October 28th 2010

જય જય જલારામ

 

 

 

 

 

 

 

 

                     જય જય જલારામ

તાઃ૨૮/૧૦/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ કરે જ્યાં મનથી,જગમાં વ્યાધીજ ના દેખાય
         શાંન્તિ મળતા મનને દેહે,સદા પ્રભુકૃપા મળી જાય
                                          એવી ભક્તિ જલારામની કહેવાય.
સુખદુઃખ તો સંસારનીનદીઓ,જગત પર વહી જાય
        આવતા જીવને દેહ સ્વરૂપે,બાળપણથી એ લપટાય
ભક્તિએવી મનથીકરવી,જ્યાં પ્રભુરામ પણ મુંઝાય
         આવીઆંગણે ભીખ માગવા,ત્યાંભાગવુ પડે તત્કાળ
                                          એવી ભક્તિ જલારામની કહેવાય.
પૃથ્વીપરનાસંબંધ નાછુટે કોઇથી,જે ભક્તિએ છોડાય
        વિરબાઇમાતાની શ્રધ્ધાએ તો,પરમાત્મા ભાગી જાય
જલારામની સેવા નિરાળી,મળ્યો વિરબાઇનો સંગાથ
         જન્મસફળ એ કરીગયા,ને દઈગયા ભક્તિનાસોપાન
                                          એવી ભક્તિ જલારામની કહેવાય.
ના કદી રાખી કોઇ અપેક્ષા,કે મળ્યા કોઇ જગના મોહ
        અન્નદાનની સાચી ભાવનાએ,જીતી ગયા પ્રભુનીપ્રીત
કુદરતના દરબારમાં જીવને,સંતોષ સદાય મળીજાય
        પ્રભુકૃપાના બારણા ધણા,જે સાચીશ્રધ્ધાએજ ખોલાય
                                           એવી ભક્તિ જલારામની કહેવાય.

===========================================
સંત પુજ્ય જલારામ બાપા તથા પુજ્ય વિરબાઇ માતાને હદયથી વંદન.
સેવક પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,શકુબેન તથાપુ.સુરેશલાલ.
_________________________________________________

October 23rd 2010

મારૂતીનંદન

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                              મારૂતીનંદન

તાઃ૨૩/૧૦/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ જેની શક્તિ છે,ને છે શ્રધ્ધાજ જેમનુ જીવન
એવા અંજનીપુત્ર શ્રી હનુમાનજીને,કરુ છું હું વંદન
                             ………..ભક્તિ જેની શક્તિ છે.
સાતવારમાં શનીવારને જ,જગે ભક્તિદીન કહેવાય
મળી જાય જો પ્રેમપ્રભુનો,આ જન્મ સફળ થઈ જાય
રામનામની માળાહાથમાં,નેસદા ઉભાએ ભક્તિ દ્વાર
મોહમાયાને તોડી નાખતાં,આ જીવ મુક્તિએ દોરાય
                             ……….. ભક્તિ જેની શક્તિ છે.
ચાલીશામાં શ્રધ્ધા રાખતાં,સતત સ્મરણ જ્યાં થાય
મારૂતીનંદન આવીબારણે,સાંકળ ભક્તિની દઈજાય
ભુત પલીત તો ભડકી ભાગે,જ્યાં ગદાધારી દેખાય
મળી જાય કૃપા પ્રભુરામની,સંગે સીતામા સહવાય
                             ………..ભક્તિ જેની શક્તિ છે.

શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરાશ્રીરામ શ્રીરામ 
======================================

