May 31st 2010

પ્રેમની ગંગા

                      પ્રેમની ગંગા

તાઃ૩૧/૫/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પ્રેમની ગંગા વહેતાં,જીવને અમૃત મળી જાય
ભક્તિપ્રેમની સાંકળ મળતાં,આ જન્મ સફળ થઇ જાય
                      ………..શીતળ પ્રેમની ગંગા વહેતાં.
લાગણી હૈયે પ્રભુ પ્રેમની,ને ભક્તિમાં હૈયે રાખી હામ
નિશદીન ગુણલાં પ્રભુના ગાતા,જીવનેય શાંન્તિ થાય
મોહ માયાના અતુટ બંધન,કોઇ સાધુથીય ના તોડાય
મળી જાય સંસારમાં શાંન્તિ,જોઇને પરમાત્મા હરખાય
                      ………..શીતળ પ્રેમની ગંગા વહેતાં.
મમતા મળે જ્યાં માતાની,ત્યાં કરુણાની વર્ષા થાય
પ્રેમ પિતાનો મળી જતાં,આ જીવન ધન્ય થઇ જાય
ભાઇ ભાંડુની લાગણી આવતાં,સહવાસ સુમધુર થાય
અંત નાઆવે વણમાગ્યો,જ્યાં પ્રેમનીગંગા વહી જાય
                     …………શીતળ પ્રેમની ગંગા વહેતાં.

   *****************************

May 30th 2010

જીવની ગતિ

                 જીવની ગતિ

તાઃ૩૦/૫/૨૦૧૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

વંદન કરુ શ્રીજલાસાંઇને,નિર્મળ હૈયે રાખી હામ
ભક્તિ કેરુ બારણખોલતાં,હું નિરખુ સદા પ્રભુરામ
                       ……….વંદન કરુ શ્રીજલાસાંઇને.
પ્રભાત જીવનની ઉજ્વળ,પ્રભુ ભજન જ્યાં થાય
મનનેય શાંન્તિ મળી જાય,ને જન્મસફળ દેખાય
માયા દેહની મુકીદેતાં,મળી જાય ભક્તિનો સાથ
દેહનોઅંત નજીક આવતાં,જીવનેય શાંન્તિ થાય
                       ……….વંદન કરુ શ્રીજલાસાંઇને.
જગની માયા અળગી કરવા,શરણુ સંતનુ લેવાય
સંતનીસાચી આશીશ મળતાં,પ્રભુજી પણ હરખાય
નશ્વરદેહની માયા છુટતાં,જીવને મુક્તિ મળી જાય
પ્રભુ ભક્તિની અનંત શક્તિ એ,મોક્ષ જીવનો થાય
                         ……….વંદન કરુ શ્રીજલાસાંઇને.                        
જીવને શીતળ મળે શાંન્તિ,ને ઘરપણ પાવનથાય
અનંત શાંન્તિ સદા રહે,ને સંતાન પણ સુખી થાય
મોહમાયાનો પડછાયોભાગે,ના જીવને મળી શકાય
આવે દેહે શક્તિભક્તિની,જ્યાં દેખાવપણ ડરી જાય
                         ………. વંદન કરુ શ્રીજલાસાંઇને.

============================

May 28th 2010

અભિલાષા

                   અભિલાષા

તાઃ૨૮/૫/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ ભાવની પાવક ઝોળી,શાંન્તિ અતિ દઇ જાય
શીતળતાનો સહવાસ મળે,ત્યાં જન્મ પાવનથાય
                      ………..પ્રેમ ભાવની પાવક ઝોળી.
કર્મતણા આબંધનથી,જીવનમાં કામ અનેક થાય
સ્વાર્થ તણો સહવાસ લેવા,માનવતાય બતાવાય
દેખાવના સાગરનેનિરખી,કામ અનેક કરી જવાય
માનવતા જે જીવસંગે,નાઆશા ત્યાં કોઇજ રખાય
                      ………..પ્રેમ ભાવની પાવક ઝોળી.
સંસાર તણા આ સાગરમાં,અનેક જીવો જીવી જાય
સાથ કોઇને કદીક દેતાં,હૈયેથી પ્રભુકૃપા મળી જાય
આશીર્વાદની ઉંડી ભાવના,મનમાં એક છાયી જાય
મળેખરી પણ નાસાચી,જેને અપેક્ષા સમજી લેવાય
                       ………..પ્રેમ ભાવની પાવક ઝોળી.
મોગરાની મહેંકમળે,ને ગુલાબની સુંદરતા સચવાય
પ્રસરી જાય માનવતા સંસારે,ને જલાસાંઇ  હરખાય
જીવને શાંન્તિ મળીજાય,આ જન્મસફળ થતો દેખાય
ભક્તિ સાચી પ્રેમે લેતાં,જીવની અભિલાષા સચવાય
                          ………પ્રેમ ભાવની પાવક ઝોળી.

===============================

May 26th 2010

રટણ રામનામનું

                  રટણ રામનામનું            

તાઃ૨૬/૫/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

રટણ કરતાં રામનામનું,મારા મનને શાંન્તિ થઇ
સંસારીના સુખ સાગરમાં,સાચી ભક્તિ મળી ગઇ
                         ………રટણ કરતાં રામનામનું.
માળા પ્રભુની કરતાં મનથી, જીવને શાંન્તિ થઇ
રામનામની છાયા મળતાં,વ્યાધીઓ ભાગી ગઇ
                         ……….રટણ કરતાં રામનામનું.
ઘીનો દીવો પ્રેમથીકરતાં,જ્યોત જીવનમાં થઇ
ધુપનુ અર્ચન કરતાં રામને,સંતો હરખાય અહીં 
                          ……….રટણ કરતાં રામનામનું.
આરતી કરતાં સીતારામની,જીંદગી પાવન થઇ
શ્રધ્ધારાખીસેવાકરતાં,જલાસાંઇનીકૃપા મળીગઇ
                          ………રટણ કરતાં રામનામનું.
જ્યોતભક્તિની ઘરમાંજોતાં,સંત પધરામણી થઇ
સંસારી સંતોનીદ્રષ્ટિએ,ઉજ્વળ જીંદગી મળી ગઇ
                          ………રટણ કરતાં રામનામનું.
દ્વારેઆવી અર્ચનકરતાં,સુર્યદેવનો મળ્યો સહવાસ
આંગણુ ઘરનુ શોભી રહ્યુ છે,ને કૃપા પ્રભુની થાય
                          ……… રટણ કરતાં રામનામનું.

============================

May 26th 2010

મન મંદીર

                          મન મંદીર

તાઃ૨૬/૫/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન માગુ પ્રભુથી,ને શાંન્તિનો સથવાર
મનમંદીરના બારણે આવી,દેજો ભક્તિના સોપાન
                       ……….ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
સુર્યોદયના પ્રથમ કિરણે,ખોલુ હું મારા ઘરના દ્વાર
ઉજ્વળતાની કૃપા પામીને,સુખી થાય મારો સંસાર
જલાબાપાની ભક્તિ મળે ને,સાંઇબાબાનો મળે પ્રેમ
માગણી મારી પરમાત્માથી,જીવને દેજો ભક્તિ દ્વાર
                     …………ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
કરુણાસાગર તો છે દયાળુ,જગના જાણે સૌ નરનાર
ધુપદીપના સંગેરહેતા,પામે ઉજ્વળ જીવના સંતાન
ખુલીજાય મનમંદીરના દ્વાર,લાગીપાયે પ્રભુને આજ
જન્મ મરણના બંધન છોડી,શરણે પ્રભુને રહેવા કાજ
                       ……….ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
નીતિઅનીતિ થાય આદેહે,માફ કરજો મારા ભગવાન
સંતાનની ભુલને માફકરીને,બતાવજો ઉજળા સોપાન
દીન દયાળુ છો બલીહારી,મુંઝવણ કરજો દુર અમારી
મનમંદીરમાં સદા બીરાજી,દેજો પ્રભુજી શાંન્તિ અનેરી
                       ………..ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+

