી

તાઃ૩/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં જીવને અવનીએ,અનેક કેડીઓ મળી જાય
ભક્તિપ્રેમની નિર્મળ કેડીએ,મળેલ જન્મસફળ થઈ જાય
.              ………………….જન્મ મળતાં જીવને અવનીએ.
આગમનના એંધાણ મળતાં,માતાને અનંત આનંદ થાય
સંતાનના દેહને નિરખતાં,માબાપના  હૈયા  ઉભરાઈ જાય
પાપા પગલીએ બાળકને,સંસારમાં શીતળ કેડી મળી જાય
આશીર્વાદ અંતરથી મળતાં,આ મળેલ દેહ આનંદે ઉભરાય
.                  …………………જન્મ મળતાં જીવને અવનીએ.
મનથી મહેનતનો સંગ રાખતાં,જીવને રાહ સાચી મળી જાય
સરળતાનો સાથ રહેતાં જ,દેહથી થતાં કામ સફળ થઈ જાય
માયામોહની ના કાતરચાલે,એ ઉજ્વળરાહ જીવનેમળી જાય
મળે પળેપળ શીતળતા જીવનમાં,સાચી એ જ કેડી સમજાય
.                  ………………….જન્મ મળતાં જીવને અવનીએ.

+++++++++++++++++++++++++++++++++

November 9th 2012

માગણી

.                     માગણી

તાઃ૯/૧૧/૨૦૧૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ સ્નેહની ગંગા વહેતા,સૌ કામ સરળ થઈ જાય
ઉજ્વળતાના વાદળ વરસતાં,સાચો પ્રેમજ મળીજાય
.                …………………..નિર્મળ સ્નેહની ગંગા વહેતા.
શ્રધ્ધા મનમાં રાખતાં જીવનમાં,સફળતાને સહેવાય
મનથી મહેનત કરીજીવતાં,ના અપેક્ષાય કોઇ રખાય
સાથમળે ને સહવાસમળે,ને સાચી પ્રભુકૃપા થઈજાય
સુખશાંન્તિનો સંગ મળી જતા,નામાગણી કોઇ રખાય
.               …………………..નિર્મળ સ્નેહની ગંગા વહેતા.
માગણી પરમાત્માથી રહે જીવનમાં,કૃપા રાખજો સંગ
નાઆશા કે નાઅપેક્ષા મારી,દેજો જીવને ભક્તિનોરંગ
ઉમંગ ને ઉજાસ રહે જીવનમાં,એજ જલાસાંઇનો પ્રેમ
અંતે જીવનો હાથ ઝાલજો,ના રહે મુક્તિમાં કોઇ વ્હેમ
.             …………………… નિર્મળ સ્નેહની ગંગા વહેતા.

==================================

« Previous PageNext Page »