સાચી લીટી
સાચી લીટી
તાઃ૧૩/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરણુ લેતા ભક્તિનું,મારા મનને શાંન્તિ થઇ
વિચારી ચાલતાં જીવનમાં,જીંદગી મહેંકી ગઇ
……….શરણુ લેતા ભક્તિનું.
ઉદય અસ્તની દુનીયામાં,જીવ વણાય છે અહીં
મતીમાનવી સાચવીલે,તો જીવન ઉજ્વળ ભઇ
કરુણાસાગર તો છે દયાળુ,સમયને જો તું પકડે
શાંન્તિ આવે જીવનમાં,જ્યાં ભક્તિ પ્રસરી ગઇ
…………શરણુ લેતા ભક્તિનું.
સંતતણો સહવાસમળતાં,વ્યાધીઓ ભાગતી થઇ
પ્રેમે આશીર્વાદમળતાં,જીંદગી શીતળ મળી ગઇ
સંસારી સંતોનો સહવાસ,સાચી ભક્તિછે કહેવાય
જલાસાંઇની સેવાનિરાળી,જે સંસારીથી મેળવાય
……….શરણુ લેતા ભક્તિનું.
============================