May 22nd 2010

ભક્તિદાન

                      ભક્તિદાન

તાઃ૨૨/૫/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી તમારુ સ્મરણ કરુ,ને હૈયામાં રાખુ હામ
તનથી વંદન કરું પ્રભુને,ભજુ સદા હું જલારામ
                      ……….મનથી તમારુ સ્મરણ કરુ.
સંસારીના  સુરને મેળવવા,મહેનત કરુ જે  થાય
બુધ્ધિ કેરી લગામ લઇને જ,જગના ચઢુ સોપાન
સમય સંજોગને જોઇલેતા,હું શરણે રહુ જલારામ
વાણીવર્તન જ્યાં સાચવુ,ત્યાં ઉજ્વળ થાય કામ
                      ……….મનથી તમારુ સ્મરણ કરુ.
શીતળપ્રેમ મળ્યો માબાપનો,જીવન મહેંકી જાય
આશીર્વાદ મનથીમળતાં,મળ્યામનેસીધાસોપાન
કેડી લેતા ભણતરની,ત્યાં ગુરુનીકૃપા વરસીજાય
સ્નેહપ્રેમ સંસારથી મળતાં,વ્યાધીઓ ભાગી જાય
                     ………..મનથી તમારુ સ્મરણ કરુ.
આંગણે સાચી ભક્તિ આવી,ત્યાં જીવ રાજી થાય
સંત જલાસાંઇની દ્રષ્ટિ પડતાં,જન્મ સફળ લેવાય
પ્રભુ પ્રેમ વરસી રહ્યો,જે સંતાનના વર્તને દેખાય
મુક્તિ બારણે સંતો  ઉભા,જીવને દેવા ભક્તિ દાન
                     ………..મનથી તમારુ સ્મરણ કરુ.

[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]]]

May 20th 2010

કર્મનો હિસાબ

                        કર્મનો હિસાબ

તાઃ૨૦/૫/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં,શ્રધ્ધાથી જ મેળવાય
મરણ આંગણે આવે જ્યારે,ના સ્મરણ પ્રભુનુ થાય
                       ……….સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
હિસાબ કોડી કોડીનો થાય,ના કોઇથીય છે છટકાય
કર્મ કરેલા સંગે ચાલે,રાજા રંક ગરીબ કે ધનવાન
જન્મ મળેલ જીવને જગમાં,મૃત્યુ જરૂર મળશે એક
વાણી વર્તન દેહને સ્પર્શે,જે આવશે જીવનમાં છેક
                      ………..સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
માળા કરતાં જો મોહ નાછુટે,તો જીવન થાશે વ્યર્થ 
અંતરથી જ્યાં થાય ભક્તિ,ત્યાં પ્રભુ કૃપા સહવાય
દુનીયાના દેખાવ અનેક,જે અધોગતીએ લઇ જાય
મોહમાયા છે કળીયુગનીદ્રષ્ટિ,ભક્તિથી ભાગી જાય
                         ……..સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
કરુણા મળશે શ્રી રામની,જ્યાં સાચા સંત મેળવાય
જલાસાંઇની ભક્તિસાચી,જ્યાં જીવને મુક્તિ દેખાય
અતુટ બંધન સંસારની સાંકળના,ના કોઇથી તોડાય
આવે આંગણે શ્રીરામ,એ જ કર્મનો  હિસાબ કહેવાય
                        ………સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.

###############################

May 18th 2010

બારણે ટકોરા

                       બારણે ટકોરા

તાઃ૧૮/૫/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ માયા ને મમતા મુકતાં,પ્રભુ ભજન થઇ જાય
ઉજ્વળતાના સોપાને જીવનો,જન્મ સફળકરી જાય
                           ………મોહ માયા ને મમતા મુકતાં.
મોહ આવી ઉભો બારણે,ખોલવા આ કળીયુગના દ્વાર
ચારે દીશાએથી તૈયાર છે એ,લઇ સાંકળનો સથવાર
પકડાઇગઇ જો પળજીવનની,ઝેર પ્રસરીજાય તત્કાળ
અમૃત જેવું જીવન જગતમાં,એકપળમાં વેડફાઇ જાય
                             ……….મોહ માયા ને મમતા મુકતાં.
માયાનાબંધન નિરાળા,જ્યાં સમજીપારખીનેજ ચલાય
પ્રેમમળે જગતમાંસૌનો,ને જીવનપણ ઉજ્વળ કરીજાય
સંતાને સહવાસ માબાપથી,ને આશીર્વાદની વર્ષાથાય
પરમાત્માનો પ્રેમમળે,જ્યાં આશીશમનથી દેવાઇ જાય 
                              ……….મોહ માયા ને મમતા મુકતાં.
દેહને માયા સંસારની મળે,પણ કયા જીવની છે જોવાય
મળે માયા પ્રભુની,તો સાચા સંતની ભક્તિને અનુસરાય
કર્મના બંધન જગે સહુને સ્પર્શે,ના મુક્તિ કોઇથી લેવાય
કૃપા મળે જલાસાંઇની જીવપર,જ્યાં મોહમાયા છુટીજાય
                                ………મોહ માયા ને મમતા મુકતાં.
મમતા એછે અંતરનો પ્રેમ,ના કોઇથી એ જગમાં જોવાય
આંખો ભીની થતી જાય,જ્યાં હૈયાથી સ્નેહ ઉભરાતો જાય
માની મમતા ઉજ્વળતાદે,ને જગની મમતા દે અભિમાન
સરળતાનો સહવાસ જ જગમાં,ખોલી જાય જીવનના નૈન
                               ……….મોહ માયા ને મમતા મુકતાં.
નશ્વર દેહનો અંત આવતાં,જીવને બારણે ટકોરા સંભળાય
જલાસાંઇનું  શરણુ જ્યાં જીવનુ,ત્યાં પરમાત્માય હરખાય
ધરતી પરના બંધન છોડતાં,જીવને પ્રભુ કૃપા મળી જાય
ભુતપલીત ભાગે ત્યાંથી,જ્યાં જીવનોજન્મસફળ થઇજાય
                                 ……….મોહ માયા ને મમતા મુકતાં.

+++++++++++++++++++++++++++++++++=

May 16th 2010

મોહ માયા

                     મોહ માયા

તાઃ૧૬/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ મને ભઇ પરમાત્માથી,ને માયા તો છે ભક્તિથી
માનવી જીવન સરળચાલે,ને કળીયુગે શાંન્તિ લીધી
                           …..મોહ મને ભઇ પરમાત્માથી.
સવાર સાંજનો સંયમ રાખી,જગમાં હું પ્રેમે જીવી લઉ
આદી અંતનો ધ્યાન રાખીને,પરમાત્માને હું ભજી લઉ
કરુણાસાગરની કૃપા પામવા,જલાસાંઇનું હું શરણું લઉ
ભક્તિ સાચી દીઠી જગતમાં,ના કોઇની સલાહ હું લઉ
                          …….મોહ મને ભઇ પરમાત્માથી.
કળીયુગી સંતની લીલા ન્યારી,જે લાભદાયી જ દેખાય
પાશેર પાણી પામવા જગમાં,કુવો ખોડવાને લઇ જાય
શ્રધ્ધાનો સહારોલેતાં આ યુગમાં,સુખદુઃખ આવી જાય
માયારાખતા ભક્તિનીમનથી,વ્યાધીઓ સૌ ભાગીજાય
                         …….મોહ મને ભઇ પરમાત્માથી.

**********************************

May 13th 2010

સાચી લીટી

                      સાચી લીટી

તાઃ૧૩/૫/૨૦૧૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણુ લેતા ભક્તિનું,મારા મનને શાંન્તિ થઇ
વિચારી ચાલતાં જીવનમાં,જીંદગી મહેંકી ગઇ
                         ……….શરણુ લેતા ભક્તિનું.
ઉદય અસ્તની દુનીયામાં,જીવ વણાય છે અહીં
મતીમાનવી સાચવીલે,તો જીવન ઉજ્વળ ભઇ
કરુણાસાગર તો છે દયાળુ,સમયને જો તું પકડે
શાંન્તિ આવે જીવનમાં,જ્યાં ભક્તિ પ્રસરી ગઇ
                        …………શરણુ લેતા ભક્તિનું.
સંતતણો સહવાસમળતાં,વ્યાધીઓ ભાગતી થઇ
પ્રેમે આશીર્વાદમળતાં,જીંદગી શીતળ મળી ગઇ
સંસારી સંતોનો સહવાસ,સાચી ભક્તિછે કહેવાય
જલાસાંઇની સેવાનિરાળી,જે સંસારીથી મેળવાય
                         ……….શરણુ લેતા ભક્તિનું.

============================

« Previous PageNext Page »