May 16th 2010

મોહ માયા

                     મોહ માયા

તાઃ૧૬/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ મને ભઇ પરમાત્માથી,ને માયા તો છે ભક્તિથી
માનવી જીવન સરળચાલે,ને કળીયુગે શાંન્તિ લીધી
                           …..મોહ મને ભઇ પરમાત્માથી.
સવાર સાંજનો સંયમ રાખી,જગમાં હું પ્રેમે જીવી લઉ
આદી અંતનો ધ્યાન રાખીને,પરમાત્માને હું ભજી લઉ
કરુણાસાગરની કૃપા પામવા,જલાસાંઇનું હું શરણું લઉ
ભક્તિ સાચી દીઠી જગતમાં,ના કોઇની સલાહ હું લઉ
                          …….મોહ મને ભઇ પરમાત્માથી.
કળીયુગી સંતની લીલા ન્યારી,જે લાભદાયી જ દેખાય
પાશેર પાણી પામવા જગમાં,કુવો ખોડવાને લઇ જાય
શ્રધ્ધાનો સહારોલેતાં આ યુગમાં,સુખદુઃખ આવી જાય
માયારાખતા ભક્તિનીમનથી,વ્યાધીઓ સૌ ભાગીજાય
                         …….મોહ મને ભઇ પરમાત્માથી.

**********************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment