રામનામ
. .રામનામ
તાઃ૯/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની માળા જપતાં,આ જીવન ઉજ્વળ થાય
શ્રધ્ધા ને વિશ્વાસના સંગે,પાવનકર્મ જીવનમાં થાય
. ………………..રામનામની માળા જપતાં.
નિર્મળ ભાવના સંગે રહેતાં,ના અભિમાન અથડાય
સ્નેહ મળે જ્યાં સંગીનો,ત્યાં સરળ જીવનથઈ જાય
જલાસાંઇની એક જ દ્રષ્ટિએ,ભક્તિ પ્રેમ મળી જાય
મળેલ જીવન સાર્થક થતાં,આ જન્મસફળ પણ થાય
. ………………..રામનામની માળા જપતાં
પ્રભુ રામની જ્યોત પ્રગટતા,પાવન રાહ મળી જાય
કર્મની કેડી દેહની સંગે,જીવને જન્મમરણ દઈ જાય
સંસ્કાર સાચવી જીવન જીવતાં,ભક્તિ ભાવ મેળવાય
મનથી કરેલ માળા રામની,સાચી શીતળતા દઈજાય
. ………………..રામનામની માળા જપતાં.
======================================