October 14th 2010

ભક્તિની માયા

                            ભક્તિની માયા

તાઃ૧૪/૧૦/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગી મને જલારામની,નાદેહને લોભ કે કોઇ મોહ
શરણું મારે તો સાંઇબાબાનુ,જે દેશે જીવને મુક્તિની દોર
                          ……..માયા લાગી મને જલારામની.
ઉત્તર દક્ષીણ પુર્વ પશ્ચીમ,જગમાં ચારે દીશાઓ મેં દીઠી
ઉગમણી એ સુરજ ઉગે,ને આથમણી એ સુર્યાસ્ત થાય
ભક્તિની એક અજબ દિશા છે,ના જગે કોઇને સમજાય
મળી જાય કૃપાએ જીવને,તો ના દિશાની જરૂર જણાય
                         ………માયા લાગી મને જલારામની.
ખોબેપાણીએ અર્ચના કરતાં,જીવનનો દરીયો આ તરાય
સાચાસંતનો સહવાસ મળતાં,કર્મો પાવનપણ થઇ જાય
પ્રભુકૃપા જ્યાં આવે બારણે,ત્યાં સત્કર્મો મનથી જ થાય
ભક્તિની માયા લાગતાં જીવને,કળીયુગની ભાગી જાય
                         ………માયા લાગી મને જલારામની.

**+**+**+**+**+**+**+**+**+**+**+**+**

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment