May 23rd 2010

યુગી માયા,મમતા

                     યુગી માયા,મમતા

તાઃ૨૩/૫/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતના આ આંગણે જગતમાં,અનેક લીલાઓ થાય
માનવ જીવન મળે જીવને,ત્યારે સમયે જ ઓળખાય
                                 ………કુદરતના આ આંગણે.
સપ્તરંગી આ દુનીયામાં,જીવને અનેક અનુભવ થાય
ક્યારે કેવો કોની સાથે ને કેમ, એ ના કોઇથી પરખાય
વધુ જ્ઞાનની વ્યાધી છે,જે વિજ્ઞાનથી કળીયુગે દેખાય
અતિ જ્યાં આંબેદેહને,ત્યાં માનવીબુધ્ધિ વેડફાઇ જાય
પારખ મળે જીવને મનથી,જ્યાં સાચી ભક્તિ મેળવાય
                                ………..કુદરતના આ આંગણે.
સતયુગમાં મળેલ દેહને,જગે માયા પ્રભુ કૃપાની  થાય
સતસંગ સંસારની સાચીસીડી,જે સાચાભક્તોથી દેખાય
મમતામળે માબાપની સંતાને,ત્યાં જીવન ઉજ્વળથાય 
ના ભગવા ની જરૂર સતયુગે,કે ના નારીદેહથી ભડકાય
માતાજીની કૃપા મળતાજ જગમાં,ઘર સ્વર્ગ બની જાય
                                 …………કુદરતના આ આંગણે.
કામણ લીલા કળીયુગની,ના કોઇથી જગતમાં છટકાય
ભક્તિના બારણા બતાવી,કળીયુગી લાભ મેળવી જાય
માયાને કળીયુગમાં જોતાં,દેખાવ દેહનોજ દેખાઇ જાય
શ્રધ્ધારાખી દેખાવનીદેહે,ત્યાં માનવી પગે લાગી જાય
અસરપડે જ્યાં સમયની,ત્યાં મતી પણ બદલાઇ જાય
                                 ………..કુદરતના આ આંગણે.
સતયુગ કળીયુગની મતી બતાવી,લાભ તમારો લેવાય
નાસમજ આવેમાનવીને,જ્યાં કળીયુગી પડદોપડી જાય
ભક્તિ સાચી ઘરમાંકરતાં,પવિત્ર રાહ સંસારે મળી જાય
આંગણેઆવી પ્રભુરાહજુએ,ત્યાંજજીવનો જન્મસફળ થાય
નાદમડી કે દેખાવની જરૂરપડે,કે ના આધીવ્યાધી દેખાય
                                     ……….કુદરતના આ આંગણે.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