September 8th 2010

દુર ભાગે?

                                    દુર ભાગે

તાઃ૮/૯/૨૦૧૦                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપર જીવનુ અસ્તિત્વ એદેહ છે જેને આંખોથી જોઇ શકાય છે
અને આંખોથી જોઇ શકાય એ જ પરમાત્માની લીલા પણ છે.પણ
ઘણું એવુ પણ છે જેનો અનુભવ થાય અથવા તો અનુભુતી થાય.

નીચેની બાબતો વિચારવા જેવી લાગતા વિચારવા મુકુ છુ.
***વાંચી વિચારજો અને તેનો જવાબ તમારા વિચારને આપજો.

૧.   જ્યારે માનવીને સાચી સમજ આવે ત્યારે જ કુબુધ્ધિ દુર ભાગે.
૨.   જ્યારે ભણતરને મહત્વ અપાય ત્યારે જ અભણતા દુર ભાગે.
૩.   જ્યારે મન મોહ માયામાં પરોવાય ત્યારે જ સંસ્કાર દુર ભાગે.
૪.  જ્યારે સંયંમ નારહે ત્યારે જ ભગવું પહેરનાર નારીથી દુર ભાગે.
૫.  જ્યારે માતાના દુધની કદર ના કરી શકાય ત્યારે તેને સન્માનથી દુર રાખે.
૬.  જ્યારે મહેનત કરી કમાવાની તાકાત ના હોય ત્યારે સંસારથી દુર ભાગે.
૭.  જ્યારે માનવી જેને ભગવાન બનાવે તેને દાન પેટીથી ભીખ માગવા માટે
     ભગવાનો સહારો આપી સાચા જ્ઞાનીઓથી દુર રાખે.
૮.  જ્યારે પરમાત્માની સાચી ઓળખ થાય ત્યારે તે જીવથી ભીખ માગવાના
     રસ્તાઓ દુર ભાગે.
૯.  જ્યારે પ્રભુની સાચી ઓળખ જીવને થાય ત્યારે ઘરમાં ભક્તિ થાય કળીયુગી
     મંદીર દુર ભાગે.
૧૦. જ્યારે જીવને પરમાત્માની કૃપા મળે ત્યારે જન્મ મરણ દુર ભાગે.
૧૧. જ્યારે માબાપની આજ્ઞાને માથે ચઢાવાય ત્યારે જ દુઃખ દુર ભાગે.
૧૨. જ્યારે મા થકી જીવને દેહમળે ત્યાર બાદ સૌ પ્રથમ તેને વંદન કરતાં
     આશીર્વાદથી જ વ્યાધીઓ દુર ભાગે.
૧૩. જ્યારે માતાથી સંસ્કાર અને પિતાના આશીર્વાદ મળે ત્યારે આવતી બધી
      વ્યાધીઓ દુર ભાગે.
   અને છેલ્લે
૧૪. જ્યારે સાચા સંતનુ માર્ગદર્શન મળે ત્યારે જ દેખાવની ભક્તિ દુર ભાગે.

++++++++++++++++++++++++++++++++++++++++++

September 8th 2010

ભક્તિ પ્યાલો

                        ભક્તિ પ્યાલો

તાઃ૮/૯/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહ ભરેલી દુનીયા,છે ઉજ્વળ જીવન સંગે
ભક્તિ પ્યાલો મળે કૃપાએ,રંગીદે જીવને ભક્તિ રંગે
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.
મળે કૃપા ભક્તિ સંગે,જેમ મળે દેહને પાણી ઘુંટેઘુંટે
તરસે જીવ મુક્તિ કાજે,જે માનવ જન્મ ભક્તિ સંગે
મળીજાય જલાસાંઇથી ભક્તિ,જીવને છોડાવે ધરતી
આવી આંગણે કૃપા મળે,જે અંતે જીવને દઇદે મુક્તિ
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.
પ્યાલો અમૃતનો પીલેતાં,જગે મૃત્યુ દેહથી ભાગેદુર
ઝેરનો પ્યાલો મળીજાય,તો જીવન બને ત્યાં ભંગુર
આધાર દેહનો જીવ છે,જે જન્મમરણથી જ સહવાય
જગતપિતાની દ્રષ્ટિ લેવા,ભક્તિ પ્યાલો જ પીવાય
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.

-===============================