October 21st 2010

આવ્યા જલારામ,સાંઇનુ શરણું

                       આવ્યા જલારામ

તાઃ૨૧/૧૦/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની જ્યાં દીઠી જ્યોત,મળે પ્રીત જલારામની
આવે આંગણે એદેવા પ્રેમ,ભક્તિ થાય પ્રભુરામની
                      ……….ભક્તિની જ્યાં દીઠી જ્યોત.
શ્રધ્ધા મળી આ જીવનમાં,આંગળી ચીધી જ્યારથી
મોહમાયાના જાય બંધન દુર,મન રહે ભક્તિમાંચુર
આવે સંતજલારામ આંગણે,ને સાથે વિરબાઇમાતા
ભક્તિનો એ પરચો એવો,જ્યાં ભાગે ભાગ્યવિધાતા
                      ……….ભક્તિની જ્યાં દીઠી જ્યોત.
માળાનો ના મોહ દેહને,હું રટણ કરુ છુ ભક્તિ ભાવે
મળશે પ્રેમ પરમાત્માનો,સદાય મનમાં હરખલાવે
દર્શનની મને આશ જલાની,ના પરમાત્માને દીઠા
દેહ ધરીને પરચો એદેતા,ઝોળી ડંડો હાથમાં લીધા
                   ……….. ભક્તિની જ્યાં દીઠી જ્યોત.

જય જલારામ જય જલારામ જય જલારામ જય જલારામ.
*************************************

                           સાંઇનુ શરણું

તાઃ૨૧/૧૦/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇ સાંઇનુ રટણ કરતાં,મને ભક્તિ મળી ગઇ
જીંદગી દીધેલી ભગવાને,મુક્તિ એ દોરાઇ ગઇ
                    ……….સાંઇ સાંઇનુ રટણ કરતાં.
અસીમ કૃપા ભગવાનની,અવનીએ થતી રહી
માણસાઇની મહેંકે,આવ્યા બાબા બનીને અહીં
દેહ ધર્યો અવની એ,ના માબાપની કોઇ પ્રીત
ભોલેનાથની કૃપા હતી,જે અસ્તીત્વ બની રહી
                    ……….સાંઇ સાંઇનુ રટણ કરતાં.
સંસારની સાંકળ સંગે,માનવતા મહેંકાવી અહીં
ભેદભાવની સીમા તોડાવી,જીવને રાહ બતાવી
પ્રેમભાવની જ્યોતજગતમાં,નિર્મળતાપ્રસરાવી
શરણુ લેતા જ જલા સાંઇનુ,મુક્તિ રાહ બતાવી
                      ………સાંઇ સાંઇનુ રટણ કરતાં.

જયસાંઇબાબા જયસાંઇબાબા જયસાંઇબાબા જયસાંઇબાબા 

*************************************

October 18th 2010

સપ્તક ભક્તિ

                            સપ્તક ભક્તિ

તાઃ૧૮/૧૦/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમની સાંકળ સીધી,સાતેવાર તે સચવાય
મળી જાય કૃપા પ્રભુની,આ દેહે જન્મ સાર્થક થાય
                      ………..ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
સોમવારની શિતળ સવારે,ભોલેનાથની પુંજા થાય
ૐ નમઃશિવાયનો મંત્ર જપતા,પાવનભક્તિ થાય
                      ………..ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
મંગળવારની મંગલ પ્રભાતે,ગણેશજીને વંદન થાય
ગજાનંદને રાજીકરતાં,જીવનો જન્મ સફળ આ થાય
                       ……….ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
બુધવારે માડી અંબે પધારે,દેવા સંઘર્ષમાં સહવાસ
જયઅંબેમા જયઅંબેમા જપતાં,વ્યાધીઓ ટળીજાય
                       ……….ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
ગુરૂવાર સંત જલાસાંઇનો,સાચી ભક્તિએ દોરી જાય
સાચી ભક્તિ પ્રેમથી કરતાં,ભક્તિજ પ્રભુથી પરખાય
                       ……….ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
શુક્રવાર  મા સંતોષીનો,જ્યાં માની ભક્તિ પ્રેમે થાય
મળીજાય સંતોષ જીવનમાં,અઢળક કૃપાએ મેળવાય
                        ………ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
શનિવાર તો હનુમાનજીનો,આવે ગદા સંગ ઘરમાંજ
મેલી શક્તિ ભાગે દુર,જ્યાં રહે રામદુત હજરા હજુર
                       ……….ભક્તિ પ્રેમની સાંકળ સીધી.
રવિવાર મા દુર્ગાનો છે,સર્વરીતે થઇ જાય કલ્યાણ
ૐરીમ દુર્ગેદુર્ગે રક્ષમી સ્વાહાથી,વ્યાધી ભાગીજાય
                      ………..ભક્તિ પ્રેમની સાંકળ સીધી.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

October 14th 2010

ભક્તિની માયા

                            ભક્તિની માયા

તાઃ૧૪/૧૦/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગી મને જલારામની,નાદેહને લોભ કે કોઇ મોહ
શરણું મારે તો સાંઇબાબાનુ,જે દેશે જીવને મુક્તિની દોર
                          ……..માયા લાગી મને જલારામની.
ઉત્તર દક્ષીણ પુર્વ પશ્ચીમ,જગમાં ચારે દીશાઓ મેં દીઠી
ઉગમણી એ સુરજ ઉગે,ને આથમણી એ સુર્યાસ્ત થાય
ભક્તિની એક અજબ દિશા છે,ના જગે કોઇને સમજાય
મળી જાય કૃપાએ જીવને,તો ના દિશાની જરૂર જણાય
                         ………માયા લાગી મને જલારામની.
ખોબેપાણીએ અર્ચના કરતાં,જીવનનો દરીયો આ તરાય
સાચાસંતનો સહવાસ મળતાં,કર્મો પાવનપણ થઇ જાય
પ્રભુકૃપા જ્યાં આવે બારણે,ત્યાં સત્કર્મો મનથી જ થાય
ભક્તિની માયા લાગતાં જીવને,કળીયુગની ભાગી જાય
                         ………માયા લાગી મને જલારામની.

**+**+**+**+**+**+**+**+**+**+**+**+**

September 30th 2010

પાધડી

                                પાધડી

તાઃ૩૦/૯/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત ધડીઓ મળે જગતમાં,જ્યાં મળે જીવને જન્મ
સાચવીલે પા ધડી જીવનમાં,તો સાર્થક થાય સૌ કર્મ
                       ……….અનંત ધડીઓ મળે જગતમાં.
પ્રભાત થવાનું પૃથ્વીએ ભઇ,ને સંધ્યાય દરરોજ થાય
ધડી ધડીનો અણસાર મળે,જે સાચી ભક્તિએ સમજાય
જન્મ મૃત્યુ એ દેહનાબંધન,ના પરમાત્માથી એ છોડાય
રામ કૃષ્ણ એ સ્વરૂપ લીધા,જે માનવી દ્રષ્ટિથી જોવાય
                         ………અનંત ધડીઓ મળે જગતમાં.
સમયનીસાંકળ જકડે સૌને,નાજગે કોઇથીય એ છોડાય
બાલપણ જુવાની ને ઘડપણ,એ તો છે સમયના સંકેત
ધડી પારખી સાચવીલેતાં,પાવન રાહ દેહને જરૂર મળે
મોહ માયાના બંધન છુટતાં જ,મુક્તિ દ્વાર જીવના ખુલે
                          ………અનંત ધડીઓ મળે જગતમાં.

+++++++++++++++++++++++++++++++

September 24th 2010

મળેલ લકીર

                            મળેલ લકીર

તાઃ૨૪/૯/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે,જીવ જ્યાં દેહમાં જકડાય
પામરદેહને સાચી રાહમળે,જે જન્મ સફળ કરીજાય
                        …………જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે.
મળતી મોહમાયા જગની,જ્યાં સગાંનેસંબંધી દેખાય
નિર્મળ દેખાતી આ દુનીયા,ભવોભવ મળતી જ જાય
મળે સંસ્કાર માબાપથી આદેહને,મનથી એ સમજાય
માન અને સન્માનસમજતાં,આજન્મ સફળ થઇ જાય
                            ……….જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે. 
લકીર જ્ઞાનની ગુરૂથી મળતાં,આદેહને દોર મળી જાય
ઉજ્વળ જીવન કૃપા એ પામતાં,ભક્તિ સંગ થઇ જાય
દેહ દાનવ પરખાતા દેહને,મુક્તિની લકીર મળી જાય
અંત નિર્મળમળે આજીવને,જે પ્રભુ કૃપાને પામી જાય
                            ………. જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે.

++=++==++===+==+==++=+===+++===+=

September 23rd 2010

પાવન રસ્તો

                         પાવન રસ્તો

તાઃ૨૩/૯/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરદુઃખ ભંજન પરદુઃખ હારી,અજર અમર અવિનાશી
જગતજીવ પર છે બલિહારી,ભક્તિ સાચીએ મળનારી
                     …………પરદુઃખ ભંજન પરદુ”ખ હારી.
પ્રભાતે પુંજન અર્ચન સંગે,ઉજ્વળ જીવન એ કરનારી
મળે પ્રેમની માળાનામણકા,પળપળ શાંન્તિ એદેનારી
અવની પરના આગમનને જાણી,પાવન રાહ લેવાની
જલાસાંઇનુ શરણું મળતાં,જરૂર પ્રભુ કૃપાજ મળવાની
                        ………પરદુઃખ ભંજન પરદુ”ખ હારી.
અંતરથી જ્યાંપ્રેમપ્રભુથી,દેહને પાવનરસ્તો મળવાનો
માયામોહના તુટે બંધન ત્યાં,ભક્તિ પથ પણ જડવાનો
અહંકારને આંબી લેતાં,આ દેહ નશ્વર ના ફરી જોવાનો
પ્રભુધામની પરખ મળતાં જ,જીવ ભક્તિ કરી લેવાનો
                       ……….પરદુઃખ ભંજન પરદુ”ખ હારી.

=++++++=+++++++++=++++++++=++++++=

September 19th 2010

તારા વિના

                            તારા વિના

તાઃ૧૯/૯/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખોમાં ઉજાસ દીસે,જ્યાં તારા પ્રેમનો સહવાસ
બને દરેકપળ વિરહની,નેછે તારા વિના અંધકાર
                               ……….આંખોમાં ઉજાસ દીસે.
ઉજ્વળ જીવનમાં કેડી મળે,ને ઉમંગ પણ વારંવાર
મળતા તારો સાથ જીવનમાં,દરેક પળને સચવાય
અંતરમાં ઉભરો આનંદનો,જે જીભથીય ના કહેવાય
તારા પ્રેમની એકકડીએ,સાગરને પણ તરી જવાય
                              …………આંખોમાં ઉજાસ દીસે.
મળ્યો મનેઅણસાર જીવનમાં,લીધો મેં એક ઉમંગ
મળી મને પ્રભાત ભક્તિની,જેનો અમૃત જેવો સંગ
આવી જીવનમાં શાંન્તિ,જ્યાં મને થઇ તારી પ્રીત
ભક્તિ તારો સંગ મળ્યો,આ કૃપાની અનોખી રીત
                           …………આંખોમાં ઉજાસ દીસે.

+++++++++++++++++++++++++++++

September 8th 2010

ભક્તિ પ્યાલો

                        ભક્તિ પ્યાલો

તાઃ૮/૯/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહ ભરેલી દુનીયા,છે ઉજ્વળ જીવન સંગે
ભક્તિ પ્યાલો મળે કૃપાએ,રંગીદે જીવને ભક્તિ રંગે
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.
મળે કૃપા ભક્તિ સંગે,જેમ મળે દેહને પાણી ઘુંટેઘુંટે
તરસે જીવ મુક્તિ કાજે,જે માનવ જન્મ ભક્તિ સંગે
મળીજાય જલાસાંઇથી ભક્તિ,જીવને છોડાવે ધરતી
આવી આંગણે કૃપા મળે,જે અંતે જીવને દઇદે મુક્તિ
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.
પ્યાલો અમૃતનો પીલેતાં,જગે મૃત્યુ દેહથી ભાગેદુર
ઝેરનો પ્યાલો મળીજાય,તો જીવન બને ત્યાં ભંગુર
આધાર દેહનો જીવ છે,જે જન્મમરણથી જ સહવાય
જગતપિતાની દ્રષ્ટિ લેવા,ભક્તિ પ્યાલો જ પીવાય
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.

-===============================

« Previous PageNext Page »