May 13th 2010

સાચી લીટી

                      સાચી લીટી

તાઃ૧૩/૫/૨૦૧૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણુ લેતા ભક્તિનું,મારા મનને શાંન્તિ થઇ
વિચારી ચાલતાં જીવનમાં,જીંદગી મહેંકી ગઇ
                         ……….શરણુ લેતા ભક્તિનું.
ઉદય અસ્તની દુનીયામાં,જીવ વણાય છે અહીં
મતીમાનવી સાચવીલે,તો જીવન ઉજ્વળ ભઇ
કરુણાસાગર તો છે દયાળુ,સમયને જો તું પકડે
શાંન્તિ આવે જીવનમાં,જ્યાં ભક્તિ પ્રસરી ગઇ
                        …………શરણુ લેતા ભક્તિનું.
સંતતણો સહવાસમળતાં,વ્યાધીઓ ભાગતી થઇ
પ્રેમે આશીર્વાદમળતાં,જીંદગી શીતળ મળી ગઇ
સંસારી સંતોનો સહવાસ,સાચી ભક્તિછે કહેવાય
જલાસાંઇની સેવાનિરાળી,જે સંસારીથી મેળવાય
                         ……….શરણુ લેતા ભક્તિનું.

============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment