ભક્તિ પ્યાલો
ભક્તિ પ્યાલો
તાઃ૮/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહ ભરેલી દુનીયા,છે ઉજ્વળ જીવન સંગે
ભક્તિ પ્યાલો મળે કૃપાએ,રંગીદે જીવને ભક્તિ રંગે
………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.
મળે કૃપા ભક્તિ સંગે,જેમ મળે દેહને પાણી ઘુંટેઘુંટે
તરસે જીવ મુક્તિ કાજે,જે માનવ જન્મ ભક્તિ સંગે
મળીજાય જલાસાંઇથી ભક્તિ,જીવને છોડાવે ધરતી
આવી આંગણે કૃપા મળે,જે અંતે જીવને દઇદે મુક્તિ
………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.
પ્યાલો અમૃતનો પીલેતાં,જગે મૃત્યુ દેહથી ભાગેદુર
ઝેરનો પ્યાલો મળીજાય,તો જીવન બને ત્યાં ભંગુર
આધાર દેહનો જીવ છે,જે જન્મમરણથી જ સહવાય
જગતપિતાની દ્રષ્ટિ લેવા,ભક્તિ પ્યાલો જ પીવાય
………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.
-===============================