May 26th 2010

રટણ રામનામનું

                  રટણ રામનામનું            

તાઃ૨૬/૫/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

રટણ કરતાં રામનામનું,મારા મનને શાંન્તિ થઇ
સંસારીના સુખ સાગરમાં,સાચી ભક્તિ મળી ગઇ
                         ………રટણ કરતાં રામનામનું.
માળા પ્રભુની કરતાં મનથી, જીવને શાંન્તિ થઇ
રામનામની છાયા મળતાં,વ્યાધીઓ ભાગી ગઇ
                         ……….રટણ કરતાં રામનામનું.
ઘીનો દીવો પ્રેમથીકરતાં,જ્યોત જીવનમાં થઇ
ધુપનુ અર્ચન કરતાં રામને,સંતો હરખાય અહીં 
                          ……….રટણ કરતાં રામનામનું.
આરતી કરતાં સીતારામની,જીંદગી પાવન થઇ
શ્રધ્ધારાખીસેવાકરતાં,જલાસાંઇનીકૃપા મળીગઇ
                          ………રટણ કરતાં રામનામનું.
જ્યોતભક્તિની ઘરમાંજોતાં,સંત પધરામણી થઇ
સંસારી સંતોનીદ્રષ્ટિએ,ઉજ્વળ જીંદગી મળી ગઇ
                          ………રટણ કરતાં રામનામનું.
દ્વારેઆવી અર્ચનકરતાં,સુર્યદેવનો મળ્યો સહવાસ
આંગણુ ઘરનુ શોભી રહ્યુ છે,ને કૃપા પ્રભુની થાય
                          ……… રટણ કરતાં રામનામનું.

============================

May 26th 2010

મન મંદીર

                          મન મંદીર

તાઃ૨૬/૫/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન માગુ પ્રભુથી,ને શાંન્તિનો સથવાર
મનમંદીરના બારણે આવી,દેજો ભક્તિના સોપાન
                       ……….ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
સુર્યોદયના પ્રથમ કિરણે,ખોલુ હું મારા ઘરના દ્વાર
ઉજ્વળતાની કૃપા પામીને,સુખી થાય મારો સંસાર
જલાબાપાની ભક્તિ મળે ને,સાંઇબાબાનો મળે પ્રેમ
માગણી મારી પરમાત્માથી,જીવને દેજો ભક્તિ દ્વાર
                     …………ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
કરુણાસાગર તો છે દયાળુ,જગના જાણે સૌ નરનાર
ધુપદીપના સંગેરહેતા,પામે ઉજ્વળ જીવના સંતાન
ખુલીજાય મનમંદીરના દ્વાર,લાગીપાયે પ્રભુને આજ
જન્મ મરણના બંધન છોડી,શરણે પ્રભુને રહેવા કાજ
                       ……….ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
નીતિઅનીતિ થાય આદેહે,માફ કરજો મારા ભગવાન
સંતાનની ભુલને માફકરીને,બતાવજો ઉજળા સોપાન
દીન દયાળુ છો બલીહારી,મુંઝવણ કરજો દુર અમારી
મનમંદીરમાં સદા બીરાજી,દેજો પ્રભુજી શાંન્તિ અનેરી
                       ………..ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+